મનીષ સિસોદિયાની ધરપકડનો ગુજરાતમાં થયો વિરોધ, ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા મનીષ સિસોદિયાના સમર્થનમાં


  • Published By :
  • Published Date : 2023-02-27 14:06:55

રવિવારે સીબીઆઈ દ્વારા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરવામાં આવતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા હતા. ત્યારે આ ધરપકડનો વિરોધ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.   

આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે વિરોધ   

સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીબીઆઈ દ્વારા રવિવારે મનીષ સિસોદિયાની આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તે બાદ તેમની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર ખાતે પણ આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કાર્યકર્તાઓએ હાથમાં પોસ્ટર લઈને વિરોધ દર્શાવ્યો હતો. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.



ચૈતર વસાવા સહિત આપના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ  

આ અંગે વિરોધ કરી રહેલા ડેડિયારાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ગઈકાલે દિલ્હીની ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી. મનીષ સિસોદિયા પર 10 હજાર કરોડના દારુ ગોટાળા મામલે ધકપકડ કરી છે. અમારે સરકારને સવાલ છે કે જેટલી વાર રેડ કરવામાં આવી તેમાં શું પુરાવા મળ્યા તે જાહેર કરવામાં આવે. સરકાર દેશની એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે. આમ આદમી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરકારે જે કરવું હોય તે કરે આમ આદમી પાર્ટી ડરવાની નથી. આ મામલાને વિધાનસભા ગૃહમાં પણ ઉઠાવવામાં આવશે. વિરોધ દર્શાવવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્લે કાર્ડ લઈને પહોંચ્યા હતા. ચૈતર વસાવા ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે