ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારક બન્યા અશોક ગેહલોત, સત્તાપક્ષ પર કર્યા આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-10-29 13:22:37

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી અને ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય  નેતાઓ ગુજરાતના પ્રવાસે નથી આવી રહ્યા. કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. હાલ ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યો છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નથી આવી. 

ભાજપનો એજન્ડા છે ચૂંટણી પંચને પ્રભાવિત કરો - ગેહલોત 

ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે. પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન તેમણે કોંગ્રેસનો પ્રચાર તો કર્યો સાથે સાથે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર પણ કર્યા. સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે ભાજપ પર નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને અમિત શાહના કાર્યક્રમ પૂરા નહીં થાય ત્યાં સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નહીં આવે.ભાજપ ચૂંટણીપંચ પર પ્રભાવ નાખે છે. ગુજરાત બદલાવ માગે છે.

 

ગેહલોતે આપને પણ લીધી આડેહાથ 

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કેજરીવાલ પેકેજ આપે છે. પહેલું પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. બીજુ પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. કોંગ્રેસના વખાણ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં લોકતંત્રને જીવંત રાખ્યું છે. અનંત પટેલ પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે લોકતંત્ર માટે ખતરાની ઘંટી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો દાખલો સામે છે. દેશમાં તણાવનો માહોલ છે. રાહુલ ગાંધીએ જે ગેરેન્ટી આપી છે તે તમામ વચનો અમે લોકોને આપીશુ.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.