સુરતમાં ગણપતિ બાપ્પાના શરણે અરવિંદ કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:47:40



અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે રાજકોટ, દ્વારકા અને સુરેન્દ્રનગર સહિતની જગ્યાઓ જગ્યા પર સભાઓ યોજી હતી. અરવિંદ કેજરીવાલે સુરતના સીમાડા નાકાના 'આપ કા રાજા' ગણપતિ પંડાલ ખાતે ગણપતિ બાપ્પાની મહાઆરતીમાં ભાગ લીધો હતો. 



અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલે પોરબંદર ખાતે આગમન થયું હતું. દ્વારકાથી અરવિંદ કેજરીવાલે દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. દ્વારકામાં અરવિંદ કેજરીવાલે સભા સંબોધી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન અનેક વાયદાઓ પણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલે ગઈકાલે ખેડૂતો માટે લોન માફી અને ટેકાના ભાવ મામલે 6 ગેરંટી આપી હતી. 


આજે અરવિંદ કેજરીવાલે રાજકોટના નીલ સિટી સેન્ટ્રલ રિસોર્ટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજકોટમાં ડોર ટુ ડોર કેમ્પેઈન કરી અરવિંદ કેજરીવાલે વીજળીના કાર્ડનું વિતરણ કર્યું હતું. રાજકોટથી સુરેન્દ્રનગર જઈ અરવિંદ કેજરીવાલે સરપંચો સાથે ટાઉનહોલ મીટિંગ કરી હતી.   


ગોપાલ ઈટાલિયા સામે થયેલી ફરિયાદ મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી કાયરોની પાર્ટી છે. અમે ઈમાનદાર પાર્ટી છીએ અને દેશના ભલા માટે કામ કરીએ છીએ. હજુ તો ભાજપ ઈડી અને સીબીઆઈ પણ બોલાવશે અને અમને હેરાન કરશે."



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.