ભાજપે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં રૂ. 340 કરોડથી વધુનો ખર્ચ કર્યો, UP ચૂંટણીમાં સૌથી વધુ ખર્ચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 18:09:34

રાજકીય પક્ષો લોકસભા અને વિધાનસભા સહિતની નાની-મોટી ચૂંટણીઓ જીતવા માટે પાણીની જેમ પૈસા વહાવતા હોય છે.  જેમ કે ભાજપે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 340 કરોડથી રૂપિયા પણ વધુનો ખર્ચ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ વર્ષે પૂર્ણ થયેલી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં રૂ. 340 કરોડનો ખર્ચ કર્યો છે, જ્યારે કોંગ્રેસે આ રાજ્યોમાં રૂ. 194 કરોડથી વધુ ખર્ચ કર્યા છે. આ બંને પક્ષોએ ચૂંટણી પંચને સોંપેલી ચૂંટણી ખર્ચ સંબંધીત વિગતો પરથી આ માહિતી જાણવા મળે છે. ચૂંટણી આયોગે આ માહિતી જાહેર કરી છે.


UP વિધાનસભા ચૂંટણીમાં BJPએ સૌથી વધુ 221 કરોડ રૂપિયા ખર્ચ્યા


ભાજપે આપેલી વિગતો અનુસાર, તેણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પર 340 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. આ મુજબ ભાજપે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 221 કરોડ રૂપિયા, મણિપુરમાં 23 કરોડ રૂપિયા, ઉત્તરાખંડમાં 43.67 કરોડ રૂપિયા, પંજાબમાં 36 કરોડ રૂપિયા અને ગોવામાં 19 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે. 


પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસનો 194 કરોડ રૂપિયાનો ખર્ચ


આ જ રીતે, કોંગ્રેસ દ્વારા દાખલ કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ રાજ્યોની ચૂંટણીઓ અને સંબંધિત કાર્યોમાં 194 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને રાષ્ટ્રિય પક્ષો છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડતા પક્ષોએ નિર્ધારિત સમયમર્યાદામાં ચૂંટણી પંચ સમક્ષ તેમના ચૂંટણી ખર્ચનો અહેવાલ દાખલ કરવો જરૂરી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.