ધુમ્મસભર્યા વાતાવરણને કારણે 30 જેટલા વાહનો એકબીજા સાથે ભટકાયા, સર્જાયો લાંબો ટ્રાફિક જામ


  • Published By :
  • Published Date : 2023-02-07 11:25:13

હાલ રાજ્યમાં બેવડીઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વિઝિબિલિટી ઘટતા અકસ્માત થવાનું સંકટ રહેતું હોય છે. ત્યારે માળિયા અમદાવાદ હાઈવે પર ધુમ્મસના કારણે અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. અણીયારી ટોલ નાકા પાસે 30થી વધુ વાહનો એક બીજા સાથે ભટકાયા છે. ટક્કરને કારણે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.   


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે થયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો અકસ્માતને કારણે મોતને ભેટતા હોય છે. અનેક વખત ઓવર સ્પીડને કારણે એક્સિડન્ટ થતા હોય છે તો કોઈ વખત વિઝિબિલિટી ઘટતા અકસ્માત થતા હોય છે. ત્યારે માળિયા અમદાવાદ હાઈવે પર ધુમ્મસના કારણે અનેક વાહનોની ટક્કર થઈ છે. અણીયારી ટોલ નાકા પાસે 30થી વધુ વાહનો એક સાથે ભટકાયા હતા. 


ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા 

મળતી માહિતી અનુસાર વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ટ્રક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો. કેટલાંય લોકોને આ અકસ્માતને કારણે ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે બે કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.