અરવિંદ કેજરીવાલએ કોંગ્રેસ અને BJP પર કર્યા આકરા પ્રહાર!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:23:31

અરવિંદ કેજરીવાલ આજે રાજકોટમાં છે ત્યાં તેમણે કોંગ્રેસ અને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વખતે માત્ર અરવિંદ કેજરીવાલ નહીં પરંતુ ભગવંત માન, રાઘવ ચઢ્ઢા પણ છે ત્રિપુટી ગુજરાતમાં એક્શન મોડમાં આવી ગઈ છે. અરવિંદ કેજરીવાલએ આજે બને પક્ષ પર પ્રહાર કર્યા તેમણે પક્ષ પલટા જેવા મુદ્દા પર વાત કરી.

 

ભાજપનો પ્લાન કેજરીવાલએ સમજાવ્યો!!!!

 

અરવિંદ કેજરીવાલએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સ્તબ્ધ થઈ ગઈ છે.  આમ આદમી પાર્ટીના વોટ તોડવા બંને પાર્ટી પ્રયત્ન કરી રહી છે તેવું કેજરીવાલએ કહ્યું તેમણે વધુમાં કહ્યું અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે કોંગ્રેસના કેટલાક નેતા ભાજપમાં જોડાવા તૈયાર છે અંગે તેમણે પાર્ટી સાથે ચર્ચા પણ કરી હતી. પરંતુ ભાજપે ના પાડી અને ત્યાં રહેવા જણાવ્યું હતું. અત્યારે પણ કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે.

 

કોંગ્રેસને ખૂબ ઓછી સીટ મળશે.

અરવિંદ કેજરીવાલએ કહ્યું કોંગ્રેસને 10થી વધુ બેઠકો નહીં મળે. અને જે જીતશે એ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય જશે. તેમણે કહ્યું અત્યાર સુધી ભાજપ સામે કોઈ વિકલ્પ નોહતી પરંતુ હવે આપ મજબૂત વિકલ્પ છે.

 

જે BJPથી નારાજ છે એ AAP પસંદ કરો – કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ભાજપ પર ટિપ્પણી કરતાં કહ્યુંકે આ પાર્ટીથી  જે જે લોકો નારાજ છે એ કોંગ્રેસને મતના આપતા હું અપીલ કરું છું આવા તમામ લોકો AAPને પસંદ કરો અને તમે કોંગ્રેસને વોટ આપી ભાજપનેન જિતાડી દેતા.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .