કોરોના કેસ વધતા વેક્સિન લેવા લાગી લોકોની લાઈન


  • Published By :
  • Published Date : 2022-12-27 11:00:16

દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો વ્યાપી રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારત સરકાર પણ કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થઈ છે. વધતા કોરોના સંક્રમણને કારણે લોકો વેક્સિન માટે લાઈનો લગાવી રહ્યા છે. વેક્સિન લેવા હોસ્પિટલ બહાર લોકોની લાઈન જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ બુસ્ટર ડોઝની માગમાં એકાએક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વેક્સિનનો જથ્થો ખૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને કારણે વેક્સિનનો નવો જથ્થો લાવવા ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. 


વેક્સિન ખૂટી ન પડે તે માટે સરકારે મંગાવ્યો સ્ટોક  

કોરોના સંક્રમણ વધતા ગુજરાતમાં વેક્સિનની માગ ઉઠી છે. કોરોના સામે રક્ષણ મેળવવા લોકો વેક્સિન લેવા હોસ્પિટલની બહાર લાઈનો લગાવી ઉભા રહી રહ્યા છે. એકાએક વેક્સિનની માગમાં વધારો થતા વેક્સિનેશનનો સ્ટોક ખૂટી ન પડે તે માટે સ્ટોક મંગાવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વેક્સિન લગાવવા પહેલા કરતા વધારે લોકો આવી રહ્યા છે.


વેક્સિન વગર પરત ન ફરવું પડે તે માટે કરાઈ વ્યવસ્થા 

કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અનેક નિયમો તેમજ પ્રતિબંધો લાદી દેવાયા છે. અનેક ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. કોરોના કેસને જોતા લોકો પણ વેક્સિન લેવા પડાપડી કરી રહ્યા છે. એકાએક વેક્સિનની માગમાં વધારો થયો છે. એક દિવસમાં હજારો લોકો વેક્સિન લઈ રહ્યા છે. માત્ર અમદાવાદમાં જ 1000ની આસપાસ લોકો વેક્સિનનો ડોઝ લગાવી રહ્યા છે. બુસ્ટર ડોઝની માગ વધી રહી છે. આવનાર સમયમાં લોકોએ વેક્સિન લીધા વગર પાછું ન જવું તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં લોકો એકાએક જાગ્યા છે. કોરોના કેસ વધતા લોકોને જાણે વેક્સિન યાદ આવી હોય તેવું લાગી રહ્યું છે.  







ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.