અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે .....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 12:41:52

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી વધુને વધુ લોકો સાથે મળીને તેમની સમસ્યાઓ ઉકેલવાના વચનો આપી રહી છે. ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 20 સપ્ટેમ્બરના રોજ વડોદરા આવશે ત્યાં તેઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યકર્મ યોજશે અને સંભાવના છે કે શિક્ષણના મુદ્દે સંવાદ કાર્યક્રમ થાય કાલ વડોદરા ખાતે ટાઉન હૉલ કાર્યક્રમનો આયોજન થશે. 

અરવિંદ કેજરીવાલ પ્રવાસ બાદ બીજા કેટલાક ઉમેદવારોની લિસ્ટ જાહેર થશે 

જ્યારે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસએ છે ત્યારે તેમનાઆ પ્રવાસ બાદ ગુજરાતની અમુક બેઠકના ઉમેદવારોના નામ પણ જાહેર થાય એવી સંભાવના છે અત્યાર સુધી આપ દ્વારા 29 ઉમેદવારના નામ જાહેર થઈ ગયા છે ત્યારે બધાને જાણવું છે કે ગોપાલ ઇટાલિયા જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તે કઈ બેઠકથી લડશે સૂત્રો ના કહ્યા મુજબ ગોપાલ ઇટાલિયા સુરતની વરાછા બેઠકથી ઊભા થઈ શકે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.