મનીષ સિસોદિયાની ધરપકડનો ગુજરાતમાં થયો વિરોધ, ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા મનીષ સિસોદિયાના સમર્થનમાં


  • Published By :
  • Published Date : 2023-02-27 14:06:55

રવિવારે સીબીઆઈ દ્વારા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરવામાં આવતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા હતા. ત્યારે આ ધરપકડનો વિરોધ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.   

આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે વિરોધ   

સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીબીઆઈ દ્વારા રવિવારે મનીષ સિસોદિયાની આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તે બાદ તેમની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર ખાતે પણ આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કાર્યકર્તાઓએ હાથમાં પોસ્ટર લઈને વિરોધ દર્શાવ્યો હતો. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.



ચૈતર વસાવા સહિત આપના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ  

આ અંગે વિરોધ કરી રહેલા ડેડિયારાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ગઈકાલે દિલ્હીની ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી. મનીષ સિસોદિયા પર 10 હજાર કરોડના દારુ ગોટાળા મામલે ધકપકડ કરી છે. અમારે સરકારને સવાલ છે કે જેટલી વાર રેડ કરવામાં આવી તેમાં શું પુરાવા મળ્યા તે જાહેર કરવામાં આવે. સરકાર દેશની એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે. આમ આદમી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરકારે જે કરવું હોય તે કરે આમ આદમી પાર્ટી ડરવાની નથી. આ મામલાને વિધાનસભા ગૃહમાં પણ ઉઠાવવામાં આવશે. વિરોધ દર્શાવવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્લે કાર્ડ લઈને પહોંચ્યા હતા. ચૈતર વસાવા ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.