ગુજરાતની રાજનીતિ ગરમાઈ, રિક્ષા ચાલકો સાથે અરવિંદ કેજરીવાલનો સંવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:16:47

ગુજરાતની રાજનીતિમાં આ વખતે ત્રી-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ સિવાય આ વખતે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પોતાની વોટ બેંકને વધારવા રાજકીય પાર્ટી સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરી રહી છે. રેલી, યાત્રા, સભાઓ તેમજ સંવાદ થકી મતદારોને રિઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે આ વખતે રિક્ષા-ચાલકો તેમજ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો.

કેજરીવાલે અપનાવી નવી રણનીતિ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. મતદારોને આકર્ષવા માટે  વાયદા વચનો આપવામાં આવે છે. પ્રચાર માટે દર વખતે નવી નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આપે આ વખતે રિક્ષા ચાલકોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વૈષ્ણોદેવી સર્કલ પાસે રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીને બહાને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. પોતાના સંવાદ દરમિયાન કેજરીવાલને એક રિક્ષા ચાલકે પોતાના ઘરે જમવા આમંત્રણ આપ્યું. આમંત્રણ નો સ્વીકાર કરી સાંજે કેજરીવાલ રિક્ષા ચાલક વિક્રમ દંતાણીને ત્યાં ભોજન કરવા જશે.

ભાજપ પર કર્યા આકરા પ્રહાર

પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું ભાજપ એક શક્તિશાળી પાર્ટી છે, તેણે આખા દેશને ડરાવ્યો છે. અમારી સાથે લોકો છે, બધા લોકો ફોન કાઢી મારી સ્પીચ રેકોર્ડ કરી વોટ્સએપ પર શેર કરે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. શું ભાજપના મુખ્યમંત્રીએ ક્યારેય તમારી સાથે રૂબરૂ વાત કરી છે કે ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લીધુ છે? પોતાના સંવાદમાં એક રિક્ષા ચાલકે તેમને પોતાની ઘરે આમંત્રણ આપ્યું છે જેનો તેમણે  સ્વીકાર કર્યો છે.

સંવાદમાં આપ્યા અનેક વચનો

પોતાના સંવાદ દરમિયાન કેજરીવાલે રિક્ષા ચાલકોને વચન આપ્યું છે કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો રીક્ષા ચાલકોના સંતાનો માટે શાળા બનાવવામાં આવશે. આ ઉપરાંત બીમારીમાં પણ તેમને 10 લાખ સુધીની ફ્રી સારવાર આપવામાં આવશે. ઉપરાંત મહિલાઓના ખાતામાં દરમહિને એક હજાર રૂપિયા આપવાની વાત કહી છે.

હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા

કેજરીવાલના નવા દાવ પર પ્રહારો શરૂ થઈ ગયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કેજરીવાલ પર પ્રહાર કર્યા છે.

 

આ વખતે જનતા વાયદાઓથી કેટલી પ્રભાવિત થશે અને કોને મત આપશે તેતો આવનારો સમય જ બતાવશે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.