છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9 હજાર જેટલા કોરોના કેસ, 27 જેટલા લોકોએ ગુમાવ્યો કોરોનાને કારણે જીવ


  • Published By :
  • Published Date : 2023-04-17 12:12:17

દેશમાં કોરોના સંક્રમણને લઈ આંશિક રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજાર 111 કેસ સામે આવ્યા છે જ્યારે 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કોરોના કેસમાં વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 60 હજારને પાર પહોંચી ગઈ છે. શનિવારે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા.


કોરોનાના નોંધાયા 9 હજારથી વધુ કેસ 

કોરોના કેસને લઈ જે આંકડા સામે આવી રહ્યા છે તે ડરાવી દે તેવા છે. થોડા દિવસોથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક વખત કોરોના કેસનો આંકડો 7 હજારની આસપાસ નોંધાતો હતો. તો તે બાદ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. એક સમયે કોરોના કેસ 11 હજારને પાર નોંધાયા હતા. ત્યારે બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 હજાર 111 કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાને કારણે લોકોના મોત થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 27 જે઼ટલા લોકોના મોત થઈ ગયા છે. 


કેન્દ્ર સરકાર પણ કોરોના કેસ વધતા થઈ એક્ટિવ  

કેરળમાં કોરોનાના 2287 કેસ નોંધાયા છે જ્યારે ત્યાં 4 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના 1634 જેટલા કેસ નોંધાયા છે જ્યારે 3 જેટલા લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશથી 706 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રથી 650 કેસ સામે આવ્યા છે અને ત્યાં બે લોકોના મોત થયા છે. ત્યારે વધતા કોરોના કેસને લઈ અનેક રાજ્યોએ અનેક જગ્યાઓ  પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.