નેત્રંગમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, ચૈતર વસાવા ભરૂચ લોકસભા સીટ માટે AAPના ઉમેદવાર જાહેર


  • Published By :
  • Published Date : 2024-01-07 17:36:46

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે નેત્રંગ ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જનસભામાં અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને અને તેમના પત્ની શકુંતલાબેનને ખોટા કેસોમાં જેલમાં મોકલવામાં આવ્યા છે, આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, તથા યુવરાજ સિંહ જાડેતા સહિતના અગ્રણી નેતાઓએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. 


શું કહ્યું કેજરીવાલે?


વિશાળ જનસભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, હું ચૈતરભાઈ વસાવાને મળવા માટે ગુજરાત આવ્યો છું અને આવતીકાલે તેમને મળવા માટે રાજપીપળા જેલમાં જઈ રહ્યો છું. ચૈતરભાઈ વસાવા મારા નાના ભાઈ જેવો છે. મને આજે એ વાતનું સૌથી વધુ દુઃખ લાગી રહ્યું છે કે આજે ચૈતર વસાવાના પત્ની પણ જેલમાં છે. આ લોકોએ સમાજની વહુને પણ જેલમાં મોકલ્યા છે અને આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. શું આદિવાસી સમાજ આ અપમાનનો બદલો લેશે કે નહીં? જુના જમાનામાં ડાકુ આવતા પરંતુ તેઓ ક્યારેય પણ ગામની બહેન દીકરીઓને હાથ નહોતા લગાડતા. પરંતુ આ ભાજપના લોકો ડાકુઓ કરતા પણ બદતર છે. હું આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા માંગુ છું કે, આવનારી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે. અમે ચૈતરભાઈ અને તેમના પત્ની માટે મોટા મોટા વકીલ રાખ્યા છે અને 20 તારીખના રોજ શકુંતલાબેનની બેલની અરજી સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવશે. ત્યારબાદ ઝડપથી ચૈતરભાઈને પણ બહાર નીકળવામાં આવશે. પરંતુ જો તેમને ષડયંત્ર કરીને જેલમાં જ રાખવામાં આવ્યા, તો તમામ લોકોની એ જવાબદારી છે કે ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવામાં આવે. આદિવાસી સમાજના લોકોએ આ ચૂંટણી લડવી પડશે અને ચૈતરભાઈનો ફોટો લઈને ઘરે ઘરે જવું પડશે. આ ચૂંટણી તમે ચૈતરભાઇ માટે નથી લડવા જઈ રહ્યા, પરંતુ તમારે તમારા માટે અને આદિવાસી સમાજના ભવિષ્ય માટે આ ચૂંટણી લડવાની છે. ચૈતર ભાઈ વસાવાને દિલ્હીની સંસદમાં મોકલવાના છે. 


ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે  જેલમાં ગયા-ભગવંત માન 


ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ગુજરાત પધારેલા આમ આદમી પાર્ટીના અને પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમે એક એવા વ્યક્તિના સમર્થન આવ્યા છીએ જેઓ આદિવાસી સમાજ માટે લડાઈ લડતા લડતા જેલમાં ગયા છે અને જેલમાંથી પણ એક ચિઠ્ઠી મોકલીને તેમણે સાબિત કર્યું છે કે તેમનો હોંસલો બુલંદ છે. ત્રણ "જ" આદિવાસી સમાજના છે, જળ જંગલ અને જમીન. અને એક આદિવાસી ખેડૂતની જમીન છીનવા માટે જ્યારે કેટલાક લોકો આવ્યા ત્યારે ચૈતરભાઈ તે ખેડૂતના સમર્થનમાં ઊભા થઈ ગયા હતા. એટલા માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. આજે ચૈતરભાઈના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. હું તમામ લોકોને કહેવા માગું છું કે બસ થોડા સમયમાં જ ચૈતરભાઇ વસાવા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.