જંતર-મંતર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે જનસંબોધન, પીએમ મોદી વિરૂદ્ધ લાગેલા પોસ્ટરને લઈ કરાયેલી કાર્યવાહીનો આપ કરશે વિરોધ!


  • Published By :
  • Published Date : 2023-03-23 10:18:30

દિલ્હીમાં અનેક જગ્યાઓ પર વડાપ્રધાન મોદી વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. અનેક જગ્યાઓ પર મોદી હટાઓ દેશ બચાવોના પોસ્ટરો લાગતા રાજનીતિ ગરમાઈ હતી. દિલ્હી પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી છે ઉપરાંત અનેક લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિરૂદ્ધ આમ આદમી પાર્ટી ગુરૂવારે જંતર મંતર ખાતે વિરોધ કરવાના છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેવાના છે.

  

પોસ્ટરને લઈ સરકાર પર કરાઈ રહ્યા છે પ્રહાર 

મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટર લાગતા દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આવા પોસ્ટરો લાગતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અનેક લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોસ્ટરને લઈ વિપક્ષે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. 

જંતર-મંતર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે જનસભા   

આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે 6 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉપરાંત અનેક લોકો સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આજે ગુરૂવારે જંતર-મંતર ખાતે સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જનસભા સંબોધિત કરવાના છે. આ જનસભા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના વિરૂદ્ધમાં કરવામાં આવી રહી છે.


સમગ્ર દેશમાં ચલાવાશે મોદી હટાઓ દેશ બચાવો અભિયાન 

દિલ્હી સરકારના મંત્રી અને આપના નેતા ગોપાલ રાયના જણાવ્યા અનુસાર આ જનસભામાં પાર્ટીના તમામ વિધાયકો, સાંસદ, પદાધિકારી ઉપસ્થિત રહેશે. ઉપરાંત મંચ પરથી મોદી હટાવો દેશ બચાવોના નારા પણ લગાવવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ રાયે જણાવ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હી પોલીસની કાર્યવાહીથી નથી ડરતી. એવી પણ જાહેરાત કરવામાં આવી કે ગુરૂવારથી સમગ્ર દેશમાં મોદી હટાઓ દેશ બચાઓ અભિયાન શરૂ કરવામાં આવશે. અને આ નારાને 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી સુધી લઈને જવામાં આવશે.  

       



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.