ભારતમાં વધતા XBB 1.5 વેરિઅન્ટના કેસ, વધુ એક કેસ આવ્યો સામે


  • Published By :
  • Published Date : 2023-01-10 16:49:34

વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. ચીન, ભારત, અમેરિકા સહિતના દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સૌથી વધારે ખરાબ હાલત ચીનની થઈ ગઈ છે. ત્યારે વિશ્વના બીજા દેશોમાં વધતા કોરોના કેસને લઈ ભારતની ચિંતા પણ વધી છે. ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં આ વેરિયન્ટના કુલ 8 કેસ હજી સુધી સામે આવ્યા છે. 

ચીનમાં કોરોના વાયરસના કારણે વધુ ૧૩ વ્યકિતઓના મોત થયા


ઉત્તરાખંડથી સામે આવ્યો કેસ 

કોરોના સંક્રમણએ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ભારત કોરોના સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. અનેક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. વિદેશથી આવતા યાત્રીઓનું એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઓમિક્રોન વાયરસને કારણે ઓછા સમયમાં વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. નવો એક કેસ ઉત્તરાખંડથી સામે આવ્યો છે. આ સિવાય કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને રાજસ્થાનથી સામે આવ્યો છે. 





રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.