CM કેજરીવાલને મળ્યું મમતાનું સમર્થન, રાજ્યસભામાં TMC કેન્દ્રના વટહુકમનો વિરોધ કરશે


  • Published By :
  • Published Date : 2023-05-23 19:47:12

દિલ્હીમાં સરકારી અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો મામલો ગરમાયો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમ સામે દેશવ્યાપી સમર્થન મેળવવાનું કરવાનું શરૂ કર્યું છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ મંગળવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. તેમની સાથે પંજાબના CM ભગવંત માન, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને મંત્રી આતિશી સિંહ પણ જોડાયા છે. AAP નેતાઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા. 


મમતાએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર


AAP નેતાઓ સાથેની મમતા બેનર્જીની મુલાકાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, કોંગ્રેસ આ સમગ્ર વિવાદથી દૂર રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર 'નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટી'ની રચના માટે એક વટહુકમ લાવી છે. આ વટહુકમને કાયદેસર બનાવવા માટે છ મહિનામાં સંસદમાંથી પસાર કરાવવું જરૂરી છે. જો કે, જો તેને છ મહિનામાં સંસદ દ્વારા પસાર કરવામાં નહીં આવે, તો આ વટહુકમ આપોઆપ સમાપ્ત થઈ જશે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ કેજરીવાલ સરકારના કેસમાં દિલ્હી સરકારના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જેમાં ચૂંટાયેલી સરકારને અધિકારીઓની બદલી-પોસ્ટિંગનો અધિકાર આપવામાં આવ્યો હતો.


'ઈગોની પણ એક હદ હોય છેઃ મમતા'


મમતા બેનર્જીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પણ અમે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સરકાર વિરુદ્ધ જે વટહુકમ લાવ્યો છે તેનો અમે વિરોધ કરીશું અને હું તમામ પક્ષોને આ અંગે એકસાથે આવવા વિનંતી કરું છું. અમે સાથે મળીને રાજ્યસભામાં ભાજપને હરાવી શકીએ છીએ. તેમણે કહ્યું, અહંકારની પણ એક મર્યાદા હોય છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે? અમને તે બાબતની હવે ચિંતા છે ક્યાક તે બંધારણ જ ન બદલી નાખે. દેશનું નામ બદલી નાખે. તેઓ દેશનું નામ પણ તેમની પાર્ટીના નામ પર રાખી દેશે. આવું ન ચાલી શકે. આજે પણ જો આપણે આ બાબત નહીં સમજીએ તો દુનિયાના લોકો આપણને માફ નહીં કરે.


'દેશને માત્ર સુપ્રીમ કોર્ટ જ બચાવી શકે છે'


મમતાએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ અને માત્ર SC જ આ દેશને બચાવી શકે છે. SCના નિર્ણય છતાં કેન્દ્ર આ વટહુકમ લાવી છે. હું તમામ પક્ષોને અપીલ કરવા માંગુ છું કે લોકસભા પહેલા ભાજપને હરાવવા માટે એક થાય. આ એક મોટી તક છે. અમારી પાર્ટી રાજ્યસભામાં વટહુકમનો વિરોધ કરશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.