રવિન્દ્ર જાડેજા વિરુદ્ધ લેવાયા પગલા, કાર્યવાહીના ભાગરૂપે મેચ ફીનો 25 ટકાનો દંડ ભરવો પડશે


  • Published By :
  • Published Date : 2023-02-11 18:49:05

નાગપુર ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ પહેલી ઈનિંગ દરમ્યાન 46મી ઓવરમાં બોલ સાથે ચેડા કર્યા હતા, આ દરમ્યાન જાડેજા તેમની આંગળીઓ વડે બોલ પર ક્રિમ લગાવતા જોવા મળ્યાં હતા, જેનો વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે, વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજ તેમના હાથમાં કંઈ પદાર્થ લઈને આવે છે અને જાડેજા તે પદાર્થને બોલ પર ઘસે છે.


વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ 

ક્રિકેટની ભાષામાં આને બોલ ટેમ્પરિંગ કહેવાય છે, જો કે  કેપ્ટન રોહિત શર્માને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જાડેજાએ કોઈ બોલ ટેમ્પરીંગ કર્યુ નથી અને તેઓ માત્ર તેમના હાથ પર લાગેલી ઈજા માટે મલમ લગાવતા હતા, આ ઉપરાંત BCCI એ પણ આ વાતને નકારી દીધી હતી, જો કે વીડિયો વાયરલ થતા ઓસ્ટ્રેલિયાના લોકો અને ઓસ્ટ્રેલિયાઈ મીડિયાએ આના પર સવાલો કર્યા હતા અને જાડેજા પર તપાસની માંગ કરી હતી. જો કે જાડેજા અહીંયા એક ભૂલ એ કરી હતી કે તેમણે ક્રિમ લગાવતા પહેલા ફિલ્ડ અમ્પાયરની પરમિશન લીધી નહોતી. આ કારણે મેચ રેફરીએ તેમની સામે કાર્યવાહી કરી છે.


મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો 

જાડેજાને ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ વનનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે અને આ માટે તેમને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જાડેજાને આચાર સંહિતાની કલમ 2.20નો ભંગ કરવા બદલ પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે રમતની ભાવના સાથે સંબંધિત છે. આ ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફ બંનેને લાગુ પડે છે. આ ઉપરાંત જાડેજાના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડાયો છે  કારણ કે છેલ્લા 24 મહિનામાં તેમનો આ પહેલો ગુનો છે. જો કે  જાડેજાએ મેચ રેફરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સ્વીકારી લીધો છે, જેથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર રહેતી નથી. હવે જોવાનું એ છે કે ભારત આ સિરીઝમાં આગળ કેવું પ્રદર્શન કરે છે, બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની 4 મેચ હજી બાકી છે, જેમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે, 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.