માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી આ તારીખે વિધિવત્ત રીતે થશે ભાજપના, ભાજપમાં જોડાયા પછી કરશે ભાજપના ગુણગાન!


  • Published By :
  • Published Date : 2024-03-11 16:28:32

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, કાર્યકર્તાઓ પોતાની પાર્ટીનો સાથ છોડી કેસરિયો ધારણ કરી રહ્યા છે. કોંગ્રેસ, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ઉપરાંત પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં 14 માર્ચે જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે. 14 માર્ચે તે કેસરિયો ધારણ કરવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમણે પોતાના પક્ષમાંથી તેમજ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. મહત્વનું છે કે આની પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપરૂપી ગંગામાં પવિત્ર થવા માટે ડૂબકી લગાવી દીધી છે. 


ધારાસભ્યો રાજીનામું આપી કરી રહ્યા છે કેસરિયો ધારણ!

ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. દરેક મતદાતાએ પોતાના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યને મત આપી જીતાડી દીધા. મતદાતા જ્યારે મતદાન કરતા હોય છે ત્યારે તે વિચારતા હોય છે કે તેમણે આ પક્ષના ધારાસભ્યને જીતાડ્યા છે અને આગામી પાંચ વર્ષ સુધી તે જ તેમના ધારાસભ્ય રહેશે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને પક્ષપલટો કરી રહ્યા છે. થોડા સમયથી આવા સમાચાર આવવા સામાન્ય બની ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ અપક્ષના ધારાસભ્યો પોતાના પદને છોડી જઈ રહ્યા છે. 



અરવિંદ લાડાણી 14 માર્ચે ભાજપમાં જોડાશે

ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. આજે મહેશ વસાવા અને મહેશ પટેલ ભાજપમાં જોડાયા હતા અને 14 માર્ચે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કેસરિયો ધારણ કરવાના છે તેવી માહિતી સામે આવી છે. અરવિંદ લાડાણીએ જ્યારે પોતાનું પદ છોડ્યું તે બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે મતદાતાઓએ તેમને પ્રેશર આપ્યું અને તે બાદ તેમણે પોતાનું પદ છોડ્યું. થોડા સમય પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા તેમજ અંબરીશ ડેર સહિત હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે જ્યારે કોઈ ધારાસભ્ય પોતાના પદને છોડે છે ત્યારે તે પોતાના મતદાતાઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે. 

     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.