મનીષ સિસોદિયાની ધરપકડનો ગુજરાતમાં થયો વિરોધ, ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા મનીષ સિસોદિયાના સમર્થનમાં


  • Published By :
  • Published Date : 2023-02-27 14:06:55

રવિવારે સીબીઆઈ દ્વારા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરવામાં આવતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા હતા. ત્યારે આ ધરપકડનો વિરોધ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.   

આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે વિરોધ   

સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીબીઆઈ દ્વારા રવિવારે મનીષ સિસોદિયાની આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તે બાદ તેમની ધરપકડ કરાઈ હતી. આ ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં આપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર ખાતે પણ આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કાર્યકર્તાઓએ હાથમાં પોસ્ટર લઈને વિરોધ દર્શાવ્યો હતો. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.



ચૈતર વસાવા સહિત આપના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ  

આ અંગે વિરોધ કરી રહેલા ડેડિયારાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ગઈકાલે દિલ્હીની ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી. મનીષ સિસોદિયા પર 10 હજાર કરોડના દારુ ગોટાળા મામલે ધકપકડ કરી છે. અમારે સરકારને સવાલ છે કે જેટલી વાર રેડ કરવામાં આવી તેમાં શું પુરાવા મળ્યા તે જાહેર કરવામાં આવે. સરકાર દેશની એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે. આમ આદમી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરકારે જે કરવું હોય તે કરે આમ આદમી પાર્ટી ડરવાની નથી. આ મામલાને વિધાનસભા ગૃહમાં પણ ઉઠાવવામાં આવશે. વિરોધ દર્શાવવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્લે કાર્ડ લઈને પહોંચ્યા હતા. ચૈતર વસાવા ઉપરાંત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.