અગ્નિપથ ભરતીમાં જોડાવાની તક, સરકારે કર્યો નિયમોમાં ફેરફાર, હવે ITI પાસ પણ કરી શકશે અરજી


  • Published By :
  • Published Date : 2023-02-21 15:56:24

કેન્દ્ર સરકારે ગત વર્ષે ત્રણેય સેનાઓમાં જવાનોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. સરકારે હવે આ અગ્નિપથ યોજના હેઠળનાં નિયમોમાં મોટું પરિવર્તન કર્યું છે. યોજના પ્રમાણે હવે ITI પોલિટેકનિક પાસ પણ અરજી કરી શકશે. સેનાએ અગ્રિપથ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટેની યોગ્યતાના માપદંડમાં ફેરફાર કર્યો છે. હવે પ્રિ સ્કિલ્ડ યુવાનો પણ અગ્નિપથ ભરતીમાં ભાગ લઈ શકશે. આ નવી જાહેરાતથી હવે ITI પાસ યુવાનો માટે સેનાના દરવાજા ખુલી ગયા છે. 


અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ


અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીરોની ભરતીનું રજીસ્ટ્રેશન 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. અગ્નિપથ ભરતી વર્ષ માટે અપરિણીત યુવાનો સેનાની સત્તાવાર વેબસાઈટ joinindianarmy.nic.in પર વિઝીટ કરીને તેમની અરજી કરી શકે છે. ઓન લાઈન અરજીની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે, જ્યારે પ્રવેશ પરીક્ષા 17 એપ્રીલ 2023ના દિવસે યોજાશે.


નોટિફિકેશન મુજબ, અગ્નિવીર જનરલ ડ્યુટી, ટેકનિકલ ક્લાર્ક, સ્ટોર કીપર, ટ્રેડ્સમેનની જગ્યાઓ ભરવામાં આવશે. અગ્નિવીર પસંદગી પ્રક્રિયામાં તાજેતરના ફેરફારો પછી, હવે ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. આમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને જ શારીરિક કસોટી માટે આમંત્રિત કરવામાં આવશે. લેખિત પરીક્ષા 17 એપ્રિલે લેવામાં આવશે.


અરજી માટે ક્રાઈટેરિયા વધ્યો 


અગ્નિવીરોની ભરતી માટે 16 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ધોરણ 10 પાસ ઉમેદવારો અગ્નિવીર (જનરલ ડ્યુટી) (તમામ આર્મ્સ) માટે અરજી કરી શકે છે. જ્યારે, અગ્નિવીર (ટેકનિકલ) (તમામ આર્મ્સ) માટે 12મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે 12મું પાસ અગ્નિવીર ક્લાર્ક (સ્ટોર કીપર)ની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 8મું-10મું પાસ ઉમેદવારો અગ્નિવીર ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. હવે ITI-પોલીટેકનિક પાસ આઉટ યુવાનો પણ નવા ફેરફાર માટે અરજી કરી શકશે. આ પ્રશિક્ષિત યુવાનોએ સેનાની ટેકનિકલ શાખામાં અરજી કરવાની રહેશે. તેમની તાલીમ પણ ઓછા સમયની હશે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.