કેજરીવાલ બેરોજગારો સાથે પણ બેરોજગારો કેજરીવાલ સાથે કેટલા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 20:49:48

ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકિય પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે. વિધાન સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. કેજરીવાલે રાજ્યના બેરોજગારોને રાહત આપતા 10 લાખ સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. કેજરીવાલની આ જાહેરાતથી ભાજપ સહિત કોંગ્રેસ પણ બચાવની સ્થિતીમાં આવી ગઈ છે.


યુવાનોને આકર્ષવાનો માસ્ટર સ્ટ્રોક


કેજરીવાલે ભાજપને જોરદાર ટક્કર આપવા જાહેરાત કરી કે ગુજરાતમાં તેમની સરકાર બનશે તો તેઓ અહીં 10 લાખ સરકારી નોકરીઓ આપશે. આ ઉપરાંત રાજ્યના બેરોજગારોને દર મહિને 3,000 રૂપિયાનુ ભથ્થુ પણ આપવામાં આવશે. તેમના આ મોટા વચનોથી રાજ્યના હજારો યુવાનો કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયા છે. તેમની રોજગાર ગેરંટી યોજનાથી પ્રભાવિત થઈને સામત ગઢવી જેવા યુવાનો આપમાં જોડાઈ રહ્યા છે. એક સમયે યુવરાજ સિંહ જેવા યુવાનો સરકારી ભરતીઓમાં થતી ગેરરિતીઓને બહાર લાવી સરકાર સામે આંદોલન કરી રહ્યા હતા. હવે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈને રોજગાર ગેરંટી યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા યુવાનોને આકર્ષવામાં કેટલી સફળ રહે છે તે ચુંટણી પરિણામો આવ્યા બાદ જ જાણી શકાશે.




આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.