ભાદરવી પૂનમ નજીક આવતા અંબાજી મંદિર ભક્તિના રંગમાં રંગાયું, ચાચર ચોકમાં ભક્તોએ કર્યા ગરબા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-22 11:08:06

ભાદરવી પૂનમ દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોટી જનમેદની ઉમટતી હોય છે. અનેક માઈભક્તો એવા હોય છે જે પગપાળા યાત્રા કરી માતાજીના મંદિરે પહોંચતા હોય છે. રસ્તામાં અનેક સુવિધા, રાહત શિબિરોની વ્યવસ્થા કરવામાં આવે છે. ભાદરવી પૂનમના મેળાને લઈ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. અંબાજી મંદિર દ્વારા અનેક માઈભક્તોના વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. એ વીડિયોમાં માતાજી સમક્ષ ભક્તો ગરબા કરી રહ્યા છે. ચાચર ચોકમાં માતાજીના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. અનેક ગરબાઓમાં પારંપારિક લોકનૃત્યની ઝાંખી પણ જોવા મળે છે. 

ભાદરવી પૂનમને લઈ મંદિરમાં ઉમટી જનમેદની 

"બોલ મારી અંબે જય જય અંબે"... ના નાદથી અંબાજી મંદિર થોડા દિવસો બાદ ગુંજી ઉઠવાનું છે. અંબાજી મંદિર તરફ જતા રસ્તાઓ પર તો આ નાદ સંભળાય છે પરંતુ ચાચર ચોકમાં પણ ભક્તો પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં દર્શન કરવા મોટી જનમેદની ઉમટતી હોય છે. લાખો ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. અલગ અલગ જગ્યાઓ પરથી માઈ ભક્તો અંબાજી મંદિર પહોંચતા હોય છે. લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. અંબાજી મંદિરમાં સામાન્ય રીતે પણ ભીડ રહેતી હોય છે પરંતુ પૂનમના દિવસે અનેક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં માઈભક્તો ચાચર ચોકમાં ગરબે ઘૂમી રહ્યા છે. 


મંદિરના સમયમાં કરાયો છે ફેરફાર!

ભાદરવી પૂનમને ધ્યાનમાં રાખી મંદિરના ટાઈમિંગમાં પણ ફેરફાર કરવામાં  આવ્યો છે. ભાદરવી પૂનમને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતી 6.00થી 6.30 કલાકે, 6.30થી 11.30 કલાક, રાજભોગના દર્શન બપોરે 12 વાગ્યે થશે. બપોરે 12.30થી 5.0 કલાક દરમિયાન દર્શનનો સમય રહેશે. સાંજની આરતી 7.00થી 7.30 કલાક સુધીનો છે.    


લોકમેળાને લઈ કરાયું વિશેષ આયોજન 

ભાદરવી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અનેક જગ્યાઓથી પગપાળા સંઘો શક્તિપીઠ અંબાજી તરફ જતા હોય છે. 23થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમના દિવસે માઈમંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટતી હોય છે. ખાસ કરીને શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં  જનમેદની જોવા મળતી હોય છે. ભાદરવી પૂનમનો મેળો ગુજરાતમાં યોજાતા લોકમેળાઓમાનો એક પ્રખ્યાત લોકમેળો. લોકમેળાને લઈને મંદિર તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેળા દરમિયાન  ભક્તોના ઘસારાને ધ્યાનમાં રાખી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે લોકમેળો 

શક્તિપીઠોમાં દર્શન કરવાનો મહત્વ તો અનેરો હોય છે. પરંતુ જો તે દર્શન પૂનમના દિવસે અથવા તો નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો તેનો મહિમા વિશેષ થઈ જાય છે તેવું ભક્તો સામાન્ય રીતે માનતા હોય છે. નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ ઉમટતી હોય છે. ત્યારે ભાદરવી પૂનમ દરમિયાન ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં મેળો ભરાય છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે. અનેક શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ પણ કાઢતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમ પહેલા મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.