અરવિંદ કેજરીવાલએ કોંગ્રેસ અને BJP પર કર્યા આકરા પ્રહાર!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:23:31

અરવિંદ કેજરીવાલ આજે રાજકોટમાં છે ત્યાં તેમણે કોંગ્રેસ અને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વખતે માત્ર અરવિંદ કેજરીવાલ નહીં પરંતુ ભગવંત માન, રાઘવ ચઢ્ઢા પણ છે ત્રિપુટી ગુજરાતમાં એક્શન મોડમાં આવી ગઈ છે. અરવિંદ કેજરીવાલએ આજે બને પક્ષ પર પ્રહાર કર્યા તેમણે પક્ષ પલટા જેવા મુદ્દા પર વાત કરી.

 

ભાજપનો પ્લાન કેજરીવાલએ સમજાવ્યો!!!!

 

અરવિંદ કેજરીવાલએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સ્તબ્ધ થઈ ગઈ છે.  આમ આદમી પાર્ટીના વોટ તોડવા બંને પાર્ટી પ્રયત્ન કરી રહી છે તેવું કેજરીવાલએ કહ્યું તેમણે વધુમાં કહ્યું અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે કોંગ્રેસના કેટલાક નેતા ભાજપમાં જોડાવા તૈયાર છે અંગે તેમણે પાર્ટી સાથે ચર્ચા પણ કરી હતી. પરંતુ ભાજપે ના પાડી અને ત્યાં રહેવા જણાવ્યું હતું. અત્યારે પણ કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે.

 

કોંગ્રેસને ખૂબ ઓછી સીટ મળશે.

અરવિંદ કેજરીવાલએ કહ્યું કોંગ્રેસને 10થી વધુ બેઠકો નહીં મળે. અને જે જીતશે એ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય જશે. તેમણે કહ્યું અત્યાર સુધી ભાજપ સામે કોઈ વિકલ્પ નોહતી પરંતુ હવે આપ મજબૂત વિકલ્પ છે.

 

જે BJPથી નારાજ છે એ AAP પસંદ કરો – કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ભાજપ પર ટિપ્પણી કરતાં કહ્યુંકે આ પાર્ટીથી  જે જે લોકો નારાજ છે એ કોંગ્રેસને મતના આપતા હું અપીલ કરું છું આવા તમામ લોકો AAPને પસંદ કરો અને તમે કોંગ્રેસને વોટ આપી ભાજપનેન જિતાડી દેતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.