ભારતમાં વધતા XBB 1.5 વેરિઅન્ટના કેસ, વધુ એક કેસ આવ્યો સામે


  • Published By :
  • Published Date : 2023-01-10 16:49:34

વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. ચીન, ભારત, અમેરિકા સહિતના દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સૌથી વધારે ખરાબ હાલત ચીનની થઈ ગઈ છે. ત્યારે વિશ્વના બીજા દેશોમાં વધતા કોરોના કેસને લઈ ભારતની ચિંતા પણ વધી છે. ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં આ વેરિયન્ટના કુલ 8 કેસ હજી સુધી સામે આવ્યા છે. 

ચીનમાં કોરોના વાયરસના કારણે વધુ ૧૩ વ્યકિતઓના મોત થયા


ઉત્તરાખંડથી સામે આવ્યો કેસ 

કોરોના સંક્રમણએ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ભારત કોરોના સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. અનેક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. વિદેશથી આવતા યાત્રીઓનું એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઓમિક્રોન વાયરસને કારણે ઓછા સમયમાં વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. નવો એક કેસ ઉત્તરાખંડથી સામે આવ્યો છે. આ સિવાય કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને રાજસ્થાનથી સામે આવ્યો છે. 





આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.