બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં 45 જેટલા લોકોએ હિંદુ ધર્મ છોડી અપનાવ્યો બૌદ્ધ ધર્મ


  • Published By :
  • Published Date : 2022-12-15 11:50:14

આજકાલ અનેક લોકો બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. ત્યારે બાલાસિનોરથી એક ઘટના સામે આવી છે જેમાં એક હોટલની અંદર અંદાજીત 45 જેટલા લોકોએ બોદ્ધ ધર્મને અપનાવ્યો છે. એક સાથે આટલા બધા લોકોએ ધર્મ પરિવર્તન કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે હોટલ ગાર્ડન પેલેસ ખાતે ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહીસાગર, ખેડા, પંચમહાલથી લોકો આવ્યા હતા. 

હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મ પરિવર્તનની વિધિ - Divya Bhaskar


45 લોકોએ બોદ્ધ ધર્મનો કર્યો સ્વીકાર 

ધર્મ પરિવર્તન કરનાર લોકોના કહેવા મુજબ બૌદ્ધ ધર્મના માનવ માત્ર એક સમાનના સૂત્રથી આ ધર્મ પરિવર્તન તેમણે કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે પંચશીલ આદર્શ ઉત્તમ હોવાને કારણે તેઓ આ ધર્મમા જઈ રહ્યા છે.  બાલાસિનોર નગરના રોહિતવાસના 7 જ્યારે મહિસાગર, ખેડા તેમજ પંચમહાલ જિલ્લા મળી કુલ 45 લોકોએ હિંદુ ધર્મમાંથી બોદ્ધ ધર્મમાં પરિવર્તિત થયા છે. રવિવારના રોજ પોરબંદરથી આવેલા ધર્મગુરૂએ આ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એક સાથે આટલા બધા લોકોએ ધર્મ પરિવર્તન થતા ચકચાર મળી જવા પામી હતી.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.