ગેહલોત અને રાહુલ ગાંધી, ચૂંટણીમાં લાવશે આંધી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:45:31


2017ની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકો મેળવવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી દીધી છે ત્યારે આજે કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે આવશે અને આવતીકાલે ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓની કામગીરી અને આગામી યોજનાના માર્ગદર્શન માટે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે. 


અશોક ગેહલોત આજે ગુજરાત પ્રવાસે આવવાના છે પરંતુ કોંગ્રેસ પક્ષના કહેવા મુજબ અશોક ગેહલોત આજે નહીં પરંતુ આવતીકાલે રાહુલ ગાંધી સાથે જ ગુજરાત આવી શકે છે. અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પણ હોવાના કારણે પ્રવાસ વિશે વિશેષ યોજના બનાવવાની રહેતી હોવાના કારણે આજના પ્રવાસ મામલે કંઈ પુષ્ટિ થઈ શકી ના હતી. જો કે આવતીકાલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ હોવાના કારણે રાહુલ ગાંધી સાથે જ ગુજરાત આવે તેવી શક્યતા છે. અગાઉ અશોક ગેહલોતે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાથી લઈ ગુજરાતના મોટા નેતાઓ સાથે મળીને ચૂંટણીલક્ષી કાર્યક્રમની વિગતો માગી હતી અને ચૂંટણી પહેલા બુથ લેવલના કાર્યક્રમ માટે જરૂર પડતું માર્ગદર્શન કાર્યકર્તાઓને આપ્યું હતું. 



રાહુલ ગાંધીનો ચૂંટણી પહેલા ગુજરાત પ્રવાસ 

આજે રાહુલ ગાંધી દિલ્હીમાં મોંઘવારી જેવા વિવિધ મુદ્દાને ન્યાય આપવા માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન કરવાના છે. આવતીકાલે સવારે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે. અમદાવાદ એરપોર્ટથી હયાત હોટલ જવા રવાના થશે. હયાત હોટલથી બપોરે 12 કલાકે રિવરફ્રન્ટ  પર કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બુથના કાર્યકર્તાઓ સાથે સંકલ્પ સંમેલન કાર્યક્રમમાં ચૂંટણી અગાઉની રણનીતિ મામલે ચર્ચા કરશે અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચકાસણી કરશે. રાહુલ ગાંધી બપોરે અઢી વાગ્યા રિવરફ્રન્ટથી અમદાવાદની સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ જવા રવાના થશે. ગાંધી આશ્રમ ખાતે રાહુલ ગાંધી બાપુના આશિર્વાદ લેશે અને આશ્રમના લોકોની મુલાકાત લશે. આશ્રમ મુલાકાત બાદ રાહુલ ગાંધી સીધા દિલ્હી જવા રવાના થશે. 7 સપ્ટેમ્બરથી ભારત જોડો કાર્યક્રમ અંતર્ગત ભારત જોડો યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. 7 સપ્ટેમ્બરે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસ ભારત જોડો યાત્રાનું આયોજન કરી રહી છે.   


ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, અશોક ગેહલોત, અરવિંદ કેજરીવાલ સહિતના નેતા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાની કાર્યકર્તાઓની કામગીરી અંગે જાણકારી મેળવી રહ્યા છે અને જરૂર પડતું માર્ગદર્શન આપી રહ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી પહેલા કાર્યકર્તાઓ પાસે જનતાનો મૂડ જાણવા માટે સર્વે વગેરે કરાવી રહ્યા છે જેનાથી ચૂંટણી પહેલા ચૂંટણીનું દ્રશ્ય સામે આવી રહે.    






રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.