ભાદરવી પૂનમ નજીક આવતા અંબાજી મંદિર ભક્તિના રંગમાં રંગાયું, ચાચર ચોકમાં ભક્તોએ કર્યા ગરબા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-22 11:08:06

ભાદરવી પૂનમ દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોટી જનમેદની ઉમટતી હોય છે. અનેક માઈભક્તો એવા હોય છે જે પગપાળા યાત્રા કરી માતાજીના મંદિરે પહોંચતા હોય છે. રસ્તામાં અનેક સુવિધા, રાહત શિબિરોની વ્યવસ્થા કરવામાં આવે છે. ભાદરવી પૂનમના મેળાને લઈ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. અંબાજી મંદિર દ્વારા અનેક માઈભક્તોના વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. એ વીડિયોમાં માતાજી સમક્ષ ભક્તો ગરબા કરી રહ્યા છે. ચાચર ચોકમાં માતાજીના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. અનેક ગરબાઓમાં પારંપારિક લોકનૃત્યની ઝાંખી પણ જોવા મળે છે. 

ભાદરવી પૂનમને લઈ મંદિરમાં ઉમટી જનમેદની 

"બોલ મારી અંબે જય જય અંબે"... ના નાદથી અંબાજી મંદિર થોડા દિવસો બાદ ગુંજી ઉઠવાનું છે. અંબાજી મંદિર તરફ જતા રસ્તાઓ પર તો આ નાદ સંભળાય છે પરંતુ ચાચર ચોકમાં પણ ભક્તો પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં દર્શન કરવા મોટી જનમેદની ઉમટતી હોય છે. લાખો ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. અલગ અલગ જગ્યાઓ પરથી માઈ ભક્તો અંબાજી મંદિર પહોંચતા હોય છે. લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. અંબાજી મંદિરમાં સામાન્ય રીતે પણ ભીડ રહેતી હોય છે પરંતુ પૂનમના દિવસે અનેક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં માઈભક્તો ચાચર ચોકમાં ગરબે ઘૂમી રહ્યા છે. 


મંદિરના સમયમાં કરાયો છે ફેરફાર!

ભાદરવી પૂનમને ધ્યાનમાં રાખી મંદિરના ટાઈમિંગમાં પણ ફેરફાર કરવામાં  આવ્યો છે. ભાદરવી પૂનમને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતી 6.00થી 6.30 કલાકે, 6.30થી 11.30 કલાક, રાજભોગના દર્શન બપોરે 12 વાગ્યે થશે. બપોરે 12.30થી 5.0 કલાક દરમિયાન દર્શનનો સમય રહેશે. સાંજની આરતી 7.00થી 7.30 કલાક સુધીનો છે.    


લોકમેળાને લઈ કરાયું વિશેષ આયોજન 

ભાદરવી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અનેક જગ્યાઓથી પગપાળા સંઘો શક્તિપીઠ અંબાજી તરફ જતા હોય છે. 23થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમના દિવસે માઈમંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટતી હોય છે. ખાસ કરીને શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં  જનમેદની જોવા મળતી હોય છે. ભાદરવી પૂનમનો મેળો ગુજરાતમાં યોજાતા લોકમેળાઓમાનો એક પ્રખ્યાત લોકમેળો. લોકમેળાને લઈને મંદિર તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેળા દરમિયાન  ભક્તોના ઘસારાને ધ્યાનમાં રાખી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે લોકમેળો 

શક્તિપીઠોમાં દર્શન કરવાનો મહત્વ તો અનેરો હોય છે. પરંતુ જો તે દર્શન પૂનમના દિવસે અથવા તો નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો તેનો મહિમા વિશેષ થઈ જાય છે તેવું ભક્તો સામાન્ય રીતે માનતા હોય છે. નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ ઉમટતી હોય છે. ત્યારે ભાદરવી પૂનમ દરમિયાન ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં મેળો ભરાય છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે. અનેક શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ પણ કાઢતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમ પહેલા મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.