જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન, લાખોટા તળાવ અને ખીજડીયા પક્ષી અભ્યારણને બનાવ્યું પક્ષીઓએ ઘર


  • Published By :
  • Published Date : 2023-02-08 09:21:47

શિયાળા દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બનતા હોય છે. હજારોની સંખ્યામાં જામનગરમાં આવેલા લખોટા તળાવ પાસે વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. યુરોપિયન દેશોમાં કડકડતી ઠંડીથી પોતાનું રક્ષણ કરવા પક્ષીઓ સ્થાળાંતર કરે છે. જેને કારણે શિયાળાના સમયગાળા દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ સાત સમંદર પારથી અહીં ગુજરાત આવતા હોય છે. જામનગર નજીક આવેલા દરિયાકાંઠે, લાખોટા તળાવ તેમજ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય શિયાળાના સમય દરમિયાન વિદેશી પક્ષીઓનું આવાસ બની જતું હોય છે.  . 






વાતાવરણ અનુકુળ હોવાથી થાય છે પક્ષીઓનું આગમન 

ગુજરાતના જામનગર ખાતે વિદેશી પક્ષીઓ શિયાળાના સમય દરમિયાન નિવાસ કરે છે. તેનું મુખ્યકારણ છે કે આ વાતાવરણ પક્ષીઓ માટે અનુરૂપ હોય છે. લાખોટા તળાવ અને તેના આસપાસના વિસ્તારમાં પક્ષીઓને ખોરાક મળી રહે છે. અનેક દેશોમાંથી પક્ષીઓ આવતા હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સીગલ પક્ષી જામનગર ખાતે જોવા મળે છે.     




પક્ષીઓને જોવા ઉમટે છે માનવમહેરામણ  

જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ ગણવામાં આવે છે. ઘણા વર્ષોથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જામનગરના મહેમાન બનતા હોય છે. લાખોટા તળાવ તેમજ બર્ડ સેનચુરી ખાતે હજારો વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. ધોળી ડોક ઢોંકનું જામનગરમાં આગમન થયું છે. વિદેશી પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો લાખોટા તળાવની મુલાકાત લેતા હોય છે. પક્ષીઓના આગમાનને કારણે જામનગરની શોભા વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યભરના સહેલાણીઓ અભ્યારણ્ય તેમજ તળાવને જોવા આવી રહ્યા છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.