ચૂંટણી જીતવા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:21:25

જૂની પેન્શન યોજના ફરી લાગૂ કરવા કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. એક બાદ એક વિભાગના અધિકારીઓ ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે. આ પરિસ્થિતિનો લાભ રાજકીય પાર્ટીઓ લઈ રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે છે. પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં જો આપની સરકાર આવશે તો ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવશે.


ગુજરાતમાં આપને મોકો આપવા તેમણે કરી અપીલ

પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે સત્તામાં આમ આદમી પાર્ટીને લાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઈચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય.


કેજરીવાલે ભાજપને ગણાવી અહંકારી 

કેજરીવાલે વધુમાં કહ્યું સરકારી કર્મચારી દુ:ખી છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત, નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું. 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય. આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે.



કેજરીવાલે યાદ અપાવ્યા વચનો 

કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે વીજળી મફત આપીશું. સરકારી સ્કુલ વધુ સારી આપીશું. આ વચનનો તેમને વિરોધ છે. કેજરીવાલ ચોર છે ભ્રષ્ટારી છે તેઓ કહી રહ્યા છે. આંદોલન કરી રહેલા આંદોલનકારીઓના  તમામ મુદ્દાનું  અમે સમાધાન કરીશું. એરપોર્ટ પર મોદી મોદીના નારા લાગ્યા. 30, 40 લોકોએ મારી સામે મોદીના નારા લગાવ્યા. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી-મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા લાગે છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે