ચૂંટણી ટાણે ધર્મઆધારીત રાજનિતી શરૂ, રાજ્યમાં ‘કેજરીવાલ ગો બેક’, ‘હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ’ના પોસ્ટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 16:14:20


વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. આજથી આપના નેતા અરવિંદ કેજરીવાલે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે વડોદરામાં કેજરીવાલનો વિરોધ થયો અને રસ્તા પર ‘કેજરીવાલ ગો બેક’લખવામાં આવ્યું છે. 


વડોદરાના માર્ગો‘કેજરીવાલ ગો બેક’ લખાયું


અરવિંદ કેજરીવાલના આજે વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. વડોદરા શહેરમાં કેજરીવાલની તિરંગા યાત્રા યોજાઈ હતી. જો કે કેજરીવાલની યાત્રાના માર્ગ પર ‘કેજરીવાલ ગો બેક’ અને ” હિન્દુ વિરોધી કેજરીવાલ પાછા જાઓ” લખી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


AAP સામે પોસ્ટર વોર શરૂ


ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન વિકાસની વાતો હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે. રાજ્યમાં ધર્મઆધારીત રાજનિતી શરૂ થઈ ગઈ છે. હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવા માટે કેજરીવાલની મુસ્લીમ ટોપી પહેરોલા પોલ્ટર ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. લોકો પણ રોડ,રસ્તા, આરોગ્ય,શિક્ષણ અને મોંઘવારી જેવી સમસ્યાઓ ભૂલીને મતદાન કરે છે આ બાબત સારી રીતે જાણતો રાજકીય પક્ષ હવે ધર્મને મુદ્દો બનાવી રહ્યા છે. આજ સવારથી જ ગુજરાતમાં પોસ્ટર યુદ્ધ શરૂ ચૂક્યું છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજ સવારથી જ લગાવવામાં આવેલા પોસ્ટરો દ્વારા કેજરીવાલ હિન્દુ વિરોધી છે તે સિધ્ધ કરવાનું છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .