કેજરીવાલના ઊંઝા પ્રવાસ પહેલા વિરોધ, મંદિરમાં પ્રવેશવા ન દેવા હિંદુ સંગઠન મક્કમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 20:39:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજયના વિવિધ ભાગોમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.  કેજરીવાલ આવતીકાલે 17 ઓક્ટોબરે ઊંઝાનો પ્રવાસ કરશે. જો કે આ તેમની ઉંઝા મુલાકાત પહેલા વધુ એક વિવાદ સામે આવ્યો છે. 


કેજરીવાલને ઉમિયા મંદિરમાં પ્રવેશ નહીં આપવા માગ


અરવિંદ કેજરીવાલને ઉમિયા માતાજી મંદિરમાં પ્રવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા  ઉમિયા માતાજી સંસ્થાનને લેખિત પત્ર આપીને મંદિરમાં પ્રવેશ નહીં આપવા માગ કરવામાં આવી હતી..મંદિરને રાજકીય અખાડો ન બનાવીને સરભરા નહીં કરવા માંગણી કરી હતી. પત્રમાં AAPના મંત્રીઓ અને નેતાઓ હિન્દુ દેવી દેવતામાં આસ્થા નહીં રાખતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પત્ર કોણે લખ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઇ નથી.આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે મંદિરમાં પ્રવેશ મુદ્દે ઉમિયા માતાજી સંસ્થાનને શું નિર્ણય લીધો તે જાણી શકાયું નથી.


AAP નેતા ગોપાલ ઈટાલીયા રાજેન્દ્ર પાલ ગૌતમને લઈ થયો હતો વિવાદ


અત્રે ઉલ્લખેનીય છે કે દિલ્લીના પૂર્વ મંત્રી અને AAP નેતા રાજેન્દ્ર પાલ ગૌતમની ધર્માંતરણના કાર્યક્રમમાં હાજરી અને હિન્દૂ દેવી-દેવતામાં આસ્થા નહીં રાખવાના શપથને કારણે આમ આદમી પાર્ટી અને કેજરીવાલની છબી ખરડાઈ છે. આ ઉપરાંત ગોપાલ ઈટાલીયાનો પણ એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેણે કહ્યું  હતું કે મહિલાઓએ મંદિરમાં અને કથામાં ન જવું જોઈએ, કેમ કે ત્યાં મહિલાઓનું શોષણ થાય છે.આ બે બાબતોને કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે