જંતર-મંતર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે જનસંબોધન, પીએમ મોદી વિરૂદ્ધ લાગેલા પોસ્ટરને લઈ કરાયેલી કાર્યવાહીનો આપ કરશે વિરોધ!


  • Published By :
  • Published Date : 2023-03-23 10:18:30

દિલ્હીમાં અનેક જગ્યાઓ પર વડાપ્રધાન મોદી વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. અનેક જગ્યાઓ પર મોદી હટાઓ દેશ બચાવોના પોસ્ટરો લાગતા રાજનીતિ ગરમાઈ હતી. દિલ્હી પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી છે ઉપરાંત અનેક લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિરૂદ્ધ આમ આદમી પાર્ટી ગુરૂવારે જંતર મંતર ખાતે વિરોધ કરવાના છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેવાના છે.

  

પોસ્ટરને લઈ સરકાર પર કરાઈ રહ્યા છે પ્રહાર 

મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટર લાગતા દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આવા પોસ્ટરો લાગતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અનેક લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોસ્ટરને લઈ વિપક્ષે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. 

જંતર-મંતર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે જનસભા   

આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે 6 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અનેક લોકો સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આજે ગુરૂવારે જંતર-મંતર ખાતે સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જનસભા સંબોધિત કરવાના છે. આ જનસભા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના વિરૂદ્ધમાં કરવામાં આવી રહી છે.


સમગ્ર દેશમાં ચલાવાશે મોદી હટાઓ દેશ બચાવો અભિયાન 

દિલ્હી સરકારના મંત્રી અને આપના નેતા ગોપાલ રાયના જણાવ્યા અનુસાર આ જનસભામાં પાર્ટીના તમામ વિધાયકો, સાંસદ, પદાધિકારી ઉપસ્થિત રહેશે. ઉપરાંત મંચ પરથી મોદી હટાવો દેશ બચાવોના નારા પણ લગાવવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ રાયે જણાવ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હી પોલીસની કાર્યવાહીથી નથી ડરતી. એવી પણ જાહેરાત કરવામાં આવી કે ગુરૂવારથી સમગ્ર દેશમાં મોદી હટાઓ દેશ બચાઓ અભિયાન શરૂ કરવામાં આવશે. અને આ નારાને 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી સુધી લઈને જવામાં આવશે.  

       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.