CM કેજરીવાલને મળ્યું મમતાનું સમર્થન, રાજ્યસભામાં TMC કેન્દ્રના વટહુકમનો વિરોધ કરશે


  • Published By :
  • Published Date : 2023-05-23 19:47:12

દિલ્હીમાં સરકારી અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો મામલો ગરમાયો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમ સામે દેશવ્યાપી સમર્થન મેળવવાનું કરવાનું શરૂ કર્યું છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ મંગળવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. તેમની સાથે પંજાબના CM ભગવંત માન, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને મંત્રી આતિશી સિંહ પણ જોડાયા છે. AAP નેતાઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા. 


મમતાએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર


AAP નેતાઓ સાથેની મમતા બેનર્જીની મુલાકાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, કોંગ્રેસ આ સમગ્ર વિવાદથી દૂર રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર 'નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટી'ની રચના માટે એક વટહુકમ લાવી છે. આ વટહુકમને કાયદેસર બનાવવા માટે છ મહિનામાં સંસદમાંથી પસાર કરાવવું જરૂરી છે. જો કે, જો તેને છ મહિનામાં સંસદ દ્વારા પસાર કરવામાં નહીં આવે, તો આ વટહુકમ આપોઆપ સમાપ્ત થઈ જશે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ કેજરીવાલ સરકારના કેસમાં દિલ્હી સરકારના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જેમાં ચૂંટાયેલી સરકારને અધિકારીઓની બદલી-પોસ્ટિંગનો અધિકાર આપવામાં આવ્યો હતો.


'ઈગોની પણ એક હદ હોય છેઃ મમતા'


મમતા બેનર્જીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પણ અમે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સરકાર વિરુદ્ધ જે વટહુકમ લાવ્યો છે તેનો અમે વિરોધ કરીશું અને હું તમામ પક્ષોને આ અંગે એકસાથે આવવા વિનંતી કરું છું. અમે સાથે મળીને રાજ્યસભામાં ભાજપને હરાવી શકીએ છીએ. તેમણે કહ્યું, અહંકારની પણ એક મર્યાદા હોય છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે? અમને તે બાબતની હવે ચિંતા છે ક્યાક તે બંધારણ જ ન બદલી નાખે. દેશનું નામ બદલી નાખે. તેઓ દેશનું નામ પણ તેમની પાર્ટીના નામ પર રાખી દેશે. આવું ન ચાલી શકે. આજે પણ જો આપણે આ બાબત નહીં સમજીએ તો દુનિયાના લોકો આપણને માફ નહીં કરે.


'દેશને માત્ર સુપ્રીમ કોર્ટ જ બચાવી શકે છે'


મમતાએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ અને માત્ર SC જ આ દેશને બચાવી શકે છે. SCના નિર્ણય છતાં કેન્દ્ર આ વટહુકમ લાવી છે. હું તમામ પક્ષોને અપીલ કરવા માંગુ છું કે લોકસભા પહેલા ભાજપને હરાવવા માટે એક થાય. આ એક મોટી તક છે. અમારી પાર્ટી રાજ્યસભામાં વટહુકમનો વિરોધ કરશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.