કેજરીવાલ બેરોજગારો સાથે પણ બેરોજગારો કેજરીવાલ સાથે કેટલા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 20:49:48

ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકિય પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે. વિધાન સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. કેજરીવાલે રાજ્યના બેરોજગારોને રાહત આપતા 10 લાખ સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. કેજરીવાલની આ જાહેરાતથી ભાજપ સહિત કોંગ્રેસ પણ બચાવની સ્થિતીમાં આવી ગઈ છે.


યુવાનોને આકર્ષવાનો માસ્ટર સ્ટ્રોક


કેજરીવાલે ભાજપને જોરદાર ટક્કર આપવા જાહેરાત કરી કે ગુજરાતમાં તેમની સરકાર બનશે તો તેઓ અહીં 10 લાખ સરકારી નોકરીઓ આપશે. આ ઉપરાંત રાજ્યના બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયાનુ ભથ્થુ પણ આપવામાં આવશે. તેમના આ મોટા વચનોથી રાજ્યના હજારો યુવાનો કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયા છે. તેમની રોજગાર ગેરંટી યોજનાથી પ્રભાવિત થઈને સામત ગઢવી જેવા યુવાનો આપમાં જોડાઈ રહ્યા છે. એક સમયે યુવરાજ સિંહ જેવા યુવાનો સરકારી ભરતીઓમાં થતી ગેરરિતીઓને બહાર લાવી સરકાર સામે આંદોલન કરી રહ્યા હતા. હવે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈને રોજગાર ગેરંટી યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા યુવાનોને આકર્ષવામાં કેટલી સફળ રહે છે તે ચુંટણી પરિણામો આવ્યા બાદ જ જાણી શકાશે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .