સુરતમાં ગણપતિ બાપ્પાના શરણે અરવિંદ કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:47:40



અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે રાજકોટ, દ્વારકા અને સુરેન્દ્રનગર સહિતની જગ્યાઓ જગ્યા પર સભાઓ યોજી હતી. અરવિંદ કેજરીવાલે સુરતના સીમાડા નાકાના 'આપ કા રાજા' ગણપતિ પંડાલ ખાતે ગણપતિ બાપ્પાની મહાઆરતીમાં ભાગ લીધો હતો. 



અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલે પોરબંદર ખાતે આગમન થયું હતું. દ્વારકાથી અરવિંદ કેજરીવાલે દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા. દ્વારકામાં અરવિંદ કેજરીવાલે સભા સંબોધી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન અનેક વાયદાઓ પણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલે ગઈકાલે ખેડૂતો માટે લોન માફી અને ટેકાના ભાવ મામલે 6 ગેરંટી આપી હતી. 


આજે અરવિંદ કેજરીવાલે રાજકોટના નીલ સિટી સેન્ટ્રલ રિસોર્ટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજકોટમાં ડોર ટુ ડોર કેમ્પેઈન કરી અરવિંદ કેજરીવાલે વીજળીના કાર્ડનું વિતરણ કર્યું હતું. રાજકોટથી સુરેન્દ્રનગર જઈ અરવિંદ કેજરીવાલે સરપંચો સાથે ટાઉનહોલ મીટિંગ કરી હતી.   


ગોપાલ ઈટાલિયા સામે થયેલી ફરિયાદ મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી કાયરોની પાર્ટી છે. અમે ઈમાનદાર પાર્ટી છીએ અને દેશના ભલા માટે કામ કરીએ છીએ. હજુ તો ભાજપ ઈડી અને સીબીઆઈ પણ બોલાવશે અને અમને હેરાન કરશે."



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .