બાલાસિનોરની હોટલ ગાર્ડન પેલેસમાં 45 જેટલા લોકોએ હિંદુ ધર્મ છોડી અપનાવ્યો બૌદ્ધ ધર્મ


  • Published By :
  • Published Date : 2022-12-15 11:50:14

આજકાલ અનેક લોકો બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. ત્યારે બાલાસિનોરથી એક ઘટના સામે આવી છે જેમાં એક હોટલની અંદર અંદાજીત 45 જેટલા લોકોએ બોદ્ધ ધર્મને અપનાવ્યો છે. એક સાથે આટલા બધા લોકોએ ધર્મ પરિવર્તન કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે હોટલ ગાર્ડન પેલેસ ખાતે ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહીસાગર, ખેડા, પંચમહાલથી લોકો આવ્યા હતા. 

હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મ પરિવર્તનની વિધિ - Divya Bhaskar


45 લોકોએ બોદ્ધ ધર્મનો કર્યો સ્વીકાર 

ધર્મ પરિવર્તન કરનાર લોકોના કહેવા મુજબ બૌદ્ધ ધર્મના માનવ માત્ર એક સમાનના સૂત્રથી આ ધર્મ પરિવર્તન તેમણે કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે પંચશીલ આદર્શ ઉત્તમ હોવાને કારણે તેઓ આ ધર્મમા જઈ રહ્યા છે.  બાલાસિનોર નગરના રોહિતવાસના 7 જ્યારે મહિસાગર, ખેડા તેમજ પંચમહાલ જિલ્લા મળી કુલ 45 લોકોએ હિંદુ ધર્મમાંથી બોદ્ધ ધર્મમાં પરિવર્તિત થયા છે. રવિવારના રોજ પોરબંદરથી આવેલા ધર્મગુરૂએ આ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એક સાથે આટલા બધા લોકોએ ધર્મ પરિવર્તન થતા ચકચાર મળી જવા પામી હતી.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી