Chaitar Vasavaના સમર્થનમાં Arvind Kejriwal|7મી જાન્યુઆરીએ ડેડીયાપાડામાં વિશાળ સંમેલન


  • Published By :
  • Published Date : 2023-12-26 17:03:25

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમને લઈ સમાચારો સામે આવતા રહે છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા કે ચૈતર વસાવા ભલે ગમે ત્યાં હશે પરંતુ લોકસભાની ચૂંટણી લડશે. તમામ કાર્યકર્તાઓને ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવા માટે અપીલ કરી હતી. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ ગુજરાત આવશે અને ડેડીયાપાડામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.  

પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે હતા હજારો સમર્થકો 

લોકસભા ચૂંટણીને માત્ર હવે થોડા મહિનાનો સમય બાકી છે. 2024માં ગમે ત્યારે ચૂંટણીને લઈ એલાન થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા એવી જાણકારી સામે આવી હતી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. ચૂંટણીને લઈ તૈયારી કરવા માટે પણ ચૈતર વસાવાએ સંદેશ આપ્યો છે. વન કર્મીને માર મારવા બદલ ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી. એક મહિનાથી વધારે સમય સુધી તેઓ ફરાર રહ્યા હતા. પરંતુ થોડા દિવસ પહેલા તેમણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં આવી આત્મસમર્પણ કર્યું.  

ડેડીયાપાડા આવશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 

જ્યારે પોલીસ સ્ટેશને આત્મ સર્મપણ કરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં હાજર હતા. આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા. ચૈતર વસાવા ભલે અત્યારે જેલમાં છે પરંતુ તેમને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જનસમર્થન મળી રહ્યું છે ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવવાના છે. ઉપરાંત ડેડીયાપાડામાં રેલીનું આયોજન પણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.