સિક્કિમમાં આર્મી ટ્રકને નડ્યો અકસ્માત, 16 જવાનો થયા શહીદ


  • Published By :
  • Published Date : 2022-12-23 16:41:12

સિક્કિમમાં એક મોટી રોડ દુર્ઘટના ઘટી છે. આર્મી જવાનોને લઈ જઈ રહેલી ટ્રક ખાઈમાં પડી ગઈ છે. આ ઘટનામાં 16 જવાનો શહીદ થયા છે. મળતી માહિતી અનુસાર સાંકડા વળાંક પાસે આવેલી ખીણમાં બસ પડી ગઈ હતી. આ ઘટનામાં 16 જવાનો શહીદ થઈ ગયા છે જ્યારે 4 જવાનો ઘાયલ થયા છે. 




હેલિકોપ્ટરની મદદથી કરાયું રેસ્ક્યું ઓપરેશન 

આ ઘટનામાં 3 આર્મીના વાહનો હતા. ત્રણે વાહનો સવારે થંગૂ તરફ જઈ રહ્યા હતા. પીઆરઓ ડિફેન્સ લેફ્ટિનેંટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે જેમાના રસ્તા પર આવેલા વળાંક પર આ દુર્ઘટના સર્જાઈ છે. ખાઈમાં આ બસ ધકેલાઈ જતા રેસ્ક્યું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરની મદદથી ઘાયલ થયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત મૃત્યુ પામેલા જવાનોને પણ હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. 


વડાપ્રધાન મોદીએ અને રાજનાથસિંહે દુખ વ્યક્ત કર્યું 

આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ઘાયલ થયેલા  જવાનો જલ્દી સાજા થાય તે અંગે પ્રાર્થના કરી છે. ઉપરાંત ઘટનામાં મૃત્યુ પામનાર જવાનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે સાથે સાથે ઘાયલ જવાનોને 50-50 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાને લઈ રાજનાથસિંહે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.