જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન, લાખોટા તળાવ અને ખીજડીયા પક્ષી અભ્યારણને બનાવ્યું પક્ષીઓએ ઘર


  • Published By :
  • Published Date : 2023-02-08 09:21:47

શિયાળા દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બનતા હોય છે. હજારોની સંખ્યામાં જામનગરમાં આવેલા લખોટા તળાવ પાસે વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. યુરોપિયન દેશોમાં કડકડતી ઠંડીથી પોતાનું રક્ષણ કરવા પક્ષીઓ સ્થાળાંતર કરે છે. જેને કારણે શિયાળાના સમયગાળા દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ સાત સમંદર પારથી અહીં ગુજરાત આવતા હોય છે. જામનગર નજીક આવેલા દરિયાકાંઠે, લાખોટા તળાવ તેમજ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય શિયાળાના સમય દરમિયાન વિદેશી પક્ષીઓનું આવાસ બની જતું હોય છે.  . 






વાતાવરણ અનુકુળ હોવાથી થાય છે પક્ષીઓનું આગમન 

ગુજરાતના જામનગર ખાતે વિદેશી પક્ષીઓ શિયાળાના સમય દરમિયાન નિવાસ કરે છે. તેનું મુખ્યકારણ છે કે આ વાતાવરણ પક્ષીઓ માટે અનુરૂપ હોય છે. લાખોટા તળાવ અને તેના આસપાસના વિસ્તારમાં પક્ષીઓને ખોરાક મળી રહે છે. અનેક દેશોમાંથી પક્ષીઓ આવતા હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સીગલ પક્ષી જામનગર ખાતે જોવા મળે છે.     




પક્ષીઓને જોવા ઉમટે છે માનવમહેરામણ  

જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ ગણવામાં આવે છે. ઘણા વર્ષોથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જામનગરના મહેમાન બનતા હોય છે. લાખોટા તળાવ તેમજ બર્ડ સેનચુરી ખાતે હજારો વિદેશી પક્ષીઓ જોવા મળતા હોય છે. ધોળી ડોક ઢોંકનું જામનગરમાં આગમન થયું છે. વિદેશી પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો લાખોટા તળાવની મુલાકાત લેતા હોય છે. પક્ષીઓના આગમાનને કારણે જામનગરની શોભા વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યભરના સહેલાણીઓ અભ્યારણ્ય તેમજ તળાવને જોવા આવી રહ્યા છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.