આર્યન નહેરાની એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, વિજય નહેરાએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-04-14 15:55:05

આઈએએસ અધિકારી વિજય નહેરા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વિજય નહેરા અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ વખતે તેમનું નામ તેમના પુત્ર આર્યનને કારણે ચર્ચામાં આવ્યું છે. વિજય નહેરાના પુત્રની પસંદગી એશિયન ગેમ્સમાં થઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ લેનાર આર્યન સપ્ટેમ્બરમાં ચાઈનામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવાના છે.

વિજય નહેરાએ ટ્વિટર પર આપી હતી જાણકારી 

એશિયન ગેમ્સમાં આર્યનની પસંદગી થઈ છે તે અંગેની માહિતી વિજય નહેરાએ આપી હતી. પોતાના ટ્વિટરમાં તેમણે લખ્યું કે મહેનતનું ફળ મીઠું હોય છે. પરંતુ કોઈ વખત આ ઈન્તઝાર લાંબો પણ હોઈ શકે છે. 10 વર્ષની મહેનત બાદ એક રેસ જેણે બધું બદલી દીધું. આર્યન એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયન્શિપ બંને માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. મહત્વનું છે કે ચીનમાં સપ્ટેમ્બર મહિનામાં એશિયન ગેમ્સનો પ્રારંભ થવાનો છે. જેમાં એશિયાના વિવિધ દેશોના રમતવિરો ભાગ લેવાના છે. આ કોમ્પિટિશનમાં અલગ અલગ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા ખેલાડીઓને મોકો આપવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.