ચૂંટણી જીતવા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:21:25

જૂની પેન્શન યોજના ફરી લાગૂ કરવા કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. એક બાદ એક વિભાગના અધિકારીઓ ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે. આ પરિસ્થિતિનો લાભ રાજકીય પાર્ટીઓ લઈ રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે છે. પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં જો આપની સરકાર આવશે તો ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવશે.


ગુજરાતમાં આપને મોકો આપવા તેમણે કરી અપીલ

પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે સત્તામાં આમ આદમી પાર્ટીને લાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઈચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય.


કેજરીવાલે ભાજપને ગણાવી અહંકારી 

કેજરીવાલે વધુમાં કહ્યું સરકારી કર્મચારી દુ:ખી છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત, નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું. 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય. આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે.



કેજરીવાલે યાદ અપાવ્યા વચનો 

કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે વીજળી મફત આપીશું. સરકારી સ્કુલ વધુ સારી આપીશું. આ વચનનો તેમને વિરોધ છે. કેજરીવાલ ચોર છે ભ્રષ્ટારી છે તેઓ કહી રહ્યા છે. આંદોલન કરી રહેલા આંદોલનકારીઓના  તમામ મુદ્દાનું  અમે સમાધાન કરીશું. એરપોર્ટ પર મોદી મોદીના નારા લાગ્યા. 30, 40 લોકોએ મારી સામે મોદીના નારા લગાવ્યા. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી-મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા લાગે છે.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.