અર્બુદાસેના આવી વિપુલ ચૌધરીના સમર્થનમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:25:47

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં હવે થોડા દિવસોની જ વાર છે ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપુલ ચૌધરીને 800 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે ત્યારે ચૌધરી સમાજ તેમની જેલ મુક્તિ માટે કાર્યક્રમો જાહેર કર્યા છે. 


વિપુલ ચૌધરીની જેલ મુક્તિ માટે અર્બુદા સેના મેદાને

અર્બુદા સેનાએ વિપુલ ચૌધરીની જેલ મુક્તિ માટે વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા છે. તેમનું કહેવું છે કે વિપુલ ચૌધરી ચૂંટણી પહેલા ભાજપનો ચહેરો ખુલ્લો પાડવાના હતા પણ સરકારે શક્તિનો ઉપયોગ કરી તેમને જેલમાં બંધ કરી દીધા છે. ત્યારે અર્બુદા સેના વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવે તેના માટે ધરણા કરશે અને જેલભરો આંદોલન કરશે. 


અર્બુદા સેના શું આયોજન કરી રહી છે?

અર્બુદા સેના 20 ઓક્ટોબરથી રોજ જિલ્લા કક્ષાએ વિપુલ ચૌધરીની જેલ મુક્તિનીમાગ સાથે ધરણા કાર્યક્રમો યોજશે. ગુજરાતના જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે અને વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવશે. 21 ઓક્ટોબરના દિવસે અર્બુદા સેના જેલભરો આંદોલન કરશે. અર્બુદા સેનાના કાર્યકરો કે સભ્યો પોલીસ સમક્ષ જાતે હાજર થઈ જશે અને પોતાને જેલમાં દાખલ કરવાની માગો કરશે. 30 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ચૌધરી સમાજની મહાપંચાયત યોજવામાં આવશે. 


વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?

દૂધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 800 કરોડથી વધુ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.