ચૂંટણી જાહેર થતાજ કેજરીવાલ મેદાને !!!!


  • Published By :
  • Published Date : 2022-11-03 16:56:11


ગુજરાતમાં વિધાનસભા ચુંટણી જાહેર થઈ છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે એમ 2 તબ્બકામાં મતદાન યોજાશે અને અત્યારથી અરવિંદ કેજરીવાલે જનતાને રિઝવવાનું શરૂ કરી દીધું છે. તેમણે ગુજરાતી ભાષામાં પ્રજાને સંબોધીને એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેઓ જનતાને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડશે એવી આશા વ્યક્ત કરી હતી. આની સાથે જ તેમણે જનતાનો આભાર પણ માન્યો હતો.


ગુજરાતીમાં શું કહ્યું કેજરીવાલે ?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા પછી અરવિંદ કેજરીવાલે પરિવર્તન લાવવાની વાત કરી હોવાની સાથે ગુજરાતીઓને રિઝવવા માટે ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે ગુજરાતી ભાષામાં કહ્યું તમે મને તમારો ભાઈ અને પરિવારનો સભ્યો માનો છો એના બદલ આભાર. તમે મારા પર જે વિશ્વાસ રાખ્યો છે એના માટે તમારો આભાર. હું તમારો ભાઈ બનીને તમારી જવાબદારી સંભાળીશ.


મોંઘવારી પર કહ્યું !!!

અરવિંદ કેજરીવાલે ગુજરાતી ભાષામાં વધુમાં કહ્યું કે હું તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ. તમારી વીજળી ફ્રી કરી દઈશ, બાળકો માટે સારી શાળાઓ, સારવાર માટે શાનદાર હોસ્પિટલો બનાવીશ. આની સાથે જ તમને અયોધ્યા શ્રીરામના દર્શન કરવા પણ લઈ જઈશ. બસ હવે એક વાર મને એક મોકો આપો હું જીવનભર તમારો ભાઈ બનીને રહીશ.



"ગુજરાતને પરિવર્તન જોઈએ છે "


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ અરવિંદ કેજરીવાલ એક્ટિવ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે આ વખતની ચૂંટણીમાં ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અવશ્ય જીતશે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.