ગુજરાતની રાજનીતિ ગરમાઈ, રિક્ષા ચાલકો સાથે અરવિંદ કેજરીવાલનો સંવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:16:47

ગુજરાતની રાજનીતિમાં આ વખતે ત્રી-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય આ વખતે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પોતાની વોટ બેંકને વધારવા રાજકીય પાર્ટી સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરી રહી છે. રેલી, યાત્રા, સભાઓ તેમજ સંવાદ થકી મતદારોને રિઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે આ વખતે રિક્ષા-ચાલકો તેમજ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો.

કેજરીવાલે અપનાવી નવી રણનીતિ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. મતદારોને આકર્ષવા માટે  વાયદા વચનો આપવામાં આવે છે. પ્રચાર માટે દર વખતે નવી નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આપે આ વખતે રિક્ષા ચાલકોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વૈષ્ણોદેવી સર્કલ પાસે રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીને બહાને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. પોતાના સંવાદ દરમિયાન કેજરીવાલને એક રિક્ષા ચાલકે પોતાના ઘરે જમવા આમંત્રણ આપ્યું. આમંત્રણ નો સ્વીકાર કરી સાંજે કેજરીવાલ રિક્ષા ચાલક વિક્રમ દંતાણીને ત્યાં ભોજન કરવા જશે.

ભાજપ પર કર્યા આકરા પ્રહાર

પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું ભાજપ એક શક્તિશાળી પાર્ટી છે, તેણે આખા દેશને ડરાવ્યો છે. અમારી સાથે લોકો છે, બધા લોકો ફોન કાઢી મારી સ્પીચ રેકોર્ડ કરી વોટ્સએપ પર શેર કરે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. શું ભાજપના મુખ્યમંત્રીએ ક્યારેય તમારી સાથે રૂબરૂ વાત કરી છે કે ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લીધુ છે? પોતાના સંવાદમાં એક રિક્ષા ચાલકે તેમને પોતાની ઘરે આમંત્રણ આપ્યું છે જેનો તેમણે  સ્વીકાર કર્યો છે.

સંવાદમાં આપ્યા અનેક વચનો

પોતાના સંવાદ દરમિયાન કેજરીવાલે રિક્ષા ચાલકોને વચન આપ્યું છે કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો રીક્ષા ચાલકોના સંતાનો માટે શાળા બનાવવામાં આવશે. આ ઉપરાંત બીમારીમાં પણ તેમને 10 લાખ સુધીની ફ્રી સારવાર આપવામાં આવશે. ઉપરાંત મહિલાઓના ખાતામાં દરમહિને એક હજાર રૂપિયા આપવાની વાત કહી છે.

હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા

કેજરીવાલના નવા દાવ પર પ્રહારો શરૂ થઈ ગયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કેજરીવાલ પર પ્રહાર કર્યા છે.

 

આ વખતે જનતા વાયદાઓથી કેટલી પ્રભાવિત થશે અને કોને મત આપશે તેતો આવનારો સમય જ બતાવશે.  




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"