રાજ્યમાં વધ્યો તાપમાનનો પારો, હાલ બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ


  • Published By :
  • Published Date : 2023-02-07 09:59:41

છેલ્લા એક  બે દિવસથી રાજ્યમાં ઠંડીથી લોકોને છૂટકારો મળી રહ્યો છે. ઠંડી એકાએક ઓછી થઈ છે. ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાતના સમયે થોડો ઠંડીનો અહેસાસ થાય તો બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં આકરા તાપનો અનુભવ લોકો કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. માર્ચમાં તાપમાનનો પારો 45ની આસપાસ પહોંચી શકે છે.


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી  

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે તો રાતે તેમજ સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ઉત્તરગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ પ્રમાણેની આગાહી થતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ઠંડીને લઈ તેમણે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મધ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે.  


ફેબ્રુઆરીમાં ફરી વધશે ઠંડીનું પ્રમાણ 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. તે ઉપરાંત ભેજવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અમદાવાદમાં તાપમાનનો પારો 17 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો. બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્રણ ચાર દિવસથી ગરમી પડવા લાગી છે પરંતુ આગાહી પ્રમાણે ઠંડીનો વધુ એક રાઉન્ડ ફેબ્રુઆરીના મધ્યમાં આવશે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.