કોરોના કેસ વધતા વેક્સિન લેવા લાગી લોકોની લાઈન


  • Published By :
  • Published Date : 2022-12-27 11:00:16

દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો વ્યાપી રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારત સરકાર પણ કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થઈ છે. વધતા કોરોના સંક્રમણને કારણે લોકો વેક્સિન માટે લાઈનો લગાવી રહ્યા છે. વેક્સિન લેવા હોસ્પિટલ બહાર લોકોની લાઈન જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ બુસ્ટર ડોઝની માગમાં એકાએક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વેક્સિનનો જથ્થો ખૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને કારણે વેક્સિનનો નવો જથ્થો લાવવા ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. 


વેક્સિન ખૂટી ન પડે તે માટે સરકારે મંગાવ્યો સ્ટોક  

કોરોના સંક્રમણ વધતા ગુજરાતમાં વેક્સિનની માગ ઉઠી છે. કોરોના સામે રક્ષણ મેળવવા લોકો વેક્સિન લેવા હોસ્પિટલની બહાર લાઈનો લગાવી ઉભા રહી રહ્યા છે. એકાએક વેક્સિનની માગમાં વધારો થતા વેક્સિનેશનનો સ્ટોક ખૂટી ન પડે તે માટે સ્ટોક મંગાવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વેક્સિન લગાવવા પહેલા કરતા વધારે લોકો આવી રહ્યા છે.


વેક્સિન વગર પરત ન ફરવું પડે તે માટે કરાઈ વ્યવસ્થા 

કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અનેક નિયમો તેમજ પ્રતિબંધો લાદી દેવાયા છે. અનેક ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. કોરોના કેસને જોતા લોકો પણ વેક્સિન લેવા પડાપડી કરી રહ્યા છે. એકાએક વેક્સિનની માગમાં વધારો થયો છે. એક દિવસમાં હજારો લોકો વેક્સિન લઈ રહ્યા છે. માત્ર અમદાવાદમાં જ 1000ની આસપાસ લોકો વેક્સિનનો ડોઝ લગાવી રહ્યા છે. બુસ્ટર ડોઝની માગ વધી રહી છે. આવનાર સમયમાં લોકોએ વેક્સિન લીધા વગર પાછું ન જવું તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં લોકો એકાએક જાગ્યા છે. કોરોના કેસ વધતા લોકોને જાણે વેક્સિન યાદ આવી હોય તેવું લાગી રહ્યું છે.  







ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.