અર્બુદાસેના આવી વિપુલ ચૌધરીના સમર્થનમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:25:47

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં હવે થોડા દિવસોની જ વાર છે ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપુલ ચૌધરીને 800 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે ત્યારે ચૌધરી સમાજ તેમની જેલ મુક્તિ માટે કાર્યક્રમો જાહેર કર્યા છે. 


વિપુલ ચૌધરીની જેલ મુક્તિ માટે અર્બુદા સેના મેદાને

અર્બુદા સેનાએ વિપુલ ચૌધરીની જેલ મુક્તિ માટે વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા છે. તેમનું કહેવું છે કે વિપુલ ચૌધરી ચૂંટણી પહેલા ભાજપનો ચહેરો ખુલ્લો પાડવાના હતા પણ સરકારે શક્તિનો ઉપયોગ કરી તેમને જેલમાં બંધ કરી દીધા છે. ત્યારે અર્બુદા સેના વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવે તેના માટે ધરણા કરશે અને જેલભરો આંદોલન કરશે. 


અર્બુદા સેના શું આયોજન કરી રહી છે?

અર્બુદા સેના 20 ઓક્ટોબરથી રોજ જિલ્લા કક્ષાએ વિપુલ ચૌધરીની જેલ મુક્તિનીમાગ સાથે ધરણા કાર્યક્રમો યોજશે. ગુજરાતના જિલ્લાઓમાં ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે અને વિપુલ ચૌધરીને જેલમાંથી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવશે. 21 ઓક્ટોબરના દિવસે અર્બુદા સેના જેલભરો આંદોલન કરશે. અર્બુદા સેનાના કાર્યકરો કે સભ્યો પોલીસ સમક્ષ જાતે હાજર થઈ જશે અને પોતાને જેલમાં દાખલ કરવાની માગો કરશે. 30 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ચૌધરી સમાજની મહાપંચાયત યોજવામાં આવશે. 


વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?

દૂધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 800 કરોડથી વધુ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે