સુરત દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદ અને 50 હજારના વળતરની સજા


  • Published By :
  • Published Date : 2023-01-31 16:16:27

સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આજીવન કેદની સજા ઉપરાંત 50 હજારનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં સરકારી વકીલે આસારામ ગુનાહિત માનસિક્તા ધરાવતા હોવાની દલીલ કરીને કડકમાં કડક સજાની માગ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ગઈ કાલે જ આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આસારામને કલમ 376,377 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 


મહિલાઓના શારીરિક શોષણનો આરોપ


આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપ થયા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની મહિલાના આક્ષેપ સાથે સંબંધિત છે. જેમાં મહિલાએ પોતાનું શારીરીક શોષણ થયાનો આરોપ મુક્યો હતો. 1997 થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે શારીરીક શોષણ થયું હોવાનો આરોપ છે. 


6 આરોપીઓ નિર્દોષ


ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે આસારામને 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠળ સોમવારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.   કહ્યું હતું કે, દુષ્કર્મ કેસમાં આસારામને મહત્તમ સજા થાય તે માટે સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકરે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી.


આસારામ સામે કેસ શું હતો?


સુરતની બે મહિલાઓએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા આ મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો થયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 6 ઓક્ટોબર 2013ના દિવસે બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો છે. જ્યારે નારાયણ સામે સુરતની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.


આસારામ હાલ જોધપુર જેલમાં બંધ


સુરત દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા આસારામ બાપુ હાલ જોધપુર જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમણે જામીન અરજી કરી હતી પણ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. ગાંધીનગર સેસન્સ કોર્ટમાં ચાલી રહેલા દુષ્કર્મ કેસ માટે આજે આસારામને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજર રાખવામાં આવ્યા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.