વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસનો સપાટો, પ્રવક્તા પ્રગતિ આહિર સહિત 4 નેતાઓની હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-01-24 19:18:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નિષ્ફળતા બાદ પાર્ટીએ શિસ્ત સમિતિની રચના કરી હતી. આ કમિટીના સભ્યો રાજ્યમાંથી આવતી ફરિયાદો અને સ્થાનિક નેતાઓની પાર્ટી વિરોધી કાર્યવાહીની સમીક્ષા કરીને તેમની વિરૂધ્ધ આકરા પગલા ભરી રહી છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા અનેક કાર્યકર્તાઓની હકાલપટ્ટી બાદ આજે ચાર દિગ્ગજ ચહેરાઓની હકાલપટ્ટી શરૂ કરવામાં આવી છે. 


જૂનાગઢ શહેર કોંગ્રેસના નેતાઓની હકાલપટ્ટી


ભાજપની જેમ કોંગ્રેસ પાર્ટી પણ શિસ્ત મુદ્દે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. આ જ કારણે કોંગ્રેસે આજે જૂનાગઢ શહેર કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે આકરા પગલા ભરતા તેમને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસમાંથી હકાલપટ્ટી પામેલા આ દિગ્ગજ ચહેરાઓમાં જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારનો સમાવેશ થાય છે. ગુજરાત કોંગ્રેસના ગજાના નેતા અને પ્રવક્તા પ્રગતિબેન આહિર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પ્રવીણભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકી ત્રણ વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. 


શા માટે હકાલપટ્ટી કરવામાં આવી?


જૂનાગઢ શહેર કોંગ્રેસના અગ્રણી નેતાઓની હકાલપટ્ટી મુદ્દે રાજકિય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. હવે સવાલ એ થાય છે કે આ નેતાઓને સસ્પેન્ડ શા માટે કરવામાં આવ્યા?, ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે  વિધાનસભાની ચૂંટણી પતી ગયા પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા સર્વે ચાલુ જ છે અને જે નેતાઓ વિધાનસભાની ચૂંટણી વખતે નારાજ થઈને ઘરે બેઠા હોય તેવા, જેમણે ઉમેદવારો પાસેથી રૂપિયા લીધા હોય કે પછી  કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય તેવા મોટા ગજાના આગેવાનોને કે ચમરબંધીઓને પણ સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસ જરાકે પણ અચકાશે નહીં. હજી પણ ભવિષ્યમાં ગુજરાત કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા સર્વે ચાલુ જ છે અને ભવિષ્યમાં પણ આવા પાર્ટી વિરોધી અનેક નેતાઓની હકાલપટ્ટી થઇ શકે છે.


શિસ્ત ભંગ સમિતીને મળી 71 ફરિયાદો 


આજે કોંગ્રેસની શિસ્ત સમિતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બાલુભાઈ પટેલે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ડિસેમ્બર 2022 માં  કોંગ્રેસની શિસ્ત સમિતીની પુનઃરચના કરવામાં આવી હતી.આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાં બે મિટીંગોમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.