માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી આ તારીખે વિધિવત્ત રીતે થશે ભાજપના, ભાજપમાં જોડાયા પછી કરશે ભાજપના ગુણગાન!


  • Published By :
  • Published Date : 2024-03-11 16:28:32

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, કાર્યકર્તાઓ પોતાની પાર્ટીનો સાથ છોડી કેસરિયો ધારણ કરી રહ્યા છે. કોંગ્રેસ, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ઉપરાંત પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં 14 માર્ચે જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે. 14 માર્ચે તે કેસરિયો ધારણ કરવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમણે પોતાના પક્ષમાંથી તેમજ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. મહત્વનું છે કે આની પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપરૂપી ગંગામાં પવિત્ર થવા માટે ડૂબકી લગાવી દીધી છે. 


ધારાસભ્યો રાજીનામું આપી કરી રહ્યા છે કેસરિયો ધારણ!

ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. દરેક મતદાતાએ પોતાના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યને મત આપી જીતાડી દીધા. મતદાતા જ્યારે મતદાન કરતા હોય છે ત્યારે તે વિચારતા હોય છે કે તેમણે આ પક્ષના ધારાસભ્યને જીતાડ્યા છે અને આગામી પાંચ વર્ષ સુધી તે જ તેમના ધારાસભ્ય રહેશે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને પક્ષપલટો કરી રહ્યા છે. થોડા સમયથી આવા સમાચાર આવવા સામાન્ય બની ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ અપક્ષના ધારાસભ્યો પોતાના પદને છોડી જઈ રહ્યા છે. 



અરવિંદ લાડાણી 14 માર્ચે ભાજપમાં જોડાશે

ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. આજે મહેશ વસાવા અને મહેશ પટેલ ભાજપમાં જોડાયા હતા અને 14 માર્ચે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કેસરિયો ધારણ કરવાના છે તેવી માહિતી સામે આવી છે. અરવિંદ લાડાણીએ જ્યારે પોતાનું પદ છોડ્યું તે બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે મતદાતાઓએ તેમને પ્રેશર આપ્યું અને તે બાદ તેમણે પોતાનું પદ છોડ્યું. થોડા સમય પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા તેમજ અંબરીશ ડેર સહિત હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે જ્યારે કોઈ ધારાસભ્ય પોતાના પદને છોડે છે ત્યારે તે પોતાના મતદાતાઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે. 

     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.