ચૂંટણી ટાણે ધર્મઆધારીત રાજનિતી શરૂ, રાજ્યમાં ‘કેજરીવાલ ગો બેક’, ‘હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ’ના પોસ્ટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 16:14:20


વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. આજથી આપના નેતા અરવિંદ કેજરીવાલે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે વડોદરામાં કેજરીવાલનો વિરોધ થયો અને રસ્તા પર ‘કેજરીવાલ ગો બેક’લખવામાં આવ્યું છે. 


વડોદરાના માર્ગો‘કેજરીવાલ ગો બેક’ લખાયું


અરવિંદ કેજરીવાલના આજે વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. વડોદરા શહેરમાં કેજરીવાલની તિરંગા યાત્રા યોજાઈ હતી. જો કે કેજરીવાલની યાત્રાના માર્ગ પર ‘કેજરીવાલ ગો બેક’ અને ” હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ” લખી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


AAP સામે પોસ્ટર વોર શરૂ


ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન વિકાસની વાતો હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે. રાજ્યમાં ધર્મઆધારીત રાજનિતી શરૂ થઈ ગઈ છે. હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવા માટે કેજરીવાલની મુસ્લીમ ટોપી પહેરોલા પોલ્ટર ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. લોકો પણ રોડ,રસ્તા, આરોગ્ય,શિક્ષણ અને મોંઘવારી જેવી સમસ્યાઓ ભૂલીને મતદાન કરે છે આ બાબત સારી રીતે જાણતો રાજકીય પક્ષ હવે ધર્મને મુદ્દો બનાવી રહ્યા છે. આજ સવારથી જ ગુજરાતમાં પોસ્ટર યુદ્ધ શરૂ ચૂક્યું છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજ સવારથી જ લગાવવામાં આવેલા પોસ્ટરો દ્વારા કેજરીવાલ હિન્દુ વિરોધી છે તે સિધ્ધ કરવાનું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.