કેજરીવાલના ઊંઝા પ્રવાસ પહેલા વિરોધ, મંદિરમાં પ્રવેશવા ન દેવા હિંદુ સંગઠન મક્કમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 20:39:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજયના વિવિધ ભાગોમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.  કેજરીવાલ આવતીકાલે 17 ઓક્ટોબરે ઊંઝાનો પ્રવાસ કરશે. જો કે આ તેમની ઉંઝા મુલાકાત પહેલા વધુ એક વિવાદ સામે આવ્યો છે. 


કેજરીવાલને ઉમિયા મંદિરમાં પ્રવેશ નહીં આપવા માગ


અરવિંદ કેજરીવાલને ઉમિયા માતાજી મંદિરમાં પ્રવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા  ઉમિયા માતાજી સંસ્થાનને લેખિત પત્ર આપીને મંદિરમાં પ્રવેશ નહીં આપવા માગ કરવામાં આવી હતી..મંદિરને રાજકીય અખાડો ન બનાવીને સરભરા નહીં કરવા માંગણી કરી હતી. પત્રમાં AAPના મંત્રીઓ અને નેતાઓ હિન્દુ દેવી દેવતામાં આસ્થા નહીં રાખતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પત્ર કોણે લખ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઇ નથી.આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે મંદિરમાં પ્રવેશ મુદ્દે ઉમિયા માતાજી સંસ્થાનને શું નિર્ણય લીધો તે જાણી શકાયું નથી.


AAP નેતા ગોપાલ ઈટાલીયા રાજેન્દ્ર પાલ ગૌતમને લઈ થયો હતો વિવાદ


અત્રે ઉલ્લખેનીય છે કે દિલ્લીના પૂર્વ મંત્રી અને AAP નેતા રાજેન્દ્ર પાલ ગૌતમની ધર્માંતરણના કાર્યક્રમમાં હાજરી અને હિન્દૂ દેવી-દેવતામાં આસ્થા નહીં રાખવાના શપથને કારણે આમ આદમી પાર્ટી અને કેજરીવાલની છબી ખરડાઈ છે. આ ઉપરાંત ગોપાલ ઈટાલીયાનો પણ એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેણે કહ્યું  હતું કે મહિલાઓએ મંદિરમાં અને કથામાં ન જવું જોઈએ, કેમ કે ત્યાં મહિલાઓનું શોષણ થાય છે.આ બે બાબતોને કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.