અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 13:21:09

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ગુજરાત ના પ્રવાસ પર આવી રહ્યા છે . અરવિંદ કજરીવાલ આ વખતે અમદાવાદ માં 2 દિવસ માટે આવી રહ્યા છે . તેઓ 12 અને 13 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદ ના પ્રવાસએ હશે . આજે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે અને અમદાવાદ રાત્રિ રોકાણ કરશે . 

Congress not in picture in Gujarat: Arvind Kejriwal - The Hindu


ચુંટણી ને લઈ ને ‘આપ’ સક્રિય 

સોમવારે અરવિંદ કેજરીવાલ રિક્ષાચાલકો , વકીલો , સફાઈકર્મચારી અને વેપારિયો સાથે સંવાદ કરશે અને 13 સપ્ટેમ્બરના રોજ  અરવિંદ કેજરીવાલ કઈ નવી ગેરંટી જનતાને આપશે . ઉપરાંત જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત ના પ્રવાસએ છે ત્યારે તેમની હાજરી માં આપ માં કેટલાક નવા જોઇનિંગ પણ થસે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર લડવાની તૈયારી કરી લીધી છે જેને લઈને કેજરીવાલના ગુજરાતના આંટાફેરા વધ્યા છે. એમ તો વિધાનસભા ની ચુંટણી ને હવે ગણતરી ના મહિનાઓ બાકી છે ત્યારે રાજકીય પક્ષ ના નેતાઓ એક બાદ એક ગુજરાત ના પ્રવાસએ આવી રહ્યા છે . આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પુરેપુરી સક્રિય જોવા મળી રહી છે. ત્યારે આ ચુંટણી માં દ્વિપક્ષીય નહીં પરંતુ ત્રિપક્ષીય જંગ જોવા  મળશે. 

Ahead of Gujarat polls, Arvind Kejriwal promises 24x7 power supply, jobs |  Latest News India - Hindustan Times


કેજરીવાલની ગેરંટીઓ 

ImageImage

ગુજરાતના મતદારોને લુભાવવા માટે કેજરીવાલ ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થુ, ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને વચનોની લ્હાણી કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કેજરીવાલ, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ અને વેપારીઓને વિવિધ ગેરંટી આપી ચુકેલા કેજરીવાલે તેમની ગત ગુજરાત મુલાકાત વખતે ખેડૂતો માટે જાહેરાત કરી હતી. ત્યારે ફરી આ વખતે પણ તેઓ ગુજરાત ની જનતાને એક નવી ગેરંટી આપશે તેવું આપ ના નેતા ઇસુદાન ગઢવી એ જાહેર કરિયું છે .


https://youtu.be/U7XNdKVo79w



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..