ધુમ્મસભર્યા વાતાવરણને કારણે 30 જેટલા વાહનો એકબીજા સાથે ભટકાયા, સર્જાયો લાંબો ટ્રાફિક જામ


  • Published By :
  • Published Date : 2023-02-07 11:25:13

હાલ રાજ્યમાં બેવડીઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વિઝિબિલિટી ઘટતા અકસ્માત થવાનું સંકટ રહેતું હોય છે. ત્યારે માળિયા અમદાવાદ હાઈવે પર ધુમ્મસના કારણે અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. અણીયારી ટોલ નાકા પાસે 30થી વધુ વાહનો એક બીજા સાથે ભટકાયા છે. ટક્કરને કારણે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.   


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે થયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો અકસ્માતને કારણે મોતને ભેટતા હોય છે. અનેક વખત ઓવર સ્પીડને કારણે એક્સિડન્ટ થતા હોય છે તો કોઈ વખત વિઝિબિલિટી ઘટતા અકસ્માત થતા હોય છે. ત્યારે માળિયા અમદાવાદ હાઈવે પર ધુમ્મસના કારણે અનેક વાહનોની ટક્કર થઈ છે. અણીયારી ટોલ નાકા પાસે 30થી વધુ વાહનો એક સાથે ભટકાયા હતા. 


ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા 

મળતી માહિતી અનુસાર વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ટ્રક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો. કેટલાંય લોકોને આ અકસ્માતને કારણે ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે બે કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.