અરવિંદ કેજરીવાલએ કોંગ્રેસ અને BJP પર કર્યા આકરા પ્રહાર!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:23:31

અરવિંદ કેજરીવાલ આજે રાજકોટમાં છે ત્યાં તેમણે કોંગ્રેસ અને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વખતે માત્ર અરવિંદ કેજરીવાલ નહીં પરંતુ ભગવંત માન, રાઘવ ચઢ્ઢા પણ છે ત્રિપુટી ગુજરાતમાં એક્શન મોડમાં આવી ગઈ છે. અરવિંદ કેજરીવાલએ આજે બને પક્ષ પર પ્રહાર કર્યા તેમણે પક્ષ પલટા જેવા મુદ્દા પર વાત કરી.

 

ભાજપનો પ્લાન કેજરીવાલએ સમજાવ્યો!!!!

 

અરવિંદ કેજરીવાલએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સ્તબ્ધ થઈ ગઈ છે.  આમ આદમી પાર્ટીના વોટ તોડવા બંને પાર્ટી પ્રયત્ન કરી રહી છે તેવું કેજરીવાલએ કહ્યું તેમણે વધુમાં કહ્યું અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે કોંગ્રેસના કેટલાક નેતા ભાજપમાં જોડાવા તૈયાર છે અંગે તેમણે પાર્ટી સાથે ચર્ચા પણ કરી હતી. પરંતુ ભાજપે ના પાડી અને ત્યાં રહેવા જણાવ્યું હતું. અત્યારે પણ કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે.

 

કોંગ્રેસને ખૂબ ઓછી સીટ મળશે.

અરવિંદ કેજરીવાલએ કહ્યું કોંગ્રેસને 10થી વધુ બેઠકો નહીં મળે. અને જે જીતશે એ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય જશે. તેમણે કહ્યું અત્યાર સુધી ભાજપ સામે કોઈ વિકલ્પ નોહતી પરંતુ હવે આપ મજબૂત વિકલ્પ છે.

 

જે BJPથી નારાજ છે એ AAP પસંદ કરો – કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ભાજપ પર ટિપ્પણી કરતાં કહ્યુંકે આ પાર્ટીથી  જે જે લોકો નારાજ છે એ કોંગ્રેસને મતના આપતા હું અપીલ કરું છું આવા તમામ લોકો AAPને પસંદ કરો અને તમે કોંગ્રેસને વોટ આપી ભાજપનેન જિતાડી દેતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.