ચૂંટણી જીતવા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:21:25

જૂની પેન્શન યોજના ફરી લાગૂ કરવા કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. એક બાદ એક વિભાગના અધિકારીઓ ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે. આ પરિસ્થિતિનો લાભ રાજકીય પાર્ટીઓ લઈ રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે છે. પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં જો આપની સરકાર આવશે તો ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવશે.


ગુજરાતમાં આપને મોકો આપવા તેમણે કરી અપીલ

પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે સત્તામાં આમ આદમી પાર્ટીને લાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઈચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય.


કેજરીવાલે ભાજપને ગણાવી અહંકારી 

કેજરીવાલે વધુમાં કહ્યું સરકારી કર્મચારી દુ:ખી છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત, નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું. 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય. આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે.



કેજરીવાલે યાદ અપાવ્યા વચનો 

કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે વીજળી મફત આપીશું. સરકારી સ્કુલ વધુ સારી આપીશું. આ વચનનો તેમને વિરોધ છે. કેજરીવાલ ચોર છે ભ્રષ્ટારી છે તેઓ કહી રહ્યા છે. આંદોલન કરી રહેલા આંદોલનકારીઓના  તમામ મુદ્દાનું  અમે સમાધાન કરીશું. એરપોર્ટ પર મોદી મોદીના નારા લાગ્યા. 30, 40 લોકોએ મારી સામે મોદીના નારા લગાવ્યા. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી-મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા લાગે છે.      



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .