છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9 હજાર જેટલા કોરોના કેસ, 27 જેટલા લોકોએ ગુમાવ્યો કોરોનાને કારણે જીવ


  • Published By :
  • Published Date : 2023-04-17 12:12:17

દેશમાં કોરોના સંક્રમણને લઈ આંશિક રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજાર 111 કેસ સામે આવ્યા છે જ્યારે 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કોરોના કેસમાં વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 60 હજારને પાર પહોંચી ગઈ છે. શનિવારે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા.


કોરોનાના નોંધાયા 9 હજારથી વધુ કેસ 

કોરોના કેસને લઈ જે આંકડા સામે આવી રહ્યા છે તે ડરાવી દે તેવા છે. થોડા દિવસોથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક વખત કોરોના કેસનો આંકડો 7 હજારની આસપાસ નોંધાતો હતો. તો તે બાદ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. એક સમયે કોરોના કેસ 11 હજારને પાર નોંધાયા હતા. ત્યારે બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 હજાર 111 કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાને કારણે લોકોના મોત થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 27 જે઼ટલા લોકોના મોત થઈ ગયા છે. 


કેન્દ્ર સરકાર પણ કોરોના કેસ વધતા થઈ એક્ટિવ  

કેરળમાં કોરોનાના 2287 કેસ નોંધાયા છે જ્યારે ત્યાં 4 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના 1634 જેટલા કેસ નોંધાયા છે જ્યારે 3 જેટલા લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશથી 706 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રથી 650 કેસ સામે આવ્યા છે અને ત્યાં બે લોકોના મોત થયા છે. ત્યારે વધતા કોરોના કેસને લઈ અનેક રાજ્યોએ અનેક જગ્યાઓ  પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.