ચૂંટણી ટાણે ધર્મઆધારીત રાજનિતી શરૂ, રાજ્યમાં ‘કેજરીવાલ ગો બેક’, ‘હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ’ના પોસ્ટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 16:14:20


વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. આજથી આપના નેતા અરવિંદ કેજરીવાલે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે વડોદરામાં કેજરીવાલનો વિરોધ થયો અને રસ્તા પર ‘કેજરીવાલ ગો બેક’લખવામાં આવ્યું છે. 


વડોદરાના માર્ગો‘કેજરીવાલ ગો બેક’ લખાયું


અરવિંદ કેજરીવાલના આજે વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. વડોદરા શહેરમાં કેજરીવાલની તિરંગા યાત્રા યોજાઈ હતી. જો કે કેજરીવાલની યાત્રાના માર્ગ પર ‘કેજરીવાલ ગો બેક’ અને ” હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ” લખી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


AAP સામે પોસ્ટર વોર શરૂ


ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન વિકાસની વાતો હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે. રાજ્યમાં ધર્મઆધારીત રાજનિતી શરૂ થઈ ગઈ છે. હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવા માટે કેજરીવાલની મુસ્લીમ ટોપી પહેરોલા પોલ્ટર ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. લોકો પણ રોડ,રસ્તા, આરોગ્ય,શિક્ષણ અને મોંઘવારી જેવી સમસ્યાઓ ભૂલીને મતદાન કરે છે આ બાબત સારી રીતે જાણતો રાજકીય પક્ષ હવે ધર્મને મુદ્દો બનાવી રહ્યા છે. આજ સવારથી જ ગુજરાતમાં પોસ્ટર યુદ્ધ શરૂ ચૂક્યું છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજ સવારથી જ લગાવવામાં આવેલા પોસ્ટરો દ્વારા કેજરીવાલ હિન્દુ વિરોધી છે તે સિધ્ધ કરવાનું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે