આવતીકાલથી ફરી આ બે મુખ્યમંત્રીઓ ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 20:26:36

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આવતીકાલે આમ આદમી પાર્ટી સરકારના પંજાબ અને દિલ્લીના બે મુખ્યમંત્રીઓ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને સતત ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે તેઓ ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 


શું લાગે છે આજ વખતે કેજરીવાલ કઈ બાબતે ગેરંટી આપશે?

ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ 16થી 17 સપ્ટેમ્બર દરમિયાન 3 સભાઓ ગજાવશે. આવતીકાલે બપોરના સમયે તેઓ ભાવનગરમાં પહોંચશે અને ત્યાં તેઓ જન સંબોધન કરશે. સોમવારે મહેસાણાના ઊંઝા ખાતે પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભા સંબોધશે. મહેસાણા બાદ બનાસકાંઠાના ડીસામાં બપોરે 2 કલાકે પણ સભા સંબોધન કરવામાં આવે. 


આવતીકાલે ભાજપની પણ ગૌરવયાત્રા ગુંજશે

આવતીકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભાજપના સાશનનો ગૌરવ લેવા અને લોકોને રીજવવા માટે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપની ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી ગૌરવ યાત્રા, બહુચરાજીથી માતાના મઢ સુધી, દ્વારકાથી પોરબંદર સુધી ગુજરાત ગૌરવ યાત્રા, સંત સવૈયાનાથજીથી ઝાંઝરકાની ગુજરાત ગૌરવ યાત્રા થઈ રહી છે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .