Chaitar Vasavaના સમર્થનમાં Arvind Kejriwal|7મી જાન્યુઆરીએ ડેડીયાપાડામાં વિશાળ સંમેલન


  • Published By :
  • Published Date : 2023-12-26 17:03:25

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમને લઈ સમાચારો સામે આવતા રહે છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા કે ચૈતર વસાવા ભલે ગમે ત્યાં હશે પરંતુ લોકસભાની ચૂંટણી લડશે. તમામ કાર્યકર્તાઓને ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવા માટે અપીલ કરી હતી. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ ગુજરાત આવશે અને ડેડીયાપાડામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.  

પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે હતા હજારો સમર્થકો 

લોકસભા ચૂંટણીને માત્ર હવે થોડા મહિનાનો સમય બાકી છે. 2024માં ગમે ત્યારે ચૂંટણીને લઈ એલાન થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા એવી જાણકારી સામે આવી હતી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. ચૂંટણીને લઈ તૈયારી કરવા માટે પણ ચૈતર વસાવાએ સંદેશ આપ્યો છે. વન કર્મીને માર મારવા બદલ ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. એક મહિનાથી વધારે સમય સુધી તેઓ ફરાર રહ્યા હતા. પરંતુ થોડા દિવસ પહેલા તેમણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં આવી આત્મસમર્પણ કર્યું.  

ડેડીયાપાડા આવશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 

જ્યારે પોલીસ સ્ટેશને આત્મ સર્મપણ કરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા. આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા. ચૈતર વસાવા ભલે અત્યારે જેલમાં છે પરંતુ તેમને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનસમર્થન મળી રહ્યું છે ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે. ઉપરાંત ડેડીયાપાડામાં રેલીનું આયોજન પણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી