ધુમ્મસભર્યા વાતાવરણને કારણે 30 જેટલા વાહનો એકબીજા સાથે ભટકાયા, સર્જાયો લાંબો ટ્રાફિક જામ


  • Published By :
  • Published Date : 2023-02-07 11:25:13

હાલ રાજ્યમાં બેવડીઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વિઝિબિલિટી ઘટતા અકસ્માત થવાનું સંકટ રહેતું હોય છે. ત્યારે માળિયા અમદાવાદ હાઈવે પર ધુમ્મસના કારણે અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. અણીયારી ટોલ નાકા પાસે 30થી વધુ વાહનો એક બીજા સાથે ભટકાયા છે. ટક્કરને કારણે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.   


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે થયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો અકસ્માતને કારણે મોતને ભેટતા હોય છે. અનેક વખત ઓવર સ્પીડને કારણે એક્સિડન્ટ થતા હોય છે તો કોઈ વખત વિઝિબિલિટી ઘટતા અકસ્માત થતા હોય છે. ત્યારે માળિયા અમદાવાદ હાઈવે પર ધુમ્મસના કારણે અનેક વાહનોની ટક્કર થઈ છે. અણીયારી ટોલ નાકા પાસે 30થી વધુ વાહનો એક સાથે ભટકાયા હતા. 


ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા 

મળતી માહિતી અનુસાર વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ટ્રક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો. કેટલાંય લોકોને આ અકસ્માતને કારણે ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે બે કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.