ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારક બન્યા અશોક ગેહલોત, સત્તાપક્ષ પર કર્યા આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-10-29 13:22:37

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી અને ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય  નેતાઓ ગુજરાતના પ્રવાસે નથી આવી રહ્યા. કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. હાલ ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યો છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નથી આવી. 

ભાજપનો એજન્ડા છે ચૂંટણી પંચને પ્રભાવિત કરો - ગેહલોત 

ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે. પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન તેમણે કોંગ્રેસનો પ્રચાર તો કર્યો સાથે સાથે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર પણ કર્યા. સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે ભાજપ પર નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને અમિત શાહના કાર્યક્રમ પૂરા નહીં થાય ત્યાં સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નહીં આવે.ભાજપ ચૂંટણીપંચ પર પ્રભાવ નાખે છે. ગુજરાત બદલાવ માગે છે.

 

ગેહલોતે આપને પણ લીધી આડેહાથ 

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કેજરીવાલ પેકેજ આપે છે. પહેલું પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. બીજુ પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. કોંગ્રેસના વખાણ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં લોકતંત્રને જીવંત રાખ્યું છે. અનંત પટેલ પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે લોકતંત્ર માટે ખતરાની ઘંટી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો દાખલો સામે છે. દેશમાં તણાવનો માહોલ છે. રાહુલ ગાંધીએ જે ગેરેન્ટી આપી છે તે તમામ વચનો અમે લોકોને આપીશુ.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.