અરવિંદ કેજરીવાલએ ભ્રષ્ટાચારીઓ પર સાધ્યો નિશાનો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-30 17:27:32

ગુજરાત વિધાનસભા ચૂંટણી પેહલા અરવિંદ કેજરીવાલ ગુજરાત ના પ્રવાસ કરી રહ્યા છે આજે કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુ સોલંકી અને પાટીદારના દિગ્ગજ અલ્પેશ કથીરિયાને પણ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારીઓના મોઢામાં હાથ નાખી રૂપિયા કાઢાવવાનો હુંકાર કર્યો છે. તો બીજી બાજુ કેજરીવાલે ગુજરાતી ભાષામાં બોલતા કહ્યું કે ગુજરાતીઓ તમે ચિંતા ન કરો તમારો ભાઈ આવી ગયો છે. આની સાથે તેમણે જનતાને મોંઘવારીથી બચાવવા માટે પણ વાયદો કર્યો હતો.


કેજરીવાલએ  ભ્રષ્ટાચાર વિષે શું કહ્યું ?

કેજરીવાલે વિવિધ ધારાસભ્યોએ આચરેલા ભ્રષ્ટાચારના કિસ્સાઓ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવા ધારાસભ્યો પર અમારી ચાપતી નજર રહેલી છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું અને જે લોકોએ ગેરરીતિથી રૂપિયાની કમાણી કરી છે. તેમના મોઢામાં હાથ નાખીને બધા રૂપિયા બહાર કઢાવીશું. ગુજરાતમાં ભ્રષ્ટાચાર આચરેલા નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


"હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો ભાઈ આવી ગયો છે" – અરવિંદ કેજરીવાલ



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"