ગુજરાતની રાજનીતિ ગરમાઈ, રિક્ષા ચાલકો સાથે અરવિંદ કેજરીવાલનો સંવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:16:47

ગુજરાતની રાજનીતિમાં આ વખતે ત્રી-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય આ વખતે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પોતાની વોટ બેંકને વધારવા રાજકીય પાર્ટી સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરી રહી છે. રેલી, યાત્રા, સભાઓ તેમજ સંવાદ થકી મતદારોને રિઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે આ વખતે રિક્ષા-ચાલકો તેમજ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો.

કેજરીવાલે અપનાવી નવી રણનીતિ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. મતદારોને આકર્ષવા માટે  વાયદા વચનો આપવામાં આવે છે. પ્રચાર માટે દર વખતે નવી નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આપે આ વખતે રિક્ષા ચાલકોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વૈષ્ણોદેવી સર્કલ પાસે રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીને બહાને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. પોતાના સંવાદ દરમિયાન કેજરીવાલને એક રિક્ષા ચાલકે પોતાના ઘરે જમવા આમંત્રણ આપ્યું. આમંત્રણ નો સ્વીકાર કરી સાંજે કેજરીવાલ રિક્ષા ચાલક વિક્રમ દંતાણીને ત્યાં ભોજન કરવા જશે.

ભાજપ પર કર્યા આકરા પ્રહાર

પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું ભાજપ એક શક્તિશાળી પાર્ટી છે, તેણે આખા દેશને ડરાવ્યો છે. અમારી સાથે લોકો છે, બધા લોકો ફોન કાઢી મારી સ્પીચ રેકોર્ડ કરી વોટ્સએપ પર શેર કરે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. શું ભાજપના મુખ્યમંત્રીએ ક્યારેય તમારી સાથે રૂબરૂ વાત કરી છે કે ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લીધુ છે? પોતાના સંવાદમાં એક રિક્ષા ચાલકે તેમને પોતાની ઘરે આમંત્રણ આપ્યું છે જેનો તેમણે  સ્વીકાર કર્યો છે.

સંવાદમાં આપ્યા અનેક વચનો

પોતાના સંવાદ દરમિયાન કેજરીવાલે રિક્ષા ચાલકોને વચન આપ્યું છે કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો રીક્ષા ચાલકોના સંતાનો માટે શાળા બનાવવામાં આવશે. આ ઉપરાંત બીમારીમાં પણ તેમને 10 લાખ સુધીની ફ્રી સારવાર આપવામાં આવશે. ઉપરાંત મહિલાઓના ખાતામાં દરમહિને એક હજાર રૂપિયા આપવાની વાત કહી છે.

હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા

કેજરીવાલના નવા દાવ પર પ્રહારો શરૂ થઈ ગયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કેજરીવાલ પર પ્રહાર કર્યા છે.

 

આ વખતે જનતા વાયદાઓથી કેટલી પ્રભાવિત થશે અને કોને મત આપશે તેતો આવનારો સમય જ બતાવશે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.