ગુજરાતની રાજનીતિ ગરમાઈ, રિક્ષા ચાલકો સાથે અરવિંદ કેજરીવાલનો સંવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:16:47

ગુજરાતની રાજનીતિમાં આ વખતે ત્રી-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય આ વખતે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પોતાની વોટ બેંકને વધારવા રાજકીય પાર્ટી સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરી રહી છે. રેલી, યાત્રા, સભાઓ તેમજ સંવાદ થકી મતદારોને રિઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે આ વખતે રિક્ષા-ચાલકો તેમજ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો.

કેજરીવાલે અપનાવી નવી રણનીતિ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. મતદારોને આકર્ષવા માટે  વાયદા વચનો આપવામાં આવે છે. પ્રચાર માટે દર વખતે નવી નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આપે આ વખતે રિક્ષા ચાલકોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વૈષ્ણોદેવી સર્કલ પાસે રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીને બહાને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. પોતાના સંવાદ દરમિયાન કેજરીવાલને એક રિક્ષા ચાલકે પોતાના ઘરે જમવા આમંત્રણ આપ્યું. આમંત્રણ નો સ્વીકાર કરી સાંજે કેજરીવાલ રિક્ષા ચાલક વિક્રમ દંતાણીને ત્યાં ભોજન કરવા જશે.

ભાજપ પર કર્યા આકરા પ્રહાર

પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું ભાજપ એક શક્તિશાળી પાર્ટી છે, તેણે આખા દેશને ડરાવ્યો છે. અમારી સાથે લોકો છે, બધા લોકો ફોન કાઢી મારી સ્પીચ રેકોર્ડ કરી વોટ્સએપ પર શેર કરે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. શું ભાજપના મુખ્યમંત્રીએ ક્યારેય તમારી સાથે રૂબરૂ વાત કરી છે કે ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લીધુ છે? પોતાના સંવાદમાં એક રિક્ષા ચાલકે તેમને પોતાની ઘરે આમંત્રણ આપ્યું છે જેનો તેમણે  સ્વીકાર કર્યો છે.

સંવાદમાં આપ્યા અનેક વચનો

પોતાના સંવાદ દરમિયાન કેજરીવાલે રિક્ષા ચાલકોને વચન આપ્યું છે કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો રીક્ષા ચાલકોના સંતાનો માટે શાળા બનાવવામાં આવશે. આ ઉપરાંત બીમારીમાં પણ તેમને 10 લાખ સુધીની ફ્રી સારવાર આપવામાં આવશે. ઉપરાંત મહિલાઓના ખાતામાં દરમહિને એક હજાર રૂપિયા આપવાની વાત કહી છે.

હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા

કેજરીવાલના નવા દાવ પર પ્રહારો શરૂ થઈ ગયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કેજરીવાલ પર પ્રહાર કર્યા છે.

 

આ વખતે જનતા વાયદાઓથી કેટલી પ્રભાવિત થશે અને કોને મત આપશે તેતો આવનારો સમય જ બતાવશે.  




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .