નેત્રંગમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, ચૈતર વસાવા ભરૂચ લોકસભા સીટ માટે AAPના ઉમેદવાર જાહેર


  • Published By :
  • Published Date : 2024-01-07 17:36:46

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે નેત્રંગ ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જનસભામાં અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને અને તેમના પત્ની શકુંતલાબેનને ખોટા કેસોમાં જેલમાં મોકલવામાં આવ્યા છે, આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, તથા યુવરાજ સિંહ જાડેતા સહિતના અગ્રણી નેતાઓએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. 


શું કહ્યું કેજરીવાલે?


વિશાળ જનસભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, હું ચૈતરભાઈ વસાવાને મળવા માટે ગુજરાત આવ્યો છું અને આવતીકાલે તેમને મળવા માટે રાજપીપળા જેલમાં જઈ રહ્યો છું. ચૈતરભાઈ વસાવા મારા નાના ભાઈ જેવો છે. મને આજે એ વાતનું સૌથી વધુ દુઃખ લાગી રહ્યું છે કે આજે ચૈતર વસાવાના પત્ની પણ જેલમાં છે. આ લોકોએ સમાજની વહુને પણ જેલમાં મોકલ્યા છે અને આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. શું આદિવાસી સમાજ આ અપમાનનો બદલો લેશે કે નહીં? જુના જમાનામાં ડાકુ આવતા પરંતુ તેઓ ક્યારેય પણ ગામની બહેન દીકરીઓને હાથ નહોતા લગાડતા. પરંતુ આ ભાજપના લોકો ડાકુઓ કરતા પણ બદતર છે. હું આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા માંગુ છું કે, આવનારી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે. અમે ચૈતરભાઈ અને તેમના પત્ની માટે મોટા મોટા વકીલ રાખ્યા છે અને 20 તારીખના રોજ શકુંતલાબેનની બેલની અરજી સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવશે. ત્યારબાદ ઝડપથી ચૈતરભાઈને પણ બહાર નીકળવામાં આવશે. પરંતુ જો તેમને ષડયંત્ર કરીને જેલમાં જ રાખવામાં આવ્યા, તો તમામ લોકોની એ જવાબદારી છે કે ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવામાં આવે. આદિવાસી સમાજના લોકોએ આ ચૂંટણી લડવી પડશે અને ચૈતરભાઈનો ફોટો લઈને ઘરે ઘરે જવું પડશે. આ ચૂંટણી તમે ચૈતરભાઇ માટે નથી લડવા જઈ રહ્યા, પરંતુ તમારે તમારા માટે અને આદિવાસી સમાજના ભવિષ્ય માટે આ ચૂંટણી લડવાની છે. ચૈતર ભાઈ વસાવાને દિલ્હીની સંસદમાં મોકલવાના છે. 


ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે  જેલમાં ગયા-ભગવંત માન 


ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ગુજરાત પધારેલા આમ આદમી પાર્ટીના અને પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અમે એક એવા વ્યક્તિના સમર્થન આવ્યા છીએ જેઓ આદિવાસી સમાજ માટે લડાઈ લડતા લડતા જેલમાં ગયા છે અને જેલમાંથી પણ એક ચિઠ્ઠી મોકલીને તેમણે સાબિત કર્યું છે કે તેમનો હોંસલો બુલંદ છે. ત્રણ "જ" આદિવાસી સમાજના છે, જળ જંગલ અને જમીન. અને એક આદિવાસી ખેડૂતની જમીન છીનવા માટે જ્યારે કેટલાક લોકો આવ્યા ત્યારે ચૈતરભાઈ તે ખેડૂતના સમર્થનમાં ઊભા થઈ ગયા હતા. એટલા માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. આજે ચૈતરભાઈના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. હું તમામ લોકોને કહેવા માગું છું કે બસ થોડા સમયમાં જ ચૈતરભાઇ વસાવા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થશે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે