રવિન્દ્ર જાડેજા વિરુદ્ધ લેવાયા પગલા, કાર્યવાહીના ભાગરૂપે મેચ ફીનો 25 ટકાનો દંડ ભરવો પડશે


  • Published By :
  • Published Date : 2023-02-11 18:49:05

નાગપુર ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ પહેલી ઈનિંગ દરમ્યાન 46મી ઓવરમાં બોલ સાથે ચેડા કર્યા હતા, આ દરમ્યાન જાડેજા તેમની આંગળીઓ વડે બોલ પર ક્રિમ લગાવતા જોવા મળ્યાં હતા, જેનો વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે, વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજ તેમના હાથમાં કંઈ પદાર્થ લઈને આવે છે અને જાડેજા તે પદાર્થને બોલ પર ઘસે છે.


વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ 

ક્રિકેટની ભાષામાં આને બોલ ટેમ્પરિંગ કહેવાય છે, જો કે  કેપ્ટન રોહિત શર્માને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જાડેજાએ કોઈ બોલ ટેમ્પરીંગ કર્યુ નથી અને તેઓ માત્ર તેમના હાથ પર લાગેલી ઈજા માટે મલમ લગાવતા હતા, આ ઉપરાંત BCCI એ પણ આ વાતને નકારી દીધી હતી, જો કે વીડિયો વાયરલ થતા ઓસ્ટ્રેલિયાના લોકો અને ઓસ્ટ્રેલિયાઈ મીડિયાએ આના પર સવાલો કર્યા હતા અને જાડેજા પર તપાસની માંગ કરી હતી. જો કે જાડેજા અહીંયા એક ભૂલ એ કરી હતી કે તેમણે ક્રિમ લગાવતા પહેલા ફિલ્ડ અમ્પાયરની પરમિશન લીધી નહોતી. આ કારણે મેચ રેફરીએ તેમની સામે કાર્યવાહી કરી છે.


મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો 

જાડેજાને ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ વનનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે અને આ માટે તેમને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જાડેજાને આચાર સંહિતાની કલમ 2.20નો ભંગ કરવા બદલ પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે રમતની ભાવના સાથે સંબંધિત છે. આ ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફ બંનેને લાગુ પડે છે. આ ઉપરાંત જાડેજાના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડાયો છે  કારણ કે છેલ્લા 24 મહિનામાં તેમનો આ પહેલો ગુનો છે. જો કે  જાડેજાએ મેચ રેફરી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સ્વીકારી લીધો છે, જેથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર રહેતી નથી. હવે જોવાનું એ છે કે ભારત આ સિરીઝમાં આગળ કેવું પ્રદર્શન કરે છે, બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીની 4 મેચ હજી બાકી છે, જેમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે, 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.