ભારતમાં વધતા XBB 1.5 વેરિઅન્ટના કેસ, વધુ એક કેસ આવ્યો સામે


  • Published By :
  • Published Date : 2023-01-10 16:49:34

વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. ચીન, ભારત, અમેરિકા સહિતના દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સૌથી વધારે ખરાબ હાલત ચીનની થઈ ગઈ છે. ત્યારે વિશ્વના બીજા દેશોમાં વધતા કોરોના કેસને લઈ ભારતની ચિંતા પણ વધી છે. ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં આ વેરિયન્ટના કુલ 8 કેસ હજી સુધી સામે આવ્યા છે. 

ચીનમાં કોરોના વાયરસના કારણે વધુ ૧૩ વ્યકિતઓના મોત થયા


ઉત્તરાખંડથી સામે આવ્યો કેસ 

કોરોના સંક્રમણએ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ભારત કોરોના સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. અનેક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. વિદેશથી આવતા યાત્રીઓનું એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઓમિક્રોન વાયરસને કારણે ઓછા સમયમાં વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. નવો એક કેસ ઉત્તરાખંડથી સામે આવ્યો છે. આ સિવાય કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને રાજસ્થાનથી સામે આવ્યો છે. 





અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.