ગેહલોત અને રાહુલ ગાંધી, ચૂંટણીમાં લાવશે આંધી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:45:31


2017ની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકો મેળવવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી દીધી છે ત્યારે આજે કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે આવશે અને આવતીકાલે ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓની કામગીરી અને આગામી યોજનાના માર્ગદર્શન માટે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે. 


અશોક ગેહલોત આજે ગુજરાત પ્રવાસે આવવાના છે પરંતુ કોંગ્રેસ પક્ષના કહેવા મુજબ અશોક ગેહલોત આજે નહીં પરંતુ આવતીકાલે રાહુલ ગાંધી સાથે જ ગુજરાત આવી શકે છે. અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પણ હોવાના કારણે પ્રવાસ વિશે વિશેષ યોજના બનાવવાની રહેતી હોવાના કારણે આજના પ્રવાસ મામલે કંઈ પુષ્ટિ થઈ શકી ના હતી. જો કે આવતીકાલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ હોવાના કારણે રાહુલ ગાંધી સાથે જ ગુજરાત આવે તેવી શક્યતા છે. અગાઉ અશોક ગેહલોતે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાથી લઈ ગુજરાતના મોટા નેતાઓ સાથે મળીને ચૂંટણીલક્ષી કાર્યક્રમની વિગતો માગી હતી અને ચૂંટણી પહેલા બુથ લેવલના કાર્યક્રમ માટે જરૂર પડતું માર્ગદર્શન કાર્યકર્તાઓને આપ્યું હતું. 



રાહુલ ગાંધીનો ચૂંટણી પહેલા ગુજરાત પ્રવાસ 

આજે રાહુલ ગાંધી દિલ્હીમાં મોંઘવારી જેવા વિવિધ મુદ્દાને ન્યાય આપવા માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન કરવાના છે. આવતીકાલે સવારે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે. અમદાવાદ એરપોર્ટથી હયાત હોટલ જવા રવાના થશે. હયાત હોટલથી બપોરે 12 કલાકે રિવરફ્રન્ટ  પર કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બુથના કાર્યકર્તાઓ સાથે સંકલ્પ સંમેલન કાર્યક્રમમાં ચૂંટણી અગાઉની રણનીતિ મામલે ચર્ચા કરશે અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચકાસણી કરશે. રાહુલ ગાંધી બપોરે અઢી વાગ્યા રિવરફ્રન્ટથી અમદાવાદની સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ જવા રવાના થશે. ગાંધી આશ્રમ ખાતે રાહુલ ગાંધી બાપુના આશિર્વાદ લેશે અને આશ્રમના લોકોની મુલાકાત લશે. આશ્રમ મુલાકાત બાદ રાહુલ ગાંધી સીધા દિલ્હી જવા રવાના થશે. 7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ અંતર્ગત ભારત જોડો યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. 7 સપ્ટેમ્બરે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસ ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહી છે.   


ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, અશોક ગેહલોત, અરવિંદ કેજરીવાલ સહિતના નેતા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાની કાર્યકર્તાઓની કામગીરી અંગે જાણકારી મેળવી રહ્યા છે અને જરૂર પડતું માર્ગદર્શન આપી રહ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી પહેલા કાર્યકર્તાઓ પાસે જનતાનો મૂડ જાણવા માટે સર્વે વગેરે કરાવી રહ્યા છે જેનાથી ચૂંટણી પહેલા ચૂંટણીનું દ્રશ્ય સામે આવી રહે.    






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.