રવિન્દ્ર જાડેજા વિરુદ્ધ લેવાયા પગલા, કાર્યવાહીના ભાગરૂપે મેચ ફીનો 25 ટકાનો દંડ ભરવો પડશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-11 18:49:05

નાગપુર ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ પહેલી ઈનિંગ દરમ્યાન 46મી ઓવરમાં બોલ સાથે ચેડા કર્યા હતા, આ દરમ્યાન જાડેજા તેમની આંગળીઓ વડે બોલ પર ક્રિમ લગાવતા જોવા મળ્યાં હતા, જેનો વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે, વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજ તેમના હાથમાં કંઈ પદાર્થ લઈને આવે છે અને જાડેજા તે પદાર્થને બોલ પર ઘસે છે.


વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ 

ક્રિકેટની ભાષામાં આને બોલ ટેમ્પરિંગ કહેવાય છે, જો કે  કેપ્ટન રોહિત શર્માને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જાડેજાએ કોઈ બોલ ટેમ્પરીંગ કર્યુ નથી અને તેઓ માત્ર તેમના હાથ પર લાગેલી ઈજા માટે મલમ લગાવતા હતા, આ ઉપરાંત BCCI એ પણ આ વાતને નકારી દીધી હતી, જો કે વીડિયો વાયરલ થતા ઓસ્ટ્રેલિયાના લોકો અને ઓસ્ટ્રેલિયાઈ મીડિયાએ આના પર સવાલો કર્યા હતા અને જાડેજા પર તપાસની માંગ કરી હતી. જો કે જાડેજા અહીંયા એક ભૂલ એ કરી હતી કે તેમણે ક્રિમ લગાવતા પહેલા ફિલ્ડ અમ્પાયરની પરમિશન લીધી નહોતી. આ કારણે મેચ રેફરીએ તેમની સામે કાર્યવાહી કરી છે.


મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો 

જાડેજાને ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ વનનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે અને આ માટે તેમને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જાડેજાને આચાર સંહિતાની કલમ 2.20નો ભંગ કરવા બદલ પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે રમતની ભાવના સાથે સંબંધિત છે. આ ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફ બંનેને લાગુ પડે છે. આ ઉપરાંત જાડેજાના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડાયો છે  કારણ કે છેલ્લા 24 મહિનામાં તેમનો આ પહેલો ગુનો છે. જો કે  જાડેજાએ મેચ રેફરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સ્વીકારી લીધો છે, જેથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર રહેતી નથી. હવે જોવાનું એ છે કે ભારત આ સિરીઝમાં આગળ કેવું પ્રદર્શન કરે છે, બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની 4 મેચ હજી બાકી છે, જેમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે, 




જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...