કોરોના કેસ વધતા વેક્સિન લેવા લાગી લોકોની લાઈન


  • Published By :
  • Published Date : 2022-12-27 11:00:16

દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો વ્યાપી રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારત સરકાર પણ કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થઈ છે. વધતા કોરોના સંક્રમણને કારણે લોકો વેક્સિન માટે લાઈનો લગાવી રહ્યા છે. વેક્સિન લેવા હોસ્પિટલ બહાર લોકોની લાઈન જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ બુસ્ટર ડોઝની માગમાં એકાએક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વેક્સિનનો જથ્થો ખૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને કારણે વેક્સિનનો નવો જથ્થો લાવવા ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. 


વેક્સિન ખૂટી ન પડે તે માટે સરકારે મંગાવ્યો સ્ટોક  

કોરોના સંક્રમણ વધતા ગુજરાતમાં વેક્સિનની માગ ઉઠી છે. કોરોના સામે રક્ષણ મેળવવા લોકો વેક્સિન લેવા હોસ્પિટલની બહાર લાઈનો લગાવી ઉભા રહી રહ્યા છે. એકાએક વેક્સિનની માગમાં વધારો થતા વેક્સિનેશનનો સ્ટોક ખૂટી ન પડે તે માટે સ્ટોક મંગાવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વેક્સિન લગાવવા પહેલા કરતા વધારે લોકો આવી રહ્યા છે.


વેક્સિન વગર પરત ન ફરવું પડે તે માટે કરાઈ વ્યવસ્થા 

કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અનેક નિયમો તેમજ પ્રતિબંધો લાદી દેવાયા છે. અનેક ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. કોરોના કેસને જોતા લોકો પણ વેક્સિન લેવા પડાપડી કરી રહ્યા છે. એકાએક વેક્સિનની માગમાં વધારો થયો છે. એક દિવસમાં હજારો લોકો વેક્સિન લઈ રહ્યા છે. માત્ર અમદાવાદમાં જ 1000ની આસપાસ લોકો વેક્સિનનો ડોઝ લગાવી રહ્યા છે. બુસ્ટર ડોઝની માગ વધી રહી છે. આવનાર સમયમાં લોકોએ વેક્સિન લીધા વગર પાછું ન જવું તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં લોકો એકાએક જાગ્યા છે. કોરોના કેસ વધતા લોકોને જાણે વેક્સિન યાદ આવી હોય તેવું લાગી રહ્યું છે.  







રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.