ભારતમાં વધતા XBB 1.5 વેરિઅન્ટના કેસ, વધુ એક કેસ આવ્યો સામે


  • Published By :
  • Published Date : 2023-01-10 16:49:34

વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. ચીન, ભારત, અમેરિકા સહિતના દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સૌથી વધારે ખરાબ હાલત ચીનની થઈ ગઈ છે. ત્યારે વિશ્વના બીજા દેશોમાં વધતા કોરોના કેસને લઈ ભારતની ચિંતા પણ વધી છે. ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં આ વેરિયન્ટના કુલ 8 કેસ હજી સુધી સામે આવ્યા છે. 

ચીનમાં કોરોના વાયરસના કારણે વધુ ૧૩ વ્યકિતઓના મોત થયા


ઉત્તરાખંડથી સામે આવ્યો કેસ 

કોરોના સંક્રમણએ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ભારત કોરોના સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. અનેક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. વિદેશથી આવતા યાત્રીઓનું એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઓમિક્રોન વાયરસને કારણે ઓછા સમયમાં વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. નવો એક કેસ ઉત્તરાખંડથી સામે આવ્યો છે. આ સિવાય કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને રાજસ્થાનથી સામે આવ્યો છે. 





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.