આર્યન નહેરાની એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ, વિજય નહેરાએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-04-14 15:55:05

આઈએએસ અધિકારી વિજય નહેરા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. વિજય નહેરા અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ વખતે તેમનું નામ તેમના પુત્ર આર્યનને કારણે ચર્ચામાં આવ્યું છે. વિજય નહેરાના પુત્રની પસંદગી એશિયન ગેમ્સમાં થઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ લેનાર આર્યન સપ્ટેમ્બરમાં ચાઈનામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવાના છે.

વિજય નહેરાએ ટ્વિટર પર આપી હતી જાણકારી 

એશિયન ગેમ્સમાં આર્યનની પસંદગી થઈ છે તે અંગેની માહિતી વિજય નહેરાએ આપી હતી. પોતાના ટ્વિટરમાં તેમણે લખ્યું કે મહેનતનું ફળ મીઠું હોય છે. પરંતુ કોઈ વખત આ ઈન્તઝાર લાંબો પણ હોઈ શકે છે. 10 વર્ષની મહેનત બાદ એક રેસ જેણે બધું બદલી દીધું. આર્યન એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયન્શિપ બંને માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. મહત્વનું છે કે ચીનમાં સપ્ટેમ્બર મહિનામાં એશિયન ગેમ્સનો પ્રારંભ થવાનો છે. જેમાં એશિયાના વિવિધ દેશોના રમતવિરો ભાગ લેવાના છે. આ કોમ્પિટિશનમાં અલગ અલગ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા ખેલાડીઓને મોકો આપવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે