ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા વધ્યા નેતાઓના પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 13:23:29

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે જેને લઈ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓના ગુજરાત દોરામાં વધારો થયો છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં જોર-શોર થી પ્રચાર કરી રહી છે. ભાજપ બાદ આપ પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહ્યું છે. ત્યારે 'હવે પરિવર્તન જોઈએ'ની થીમ પર સિસોદિયા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ પણ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મનીષ સિસોદિયા હવે ગુજરાતના પ્રવાસે છે.


મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ-શો

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે ત્યારે આપ પણ ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ બાદ ગુજરાતમાં મનીષ સિસોદિયા પ્રચાર કરી રહ્યા છે. 6 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે છે. સૌરાષ્ટ્ર પર આપ વધારે ધ્યાન આપી રહ્યું છે. ત્યારે મહેસાણા ખાતે મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. જેમાં ઈસુદાન ગઢવી સહિત આપના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


અનેક દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવતા રહે છે. તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત  શાહ તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે