કેજરીવાલ બેરોજગારો સાથે પણ બેરોજગારો કેજરીવાલ સાથે કેટલા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 20:49:48

ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકિય પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે. વિધાન સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. કેજરીવાલે રાજ્યના બેરોજગારોને રાહત આપતા 10 લાખ સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. કેજરીવાલની આ જાહેરાતથી ભાજપ સહિત કોંગ્રેસ પણ બચાવની સ્થિતીમાં આવી ગઈ છે.


યુવાનોને આકર્ષવાનો માસ્ટર સ્ટ્રોક


કેજરીવાલે ભાજપને જોરદાર ટક્કર આપવા જાહેરાત કરી કે ગુજરાતમાં તેમની સરકાર બનશે તો તેઓ અહીં 10 લાખ સરકારી નોકરીઓ આપશે. આ ઉપરાંત રાજ્યના બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયાનુ ભથ્થુ પણ આપવામાં આવશે. તેમના આ મોટા વચનોથી રાજ્યના હજારો યુવાનો કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયા છે. તેમની રોજગાર ગેરંટી યોજનાથી પ્રભાવિત થઈને સામત ગઢવી જેવા યુવાનો આપમાં જોડાઈ રહ્યા છે. એક સમયે યુવરાજ સિંહ જેવા યુવાનો સરકારી ભરતીઓમાં થતી ગેરરિતીઓને બહાર લાવી સરકાર સામે આંદોલન કરી રહ્યા હતા. હવે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈને રોજગાર ગેરંટી યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા યુવાનોને આકર્ષવામાં કેટલી સફળ રહે છે તે ચુંટણી પરિણામો આવ્યા બાદ જ જાણી શકાશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.