ભારત-પાક ટીમ વચ્ચે મહામુકાબલો, જાણો કોનું પલડુ રહેશે ભારે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 12:32:04

ભારત-પાકિસ્તાન મુકાબલામાં હવે એક માત્ર દિવસ જ બાકી રહ્યો છે. આ મેચ જોવા માટે લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતી કાલે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુએઈમાં જ યોજાયેલ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. જો કે ત્યાર બાદ પરિસ્થિતી ઘણી બદલાઈ ગઈ છે. ટીમની પાસે રોહિત તરીકે નવો કેપ્ટન અને નવો કોચિંગ સ્ટાફ છે. જ્યારે પાકિસ્તાન ટીમ પોતાના દિગ્ગજો વિના ઉતરશે. ભારતીય ટીમનો સૌથી મોટો અને આત્મ વિશ્વાસ વધારતી બાબત એ છે  કે એશિયા કપમાં ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. ટીમ 8 વર્ષથી હારી નથી. ટીમ 11 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 2 વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તે 2016 અને 2018માં વિજેતા બની હતી. 


કઈ ટીમ કેટલી મજબુત


પાકિસ્તાનના જ જાણીતા ક્રિકેટર દાનિશ કનેરિયા ટીમ ઈન્ડિયાને જીતની પ્રબળ દાવેદાર ગણાવી ચુક્યા છે. જોકે ભારત અને પાકિસ્તાનની ટીમ મેદાન પર કેટલી મજબુત છે તે જાણવું રસપ્રદ બની રહેશે. ભારતનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની મુજબુત બેટીંગ લાઈન છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી,કે એલ રાહુલ ઉપરાંત હાર્હિક પડ્યા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન સહિતના ઓલરાઉન્ડર છે. જ્યારે સામે પક્ષે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમ ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હોવાથી તેમનું બોલિંગ એટેક નબળું છે. ભારત પાસે જાડેજા, હાર્દિક અને સૂર્યકુમાર જેવા શાનદાર ફિલ્ડર છે. જ્યારે ફિલ્ડિંગ પાકિસ્તાનની સૌથી મોટી નબળાઈ છે. તેમનો એક માત્ર શ્રેષ્ઠ ફિલ્ડર શાદાબ છે. પાક ટીમ અનુભવી ખેલાડી મલિક અને હફિઝ વિના મેદાનમાં ઉતરશે. બાબર- રિઝવાન ઈનિંગ્સનો પ્રારંભ મળશે, મિડલ ઓર્ડરને લાભ મળશે. ફખર, હૈદર, ઈફ્તિખારને સારી શરૂઆત મળે તેઓ મોટી ઈનિંગ્સ રમી શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ 4 સ્પિનર્સની પસંદગી કરી છે, ટીમને જશપ્રીત બુમરાહની ખોટ પડી શકે છે. ટીમ પાસે જાડેજા અને અશ્વિન જેવા ઓલરાઉન્ડર છે. ચહલ ઉપરાંત બિશ્નોઈ ઝડપી લેગ-બ્રેક નાંખવામાં માહેર છે. ઝડપી બોલિંગ યુનિટ થોડું નબળું છે. આવેશ દબાણમાં થોડો મોઘો સાબિત થાય તેવું લાગી રહ્યું છે. ભુવનેશ્વર કુમારની જેમ અર્શદીપ પણ ડાબોડી બોલર છે. પાકિસ્તાનની ટીમ પાસે નસીમ, રઉફ અને શાહનવાઝ જેવા ઝડપી બોલિંર છે. જો કે પાક ટીમને શાહીન શાહ આફ્રિદીની ખોટ પડશે. પાકિસ્તાન પાસે ડાબોડી ઝડપી બોલર ન હોવાથી ભારતીય ટીમ તેનો લાભ લઈ શકશે. પાક ટીમ ઉસ્માન કાદિર, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ જેવા સ્પિનર્સ સાથે મેદાનમાં ઉતરશે.



લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.