આ તે કેવું વિચિત્ર! તમે કોન્ટ્રાક્ટ પર છો પણ સરકાર 27 વર્ષથી કાયમી, હવે સરકારને બેકાર કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 16:51:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રમક બન્યા છે. અરવિંદ કેજરીવાલ,ભગવંત માન અને મનિષ સિયોદિયા સહિતના નેતાઓ રાજ્યમાં જોરદાર ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. પંજાબ જીત્યા પછી આપ નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ છે. આપ નેતાઓ ભાજપના 27 વર્ષના શાસનથી સર્જાયેલી એન્ટી ઈન્ક્મન્સીનો લાભ લેવા તલપાપડ થયા છે.  અરવિંદ કેજરીવાલ,ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે કોન્ટ્રાક્ટ પર રહેલા ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ભગવંત માને ગુજરાત સરકાર પર ચાબખા વિંઝ્યા હતા. માને જણાવ્યું કે, તમે કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ છો તમને આ ભાજપ સરકાર ક્યારેય પણ છુટ્ટા કરી શકે છે. તમને ગમે ત્યારે ઘર ભેગા કરી શકે છે, પરંતુ તમે લોકો એકની એક  ભાજપ સરકારનો કોન્ટ્રાક્ટ 27 વર્ષથી રિન્યુ કરી રહ્યા છો.


ભાજપની સરકારનો કોન્ટ્રાક્ટ આ વખતે રદ્દ કરવા ભગવંત માનની અપીલ


ભાજપની સરકારનો કોન્ટ્રાક્ટ આ વખતે રદ્દ કરી દો એટલે એમને પણ ખબર પડે કે બેરોજગારી શું છે અને બેરોજગાર બેસવું પડે તો કેવું દર્દ થાય છે. તેમને પણ તમારૂ દર્દ છે તેવું દર્દ એમને આપો. જેથી એ લોકોને તમારુ દર્દ સમજી શકાય. 27 વર્ષથી ચાલી રહેલા રાજના કારણે તેમને અહંકાર આવી ગયો છે. હવે તેમને નાગરિકોની કંઇ પડી નથી. પંજાબમાં અમે તમામ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કર્યા છે અને કાયમી કરી રહ્યા છીએ.


ભાજપના શાસન કરતા તો અંગ્રેજ શાસન સારું


ગુજરાતમાં આ વખતે નાગરિકોએ ઝાડું પકડી લેવાની જરૂર છે. ભાજપના આ શાસન કરતા તો અંગ્રેજ શાસન સારુ. આ સરકાર કોઇની લોન માફ કરી રહી છે, કોઇ બેંક લુટીને જઇ રહ્યા છે. કોઇ વિદેશમાં જમીનો મકાનો ખરીદી રહ્યા છે. ગરીબોને મોંઘવારી સિવાય કાંઇ જ મળ્યું નથી. આ આઝાદી તો ભગતસિંહ નહોતા ઇચ્છતા. સરકારી શાળામાં યોગ્ય શિક્ષણ નથી મળી રહ્યું. ગરીબ બિમાર પડે તો સારવારના અભાવે લાઇનોમાં બેસી બેસીને અડધો મરી જાય છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.