હિંદુ મહિલાઓ પર કરાયેલી ટિપ્પણી પર આસામના સાંસદ બદરૂદ્દીન અજમલે માગી માફી


  • Published By :
  • Published Date : 2022-12-04 13:38:07

આસામના લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે થોડા દિવસો પહેલા હિંદુઓની લાગણીને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે અનેક હિંદુ નેતાઓ મુસલમાનોના ખિલાફ બોલે છે. તેમણે કહ્યું કે હિંદુઓએ મુસલમાનની માફક નાની ઉંમરમાં લગ્ન કરી લેવા જોઈએ. હિંદુઓએ વસ્તી વધારવા મુસ્લિમોની ફોર્મ્યુલા અપનાવી જોઈએ. તેમના આવા નિવેદનથી વિવાદ વકરી રહ્યો છે. પોતાના નિવેદન પર તેમણે માફી પણ માગી છે.

  

હિંદુઓને ઠેસ પહોંચે તેવું આપ્યું હતું નિવેદન 

વિવાદીત નિવેદનમાં તેમણે એવું કહ્યું કે મુસ્લિમ છોકરીઓના લગ્ન 18 વર્ષમાં થઈ જાય છે, અને મુસ્લિમ છોકરાઓના લગ્ન 20-22 વર્ષે થઈ જાય છે. તો બીજી તરફ હિંદુઓ 40 વર્ષ પહેલા લગ્ન નથી કરતા, અને 40 વર્ષ પછી માતા-પિતાના પ્રેશરમાં આવી જાય છે. પરંતુ 40 વર્ષની બાદ બાળક પૈદા કરવાની તાકાત ક્યા રહે છે. તો પછી કેવી રીતે બાળકો જન્મશે. તેમના કહેવા પ્રમાણે હિંદુઓએ 20-22ની ઉંમરે લગ્ન કરી લેવા જોઈએ. 

વિવાદ વધતા સાંસદે માગી માફી 

તેમના આ નિવેદનથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી હતી. અનેક લોકોએ આ ટિપ્પણી પર નારજગી વ્યક્ત કરી હતી. ભાજપે પણ આ મુદ્દે તેમના પર નિશાન સાધ્યું હતું. માફી માગતા તેમણે કહ્યું કે જો મારા શબ્દોથી હિંદુઓની લાગણી દુભાઈ હોય તો તે પોતાના શબ્દો પાછા લે છે. મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોચાડવાનું ન હતું. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.