મનીષ સિસોદિયાની ધરપકડનો ગુજરાતમાં થયો વિરોધ, ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા મનીષ સિસોદિયાના સમર્થનમાં


  • Published By :
  • Published Date : 2023-02-27 14:06:55

રવિવારે સીબીઆઈ દ્વારા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરવામાં આવતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા હતા. ત્યારે આ ધરપકડનો વિરોધ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.   

આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે વિરોધ   

સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીબીઆઈ દ્વારા રવિવારે મનીષ સિસોદિયાની આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તે બાદ તેમની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર ખાતે પણ આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કાર્યકર્તાઓએ હાથમાં પોસ્ટર લઈને વિરોધ દર્શાવ્યો હતો. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.



ચૈતર વસાવા સહિત આપના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ  

આ અંગે વિરોધ કરી રહેલા ડેડિયારાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ગઈકાલે દિલ્હીની ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી. મનીષ સિસોદિયા પર 10 હજાર કરોડના દારુ ગોટાળા મામલે ધકપકડ કરી છે. અમારે સરકારને સવાલ છે કે જેટલી વાર રેડ કરવામાં આવી તેમાં શું પુરાવા મળ્યા તે જાહેર કરવામાં આવે. સરકાર દેશની એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે. આમ આદમી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરકારે જે કરવું હોય તે કરે આમ આદમી પાર્ટી ડરવાની નથી. આ મામલાને વિધાનસભા ગૃહમાં પણ ઉઠાવવામાં આવશે. વિરોધ દર્શાવવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્લે કાર્ડ લઈને પહોંચ્યા હતા. ચૈતર વસાવા ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.