અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 13:21:09

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ગુજરાત ના પ્રવાસ પર આવી રહ્યા છે . અરવિંદ કજરીવાલ આ વખતે અમદાવાદ માં 2 દિવસ માટે આવી રહ્યા છે . તેઓ 12 અને 13 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદ ના પ્રવાસએ હશે . આજે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે અને અમદાવાદ રાત્રિ રોકાણ કરશે . 

Congress not in picture in Gujarat: Arvind Kejriwal - The Hindu


ચુંટણી ને લઈ ને ‘આપ’ સક્રિય 

સોમવારે અરવિંદ કેજરીવાલ રિક્ષાચાલકો , વકીલો , સફાઈકર્મચારી અને વેપારિયો સાથે સંવાદ કરશે અને 13 સપ્ટેમ્બરના રોજ  અરવિંદ કેજરીવાલ કઈ નવી ગેરંટી જનતાને આપશે . ઉપરાંત જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત ના પ્રવાસએ છે ત્યારે તેમની હાજરી માં આપ માં કેટલાક નવા જોઇનિંગ પણ થસે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર લડવાની તૈયારી કરી લીધી છે જેને લઈને કેજરીવાલના ગુજરાતના આંટાફેરા વધ્યા છે. એમ તો વિધાનસભા ની ચુંટણી ને હવે ગણતરી ના મહિનાઓ બાકી છે ત્યારે રાજકીય પક્ષ ના નેતાઓ એક બાદ એક ગુજરાત ના પ્રવાસએ આવી રહ્યા છે . આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પુરેપુરી સક્રિય જોવા મળી રહી છે. ત્યારે આ ચુંટણી માં દ્વિપક્ષીય નહીં પરંતુ ત્રિપક્ષીય જંગ જોવા  મળશે. 

Ahead of Gujarat polls, Arvind Kejriwal promises 24x7 power supply, jobs |  Latest News India - Hindustan Times


કેજરીવાલની ગેરંટીઓ 

ImageImage

ગુજરાતના મતદારોને લુભાવવા માટે કેજરીવાલ ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થુ, ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને વચનોની લ્હાણી કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કેજરીવાલ, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ અને વેપારીઓને વિવિધ ગેરંટી આપી ચુકેલા કેજરીવાલે તેમની ગત ગુજરાત મુલાકાત વખતે ખેડૂતો માટે જાહેરાત કરી હતી. ત્યારે ફરી આ વખતે પણ તેઓ ગુજરાત ની જનતાને એક નવી ગેરંટી આપશે તેવું આપ ના નેતા ઇસુદાન ગઢવી એ જાહેર કરિયું છે .


https://youtu.be/U7XNdKVo79w



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.