હિંદુ મહિલાઓ પર કરાયેલી ટિપ્પણી પર આસામના સાંસદ બદરૂદ્દીન અજમલે માગી માફી


  • Published By :
  • Published Date : 2022-12-04 13:38:07

આસામના લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે થોડા દિવસો પહેલા હિંદુઓની લાગણીને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે અનેક હિંદુ નેતાઓ મુસલમાનોના ખિલાફ બોલે છે. તેમણે કહ્યું કે હિંદુઓએ મુસલમાનની માફક નાની ઉંમરમાં લગ્ન કરી લેવા જોઈએ. હિંદુઓએ વસ્તી વધારવા મુસ્લિમોની ફોર્મ્યુલા અપનાવી જોઈએ. તેમના આવા નિવેદનથી વિવાદ વકરી રહ્યો છે. પોતાના નિવેદન પર તેમણે માફી પણ માગી છે.

  

હિંદુઓને ઠેસ પહોંચે તેવું આપ્યું હતું નિવેદન 

વિવાદીત નિવેદનમાં તેમણે એવું કહ્યું કે મુસ્લિમ છોકરીઓના લગ્ન 18 વર્ષમાં થઈ જાય છે, અને મુસ્લિમ છોકરાઓના લગ્ન 20-22 વર્ષે થઈ જાય છે. તો બીજી તરફ હિંદુઓ 40 વર્ષ પહેલા લગ્ન નથી કરતા, અને 40 વર્ષ પછી માતા-પિતાના પ્રેશરમાં આવી જાય છે. પરંતુ 40 વર્ષની બાદ બાળક પૈદા કરવાની તાકાત ક્યા રહે છે. તો પછી કેવી રીતે બાળકો જન્મશે. તેમના કહેવા પ્રમાણે હિંદુઓએ 20-22ની ઉંમરે લગ્ન કરી લેવા જોઈએ. 

વિવાદ વધતા સાંસદે માગી માફી 

તેમના આ નિવેદનથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી હતી. અનેક લોકોએ આ ટિપ્પણી પર નારજગી વ્યક્ત કરી હતી. ભાજપે પણ આ મુદ્દે તેમના પર નિશાન સાધ્યું હતું. માફી માગતા તેમણે કહ્યું કે જો મારા શબ્દોથી હિંદુઓની લાગણી દુભાઈ હોય તો તે પોતાના શબ્દો પાછા લે છે. મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોચાડવાનું ન હતું. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.