બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં 45 જેટલા લોકોએ હિંદુ ધર્મ છોડી અપનાવ્યો બૌદ્ધ ધર્મ


  • Published By :
  • Published Date : 2022-12-15 11:50:14

આજકાલ અનેક લોકો બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. ત્યારે બાલાસિનોરથી એક ઘટના સામે આવી છે જેમાં એક હોટલની અંદર અંદાજીત 45 જેટલા લોકોએ બોદ્ધ ધર્મને અપનાવ્યો છે. એક સાથે આટલા બધા લોકોએ ધર્મ પરિવર્તન કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે હોટલ ગાર્ડન પેલેસ ખાતે ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહીસાગર, ખેડા, પંચમહાલથી લોકો આવ્યા હતા. 

હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મ પરિવર્તનની વિધિ - Divya Bhaskar


45 લોકોએ બોદ્ધ ધર્મનો કર્યો સ્વીકાર 

ધર્મ પરિવર્તન કરનાર લોકોના કહેવા મુજબ બૌદ્ધ ધર્મના માનવ માત્ર એક સમાનના સૂત્રથી આ ધર્મ પરિવર્તન તેમણે કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે પંચશીલ આદર્શ ઉત્તમ હોવાને કારણે તેઓ આ ધર્મમા જઈ રહ્યા છે.  બાલાસિનોર નગરના રોહિતવાસના 7 જ્યારે મહિસાગર, ખેડા તેમજ પંચમહાલ જિલ્લા મળી કુલ 45 લોકોએ હિંદુ ધર્મમાંથી બોદ્ધ ધર્મમાં પરિવર્તિત થયા છે. રવિવારના રોજ પોરબંદરથી આવેલા ધર્મગુરૂએ આ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એક સાથે આટલા બધા લોકોએ ધર્મ પરિવર્તન થતા ચકચાર મળી જવા પામી હતી.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.