જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન, લાખોટા તળાવ અને ખીજડીયા પક્ષી અભ્યારણને બનાવ્યું પક્ષીઓએ ઘર


  • Published By :
  • Published Date : 2023-02-08 09:21:47

શિયાળા દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બનતા હોય છે. હજારોની સંખ્યામાં જામનગરમાં આવેલા લખોટા તળાવ પાસે વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. યુરોપિયન દેશોમાં કડકડતી ઠંડીથી પોતાનું રક્ષણ કરવા પક્ષીઓ સ્થાળાંતર કરે છે. જેને કારણે શિયાળાના સમયગાળા દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ સાત સમંદર પારથી અહીં ગુજરાત આવતા હોય છે. જામનગર નજીક આવેલા દરિયાકાંઠે, લાખોટા તળાવ તેમજ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય શિયાળાના સમય દરમિયાન વિદેશી પક્ષીઓનું આવાસ બની જતું હોય છે.  . 






વાતાવરણ અનુકુળ હોવાથી થાય છે પક્ષીઓનું આગમન 

ગુજરાતના જામનગર ખાતે વિદેશી પક્ષીઓ શિયાળાના સમય દરમિયાન નિવાસ કરે છે. તેનું મુખ્યકારણ છે કે આ વાતાવરણ પક્ષીઓ માટે અનુરૂપ હોય છે. લાખોટા તળાવ અને તેના આસપાસના વિસ્તારમાં પક્ષીઓને ખોરાક મળી રહે છે. અનેક દેશોમાંથી પક્ષીઓ આવતા હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સીગલ પક્ષી જામનગર ખાતે જોવા મળે છે.     




પક્ષીઓને જોવા ઉમટે છે માનવમહેરામણ  

જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ ગણવામાં આવે છે. ઘણા વર્ષોથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જામનગરના મહેમાન બનતા હોય છે. લાખોટા તળાવ તેમજ બર્ડ સેનચુરી ખાતે હજારો વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. ધોળી ડોક ઢોંકનું જામનગરમાં આગમન થયું છે. વિદેશી પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો લાખોટા તળાવની મુલાકાત લેતા હોય છે. પક્ષીઓના આગમાનને કારણે જામનગરની શોભા વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યભરના સહેલાણીઓ અભ્યારણ્ય તેમજ તળાવને જોવા આવી રહ્યા છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.