રવિન્દ્ર જાડેજા વિરુદ્ધ લેવાયા પગલા, કાર્યવાહીના ભાગરૂપે મેચ ફીનો 25 ટકાનો દંડ ભરવો પડશે


  • Published By :
  • Published Date : 2023-02-11 18:49:05

નાગપુર ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ પહેલી ઈનિંગ દરમ્યાન 46મી ઓવરમાં બોલ સાથે ચેડા કર્યા હતા, આ દરમ્યાન જાડેજા તેમની આંગળીઓ વડે બોલ પર ક્રિમ લગાવતા જોવા મળ્યાં હતા, જેનો વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે, વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજ તેમના હાથમાં કંઈ પદાર્થ લઈને આવે છે અને જાડેજા તે પદાર્થને બોલ પર ઘસે છે.


વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ 

ક્રિકેટની ભાષામાં આને બોલ ટેમ્પરિંગ કહેવાય છે, જો કે  કેપ્ટન રોહિત શર્માને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જાડેજાએ કોઈ બોલ ટેમ્પરીંગ કર્યુ નથી અને તેઓ માત્ર તેમના હાથ પર લાગેલી ઈજા માટે મલમ લગાવતા હતા, આ ઉપરાંત BCCI એ પણ આ વાતને નકારી દીધી હતી, જો કે વીડિયો વાયરલ થતા ઓસ્ટ્રેલિયાના લોકો અને ઓસ્ટ્રેલિયાઈ મીડિયાએ આના પર સવાલો કર્યા હતા અને જાડેજા પર તપાસની માંગ કરી હતી. જો કે જાડેજા અહીંયા એક ભૂલ એ કરી હતી કે તેમણે ક્રિમ લગાવતા પહેલા ફિલ્ડ અમ્પાયરની પરમિશન લીધી નહોતી. આ કારણે મેચ રેફરીએ તેમની સામે કાર્યવાહી કરી છે.


મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો 

જાડેજાને ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ વનનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે અને આ માટે તેમને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જાડેજાને આચાર સંહિતાની કલમ 2.20નો ભંગ કરવા બદલ પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે રમતની ભાવના સાથે સંબંધિત છે. આ ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફ બંનેને લાગુ પડે છે. આ ઉપરાંત જાડેજાના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડાયો છે  કારણ કે છેલ્લા 24 મહિનામાં તેમનો આ પહેલો ગુનો છે. જો કે  જાડેજાએ મેચ રેફરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સ્વીકારી લીધો છે, જેથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર રહેતી નથી. હવે જોવાનું એ છે કે ભારત આ સિરીઝમાં આગળ કેવું પ્રદર્શન કરે છે, બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની 4 મેચ હજી બાકી છે, જેમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે, 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.