હિંદુ મહિલાઓ પર કરાયેલી ટિપ્પણી પર આસામના સાંસદ બદરૂદ્દીન અજમલે માગી માફી


  • Published By :
  • Published Date : 2022-12-04 13:38:07

આસામના લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે થોડા દિવસો પહેલા હિંદુઓની લાગણીને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે અનેક હિંદુ નેતાઓ મુસલમાનોના ખિલાફ બોલે છે. તેમણે કહ્યું કે હિંદુઓએ મુસલમાનની માફક નાની ઉંમરમાં લગ્ન કરી લેવા જોઈએ. હિંદુઓએ વસ્તી વધારવા મુસ્લિમોની ફોર્મ્યુલા અપનાવી જોઈએ. તેમના આવા નિવેદનથી વિવાદ વકરી રહ્યો છે. પોતાના નિવેદન પર તેમણે માફી પણ માગી છે.

  

હિંદુઓને ઠેસ પહોંચે તેવું આપ્યું હતું નિવેદન 

વિવાદીત નિવેદનમાં તેમણે એવું કહ્યું કે મુસ્લિમ છોકરીઓના લગ્ન 18 વર્ષમાં થઈ જાય છે, અને મુસ્લિમ છોકરાઓના લગ્ન 20-22 વર્ષે થઈ જાય છે. તો બીજી તરફ હિંદુઓ 40 વર્ષ પહેલા લગ્ન નથી કરતા, અને 40 વર્ષ પછી માતા-પિતાના પ્રેશરમાં આવી જાય છે. પરંતુ 40 વર્ષની બાદ બાળક પૈદા કરવાની તાકાત ક્યા રહે છે. તો પછી કેવી રીતે બાળકો જન્મશે. તેમના કહેવા પ્રમાણે હિંદુઓએ 20-22ની ઉંમરે લગ્ન કરી લેવા જોઈએ. 

વિવાદ વધતા સાંસદે માગી માફી 

તેમના આ નિવેદનથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી હતી. અનેક લોકોએ આ ટિપ્પણી પર નારજગી વ્યક્ત કરી હતી. ભાજપે પણ આ મુદ્દે તેમના પર નિશાન સાધ્યું હતું. માફી માગતા તેમણે કહ્યું કે જો મારા શબ્દોથી હિંદુઓની લાગણી દુભાઈ હોય તો તે પોતાના શબ્દો પાછા લે છે. મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોચાડવાનું ન હતું. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે