અરવિંદ કેજરીવાલએ કોંગ્રેસ અને BJP પર કર્યા આકરા પ્રહાર!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:23:31

અરવિંદ કેજરીવાલ આજે રાજકોટમાં છે ત્યાં તેમણે કોંગ્રેસ અને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વખતે માત્ર અરવિંદ કેજરીવાલ નહીં પરંતુ ભગવંત માન, રાઘવ ચઢ્ઢા પણ છે ત્રિપુટી ગુજરાતમાં એક્શન મોડમાં આવી ગઈ છે. અરવિંદ કેજરીવાલએ આજે બને પક્ષ પર પ્રહાર કર્યા તેમણે પક્ષ પલટા જેવા મુદ્દા પર વાત કરી.

 

ભાજપનો પ્લાન કેજરીવાલએ સમજાવ્યો!!!!

 

અરવિંદ કેજરીવાલએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સ્તબ્ધ થઈ ગઈ છે.  આમ આદમી પાર્ટીના વોટ તોડવા બંને પાર્ટી પ્રયત્ન કરી રહી છે તેવું કેજરીવાલએ કહ્યું તેમણે વધુમાં કહ્યું અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે કોંગ્રેસના કેટલાક નેતા ભાજપમાં જોડાવા તૈયાર છે અંગે તેમણે પાર્ટી સાથે ચર્ચા પણ કરી હતી. પરંતુ ભાજપે ના પાડી અને ત્યાં રહેવા જણાવ્યું હતું. અત્યારે પણ કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે.

 

કોંગ્રેસને ખૂબ ઓછી સીટ મળશે.

અરવિંદ કેજરીવાલએ કહ્યું કોંગ્રેસને 10થી વધુ બેઠકો નહીં મળે. અને જે જીતશે એ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય જશે. તેમણે કહ્યું અત્યાર સુધી ભાજપ સામે કોઈ વિકલ્પ નોહતી પરંતુ હવે આપ મજબૂત વિકલ્પ છે.

 

જે BJPથી નારાજ છે એ AAP પસંદ કરો – કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ભાજપ પર ટિપ્પણી કરતાં કહ્યુંકે આ પાર્ટીથી  જે જે લોકો નારાજ છે એ કોંગ્રેસને મતના આપતા હું અપીલ કરું છું આવા તમામ લોકો AAPને પસંદ કરો અને તમે કોંગ્રેસને વોટ આપી ભાજપનેન જિતાડી દેતા.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.