રાજ્યમાં વધ્યો તાપમાનનો પારો, હાલ બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ


  • Published By :
  • Published Date : 2023-02-07 09:59:41

છેલ્લા એક  બે દિવસથી રાજ્યમાં ઠંડીથી લોકોને છૂટકારો મળી રહ્યો છે. ઠંડી એકાએક ઓછી થઈ છે. ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાતના સમયે થોડો ઠંડીનો અહેસાસ થાય તો બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં આકરા તાપનો અનુભવ લોકો કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. માર્ચમાં તાપમાનનો પારો 45ની આસપાસ પહોંચી શકે છે.


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી  

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે તો રાતે તેમજ સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ઉત્તરગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ પ્રમાણેની આગાહી થતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ઠંડીને લઈ તેમણે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મધ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે.  


ફેબ્રુઆરીમાં ફરી વધશે ઠંડીનું પ્રમાણ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. તે ઉપરાંત ભેજવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમદાવાદમાં તાપમાનનો પારો 17 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્રણ ચાર દિવસથી ગરમી પડવા લાગી છે પરંતુ આગાહી પ્રમાણે ઠંડીનો વધુ એક રાઉન્ડ ફેબ્રુઆરીના મધ્યમાં આવશે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.