જંતર-મંતર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે જનસંબોધન, પીએમ મોદી વિરૂદ્ધ લાગેલા પોસ્ટરને લઈ કરાયેલી કાર્યવાહીનો આપ કરશે વિરોધ!


  • Published By :
  • Published Date : 2023-03-23 10:18:30

દિલ્હીમાં અનેક જગ્યાઓ પર વડાપ્રધાન મોદી વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. અનેક જગ્યાઓ પર મોદી હટાઓ દેશ બચાવોના પોસ્ટરો લાગતા રાજનીતિ ગરમાઈ હતી. દિલ્હી પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી છે ઉપરાંત અનેક લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિરૂદ્ધ આમ આદમી પાર્ટી ગુરૂવારે જંતર મંતર ખાતે વિરોધ કરવાના છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેવાના છે.

  

પોસ્ટરને લઈ સરકાર પર કરાઈ રહ્યા છે પ્રહાર 

મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટર લાગતા દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આવા પોસ્ટરો લાગતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અનેક લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોસ્ટરને લઈ વિપક્ષે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. 

જંતર-મંતર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે જનસભા   

આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે 6 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અનેક લોકો સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આજે ગુરૂવારે જંતર-મંતર ખાતે સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જનસભા સંબોધિત કરવાના છે. આ જનસભા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના વિરૂદ્ધમાં કરવામાં આવી રહી છે.


સમગ્ર દેશમાં ચલાવાશે મોદી હટાઓ દેશ બચાવો અભિયાન 

દિલ્હી સરકારના મંત્રી અને આપના નેતા ગોપાલ રાયના જણાવ્યા અનુસાર આ જનસભામાં પાર્ટીના તમામ વિધાયકો, સાંસદ, પદાધિકારી ઉપસ્થિત રહેશે. ઉપરાંત મંચ પરથી મોદી હટાવો દેશ બચાવોના નારા પણ લગાવવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ રાયે જણાવ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હી પોલીસની કાર્યવાહીથી નથી ડરતી. એવી પણ જાહેરાત કરવામાં આવી કે ગુરૂવારથી સમગ્ર દેશમાં મોદી હટાઓ દેશ બચાઓ અભિયાન શરૂ કરવામાં આવશે. અને આ નારાને 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી સુધી લઈને જવામાં આવશે.  

       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.