આર્યન નહેરાની એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, વિજય નહેરાએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-04-14 15:55:05

આઈએએસ અધિકારી વિજય નહેરા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વિજય નહેરા અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ વખતે તેમનું નામ તેમના પુત્ર આર્યનને કારણે ચર્ચામાં આવ્યું છે. વિજય નહેરાના પુત્રની પસંદગી એશિયન ગેમ્સમાં થઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ લેનાર આર્યન સપ્ટેમ્બરમાં ચાઈનામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવાના છે.

વિજય નહેરાએ ટ્વિટર પર આપી હતી જાણકારી 

એશિયન ગેમ્સમાં આર્યનની પસંદગી થઈ છે તે અંગેની માહિતી વિજય નહેરાએ આપી હતી. પોતાના ટ્વિટરમાં તેમણે લખ્યું કે મહેનતનું ફળ મીઠું હોય છે. પરંતુ કોઈ વખત આ ઈન્તઝાર લાંબો પણ હોઈ શકે છે. 10 વર્ષની મહેનત બાદ એક રેસ જેણે બધું બદલી દીધું. આર્યન એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયન્શિપ બંને માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. મહત્વનું છે કે ચીનમાં સપ્ટેમ્બર મહિનામાં એશિયન ગેમ્સનો પ્રારંભ થવાનો છે. જેમાં એશિયાના વિવિધ દેશોના રમતવિરો ભાગ લેવાના છે. આ કોમ્પિટિશનમાં અલગ અલગ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા ખેલાડીઓને મોકો આપવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે