ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા વધ્યા નેતાઓના પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 13:23:29

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે જેને લઈ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓના ગુજરાત દોરામાં વધારો થયો છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં જોર-શોર થી પ્રચાર કરી રહી છે. ભાજપ બાદ આપ પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહ્યું છે. ત્યારે 'હવે પરિવર્તન જોઈએ'ની થીમ પર સિસોદિયા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ પણ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મનીષ સિસોદિયા હવે ગુજરાતના પ્રવાસે છે.


મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ-શો

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે ત્યારે આપ પણ ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ બાદ ગુજરાતમાં મનીષ સિસોદિયા પ્રચાર કરી રહ્યા છે. 6 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે છે. સૌરાષ્ટ્ર પર આપ વધારે ધ્યાન આપી રહ્યું છે. ત્યારે મહેસાણા ખાતે મનીષ સિસોદિયાનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. જેમાં ઈસુદાન ગઢવી સહિત આપના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


અનેક દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવતા રહે છે. તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત  શાહ તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.