રાજ્યમાં વધ્યો તાપમાનનો પારો, હાલ બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ


  • Published By :
  • Published Date : 2023-02-07 09:59:41

છેલ્લા એક  બે દિવસથી રાજ્યમાં ઠંડીથી લોકોને છૂટકારો મળી રહ્યો છે. ઠંડી એકાએક ઓછી થઈ છે. ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાતના સમયે થોડો ઠંડીનો અહેસાસ થાય તો બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં આકરા તાપનો અનુભવ લોકો કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. માર્ચમાં તાપમાનનો પારો 45ની આસપાસ પહોંચી શકે છે.


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી  

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે તો રાતે તેમજ સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ઉત્તરગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ પ્રમાણેની આગાહી થતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ઠંડીને લઈ તેમણે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મધ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે.  


ફેબ્રુઆરીમાં ફરી વધશે ઠંડીનું પ્રમાણ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. તે ઉપરાંત ભેજવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમદાવાદમાં તાપમાનનો પારો 17 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્રણ ચાર દિવસથી ગરમી પડવા લાગી છે પરંતુ આગાહી પ્રમાણે ઠંડીનો વધુ એક રાઉન્ડ ફેબ્રુઆરીના મધ્યમાં આવશે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.