ચૂંટણી જાહેર થતાજ કેજરીવાલ મેદાને !!!!


  • Published By :
  • Published Date : 2022-11-03 16:56:11


ગુજરાતમાં વિધાનસભા ચુંટણી જાહેર થઈ છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે એમ 2 તબ્બકામાં મતદાન યોજાશે અને અત્યારથી અરવિંદ કેજરીવાલે જનતાને રિઝવવાનું શરૂ કરી દીધું છે. તેમણે ગુજરાતી ભાષામાં પ્રજાને સંબોધીને એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં તેઓ જનતાને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડશે એવી આશા વ્યક્ત કરી હતી. આની સાથે જ તેમણે જનતાનો આભાર પણ માન્યો હતો.


ગુજરાતીમાં શું કહ્યું કેજરીવાલે ?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા પછી અરવિંદ કેજરીવાલે પરિવર્તન લાવવાની વાત કરી હોવાની સાથે ગુજરાતીઓને રિઝવવા માટે ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે ગુજરાતી ભાષામાં કહ્યું તમે મને તમારો ભાઈ અને પરિવારનો સભ્યો માનો છો એના બદલ આભાર. તમે મારા પર જે વિશ્વાસ રાખ્યો છે એના માટે તમારો આભાર. હું તમારો ભાઈ બનીને તમારી જવાબદારી સંભાળીશ.


મોંઘવારી પર કહ્યું !!!

અરવિંદ કેજરીવાલે ગુજરાતી ભાષામાં વધુમાં કહ્યું કે હું તમને મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ. તમારી વીજળી ફ્રી કરી દઈશ, બાળકો માટે સારી શાળાઓ, સારવાર માટે શાનદાર હોસ્પિટલો બનાવીશ. આની સાથે જ તમને અયોધ્યા શ્રીરામના દર્શન કરવા પણ લઈ જઈશ. બસ હવે એક વાર મને એક મોકો આપો હું જીવનભર તમારો ભાઈ બનીને રહીશ.



"ગુજરાતને પરિવર્તન જોઈએ છે "


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ અરવિંદ કેજરીવાલ એક્ટિવ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે આ વખતની ચૂંટણીમાં ગુજરાતની જનતા પરિવર્તન માટે તૈયાર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અવશ્ય જીતશે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.