ગુજરાત સરકાર પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર !!! જાણો શું કહ્યું ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 16:27:37


ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા દરેક પક્ષ જીતવા માટે તમામ દાવ પેચ લગાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી લોકો સુધી પહોંચવા અને લોકોને રિજવવાના તમામ પ્રયાસ કરી રહી છે આજે અરવિંદ કેજરીવાલ ગુજરાતની ત્રણ અલગ અલગ જગ્યાએ ગયા હતા અને આજે અરવિંદ કેજરીવાલએ અલગ અલગ મુદ્દાઑને લઈને સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા  આ દરમિયાન ગુજરાતમાં થયેલા દેણા અંગે કેજરીવાલે કહ્યું કે, ગુજરાતનું 2.5 લાખ કરોડનું બજેટ છે, તે પૈસા ક્યાં જાય છે? જો કોઈ વસ્તુ મફતમાં આપીને નુકસાન થતું હોય તો આજ સુધી આ લોકો મફતમાં કશું જ આપતા ન હતા, તો પછી 3.50 લાખ કરોડનું નુકસાન કેવી રીતે થયું?


સરકાર પર પ્રહાર કરતાં કહ્યું દિલ્હીમાં અમારી સરકાર બની તે પહેલા અમે કહેતા હતા કે સરકાર પાસે પૈસા નથી અને દિલ્હી સરકાર ખોટમાં ચાલી રહી છે. પરંતુ અમારા આવ્યા પછી દિલ્હી સરકાર નફામાં ચાલી રહી છે અને અમે કેટલુંક મફત પણ આપીએ છીએ. આ લોકો કહે છે કે પંજાબ સરકાર ખોટમાં છે. પરંતુ અમે આવતાની સાથે જ વીજળી ફ્રી કરી દીધી છે. 20000 સરકારી નોકરીઓ બહાર પાડી. શિક્ષકોને કાયમી કર્યા. અમે રડતા નથી કે પૈસા નથી, અમે તો અમારું કામ કરતા જ રહીએ છીએ. ગુજરાતનું 2.5 લાખ કરોડનું બજેટ છે, તે પૈસા ક્યાં જાય છે? જો કોઈ વસ્તુ મફતમાં આપીને નુકસાન થતું હોય તો આજ સુધી આ લોકો મફતમાં કશું જ આપતા ન હતા, તો પછી 3.50 લાખ કરોડનું નુકસાન કેવી રીતે થયું? આ લોકો બધા પૈસા ખાય છે. અમે સાંભળ્યું છે કે ધારાસભ્યની માસિક કમાણી રૂ. 2000 હતી અને હવે તે 20000 કરોડના માલિક છે. અમે પૈસા ખાતા નથી, અમે પ્રમાણિકતાથી કામ કરીએ છીએ


"ભાજપ આપ થી ડરે છે"

આજે ભારતીય જનતા પાર્ટી માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છે. ભાજપના લોકો જે અમારા પર આરોપ લગાવી રહ્યા છે, તે સાબિત કરે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. આ લોકો કોંગ્રેસથી ડરતા નથી, આ લોકો માત્ર આમ આદમી પાર્ટીથી ડરે છે. અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે કારણ કે લોકો આમ આદમી પાર્ટી સાથે છે. અમે હંમેશા જનતાની સુવિધા માટે શિક્ષણ, આરોગ્ય, વીજળી જેવા મુદ્દાઓની વાત કરીએ છીએ તેથી ભાજપ ડરેલી છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.