ભારત-પાક ટીમ વચ્ચે મહામુકાબલો, જાણો કોનું પલડુ રહેશે ભારે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 12:32:04

ભારત-પાકિસ્તાન મુકાબલામાં હવે એક માત્ર દિવસ જ બાકી રહ્યો છે. આ મેચ જોવા માટે લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતી કાલે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુએઈમાં જ યોજાયેલ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. જો કે ત્યાર બાદ પરિસ્થિતી ઘણી બદલાઈ ગઈ છે. ટીમની પાસે રોહિત તરીકે નવો કેપ્ટન અને નવો કોચિંગ સ્ટાફ છે. જ્યારે પાકિસ્તાન ટીમ પોતાના દિગ્ગજો વિના ઉતરશે. ભારતીય ટીમનો સૌથી મોટો અને આત્મ વિશ્વાસ વધારતી બાબત એ છે  કે એશિયા કપમાં ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. ટીમ 8 વર્ષથી હારી નથી. ટીમ 11 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 2 વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તે 2016 અને 2018માં વિજેતા બની હતી. 


કઈ ટીમ કેટલી મજબુત


પાકિસ્તાનના જ જાણીતા ક્રિકેટર દાનિશ કનેરિયા ટીમ ઈન્ડિયાને જીતની પ્રબળ દાવેદાર ગણાવી ચુક્યા છે. જોકે ભારત અને પાકિસ્તાનની ટીમ મેદાન પર કેટલી મજબુત છે તે જાણવું રસપ્રદ બની રહેશે. ભારતનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની મુજબુત બેટીંગ લાઈન છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી,કે એલ રાહુલ ઉપરાંત હાર્હિક પડ્યા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન સહિતના ઓલરાઉન્ડર છે. જ્યારે સામે પક્ષે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમ ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હોવાથી તેમનું બોલિંગ એટેક નબળું છે. ભારત પાસે જાડેજા, હાર્દિક અને સૂર્યકુમાર જેવા શાનદાર ફિલ્ડર છે. જ્યારે ફિલ્ડિંગ પાકિસ્તાનની સૌથી મોટી નબળાઈ છે. તેમનો એક માત્ર શ્રેષ્ઠ ફિલ્ડર શાદાબ છે. પાક ટીમ અનુભવી ખેલાડી મલિક અને હફિઝ વિના મેદાનમાં ઉતરશે. બાબર- રિઝવાન ઈનિંગ્સનો પ્રારંભ મળશે, મિડલ ઓર્ડરને લાભ મળશે. ફખર, હૈદર, ઈફ્તિખારને સારી શરૂઆત મળે તેઓ મોટી ઈનિંગ્સ રમી શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ 4 સ્પિનર્સની પસંદગી કરી છે, ટીમને જશપ્રીત બુમરાહની ખોટ પડી શકે છે. ટીમ પાસે જાડેજા અને અશ્વિન જેવા ઓલરાઉન્ડર છે. ચહલ ઉપરાંત બિશ્નોઈ ઝડપી લેગ-બ્રેક નાંખવામાં માહેર છે. ઝડપી બોલિંગ યુનિટ થોડું નબળું છે. આવેશ દબાણમાં થોડો મોઘો સાબિત થાય તેવું લાગી રહ્યું છે. ભુવનેશ્વર કુમારની જેમ અર્શદીપ પણ ડાબોડી બોલર છે. પાકિસ્તાનની ટીમ પાસે નસીમ, રઉફ અને શાહનવાઝ જેવા ઝડપી બોલિંર છે. જો કે પાક ટીમને શાહીન શાહ આફ્રિદીની ખોટ પડશે. પાકિસ્તાન પાસે ડાબોડી ઝડપી બોલર ન હોવાથી ભારતીય ટીમ તેનો લાભ લઈ શકશે. પાક ટીમ ઉસ્માન કાદિર, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ જેવા સ્પિનર્સ સાથે મેદાનમાં ઉતરશે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .