જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન, લાખોટા તળાવ અને ખીજડીયા પક્ષી અભ્યારણને બનાવ્યું પક્ષીઓએ ઘર


  • Published By :
  • Published Date : 2023-02-08 09:21:47

શિયાળા દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બનતા હોય છે. હજારોની સંખ્યામાં જામનગરમાં આવેલા લખોટા તળાવ પાસે વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. યુરોપિયન દેશોમાં કડકડતી ઠંડીથી પોતાનું રક્ષણ કરવા પક્ષીઓ સ્થાળાંતર કરે છે. જેને કારણે શિયાળાના સમયગાળા દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ સાત સમંદર પારથી અહીં ગુજરાત આવતા હોય છે. જામનગર નજીક આવેલા દરિયાકાંઠે, લાખોટા તળાવ તેમજ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય શિયાળાના સમય દરમિયાન વિદેશી પક્ષીઓનું આવાસ બની જતું હોય છે.  . 






વાતાવરણ અનુકુળ હોવાથી થાય છે પક્ષીઓનું આગમન 

ગુજરાતના જામનગર ખાતે વિદેશી પક્ષીઓ શિયાળાના સમય દરમિયાન નિવાસ કરે છે. તેનું મુખ્યકારણ છે કે આ વાતાવરણ પક્ષીઓ માટે અનુરૂપ હોય છે. લાખોટા તળાવ અને તેના આસપાસના વિસ્તારમાં પક્ષીઓને ખોરાક મળી રહે છે. અનેક દેશોમાંથી પક્ષીઓ આવતા હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સીગલ પક્ષી જામનગર ખાતે જોવા મળે છે.     




પક્ષીઓને જોવા ઉમટે છે માનવમહેરામણ  

જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ ગણવામાં આવે છે. ઘણા વર્ષોથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જામનગરના મહેમાન બનતા હોય છે. લાખોટા તળાવ તેમજ બર્ડ સેનચુરી ખાતે હજારો વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. ધોળી ડોક ઢોંકનું જામનગરમાં આગમન થયું છે. વિદેશી પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો લાખોટા તળાવની મુલાકાત લેતા હોય છે. પક્ષીઓના આગમાનને કારણે જામનગરની શોભા વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યભરના સહેલાણીઓ અભ્યારણ્ય તેમજ તળાવને જોવા આવી રહ્યા છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.