ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારક બન્યા અશોક ગેહલોત, સત્તાપક્ષ પર કર્યા આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-10-29 13:22:37

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી અને ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય  નેતાઓ ગુજરાતના પ્રવાસે નથી આવી રહ્યા. કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. હાલ ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યો છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નથી આવી. 

ભાજપનો એજન્ડા છે ચૂંટણી પંચને પ્રભાવિત કરો - ગેહલોત 

ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે. પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન તેમણે કોંગ્રેસનો પ્રચાર તો કર્યો સાથે સાથે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર પણ કર્યા. સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે ભાજપ પર નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને અમિત શાહના કાર્યક્રમ પૂરા નહીં થાય ત્યાં સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નહીં આવે.ભાજપ ચૂંટણીપંચ પર પ્રભાવ નાખે છે. ગુજરાત બદલાવ માગે છે.

 

ગેહલોતે આપને પણ લીધી આડેહાથ 

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કેજરીવાલ પેકેજ આપે છે. પહેલું પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. બીજુ પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. કોંગ્રેસના વખાણ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં લોકતંત્રને જીવંત રાખ્યું છે. અનંત પટેલ પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે લોકતંત્ર માટે ખતરાની ઘંટી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો દાખલો સામે છે. દેશમાં તણાવનો માહોલ છે. રાહુલ ગાંધીએ જે ગેરેન્ટી આપી છે તે તમામ વચનો અમે લોકોને આપીશુ.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.