અર્બુદાસેના આવી વિપુલ ચૌધરીના સમર્થનમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:25:47

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં હવે થોડા દિવસોની જ વાર છે ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપુલ ચૌધરીને 800 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે ત્યારે ચૌધરી સમાજ તેમની જેલ મુક્તિ માટે કાર્યક્રમો જાહેર કર્યા છે. 


વિપુલ ચૌધરીની જેલ મુક્તિ માટે અર્બુદા સેના મેદાને

અર્બુદા સેનાએ વિપુલ ચૌધરીની જેલ મુક્તિ માટે વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા છે. તેમનું કહેવું છે કે વિપુલ ચૌધરી ચૂંટણી પહેલા ભાજપનો ચહેરો ખુલ્લો પાડવાના હતા પણ સરકારે શક્તિનો ઉપયોગ કરી તેમને જેલમાં બંધ કરી દીધા છે. ત્યારે અર્બુદા સેના વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવે તેના માટે ધરણા કરશે અને જેલભરો આંદોલન કરશે. 


અર્બુદા સેના શું આયોજન કરી રહી છે?

અર્બુદા સેના 20 ઓક્ટોબરથી રોજ જિલ્લા કક્ષાએ વિપુલ ચૌધરીની જેલ મુક્તિનીમાગ સાથે ધરણા કાર્યક્રમો યોજશે. ગુજરાતના જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે અને વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવશે. 21 ઓક્ટોબરના દિવસે અર્બુદા સેના જેલભરો આંદોલન કરશે. અર્બુદા સેનાના કાર્યકરો કે સભ્યો પોલીસ સમક્ષ જાતે હાજર થઈ જશે અને પોતાને જેલમાં દાખલ કરવાની માગો કરશે. 30 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ચૌધરી સમાજની મહાપંચાયત યોજવામાં આવશે. 


વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?

દૂધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 800 કરોડથી વધુ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"