વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસનો સપાટો, પ્રવક્તા પ્રગતિ આહિર સહિત 4 નેતાઓની હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-01-24 19:18:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નિષ્ફળતા બાદ પાર્ટીએ શિસ્ત સમિતિની રચના કરી હતી. આ કમિટીના સભ્યો રાજ્યમાંથી આવતી ફરિયાદો અને સ્થાનિક નેતાઓની પાર્ટી વિરોધી કાર્યવાહીની સમીક્ષા કરીને તેમની વિરૂધ્ધ આકરા પગલા ભરી રહી છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા અનેક કાર્યકર્તાઓની હકાલપટ્ટી બાદ આજે ચાર દિગ્ગજ ચહેરાઓની હકાલપટ્ટી શરૂ કરવામાં આવી છે. 


જૂનાગઢ શહેર કોંગ્રેસના નેતાઓની હકાલપટ્ટી


ભાજપની જેમ કોંગ્રેસ પાર્ટી પણ શિસ્ત મુદ્દે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. આ જ કારણે કોંગ્રેસે આજે જૂનાગઢ શહેર કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે આકરા પગલા ભરતા તેમને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસમાંથી હકાલપટ્ટી પામેલા આ દિગ્ગજ ચહેરાઓમાં જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારનો સમાવેશ થાય છે. ગુજરાત કોંગ્રેસના ગજાના નેતા અને પ્રવક્તા પ્રગતિબેન આહિર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પ્રવીણભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકી ત્રણ વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. 


શા માટે હકાલપટ્ટી કરવામાં આવી?


જૂનાગઢ શહેર કોંગ્રેસના અગ્રણી નેતાઓની હકાલપટ્ટી મુદ્દે રાજકિય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. હવે સવાલ એ થાય છે કે આ નેતાઓને સસ્પેન્ડ શા માટે કરવામાં આવ્યા?, ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે  વિધાનસભાની ચૂંટણી પતી ગયા પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાત કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા સર્વે ચાલુ જ છે અને જે નેતાઓ વિધાનસભાની ચૂંટણી વખતે નારાજ થઈને ઘરે બેઠા હોય તેવા, જેમણે ઉમેદવારો પાસેથી રૂપિયા લીધા હોય કે પછી  કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય તેવા મોટા ગજાના આગેવાનોને કે ચમરબંધીઓને પણ સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસ જરાકે પણ અચકાશે નહીં. હજી પણ ભવિષ્યમાં ગુજરાત કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા સર્વે ચાલુ જ છે અને ભવિષ્યમાં પણ આવા પાર્ટી વિરોધી અનેક નેતાઓની હકાલપટ્ટી થઇ શકે છે.


શિસ્ત ભંગ સમિતીને મળી 71 ફરિયાદો 


આજે કોંગ્રેસની શિસ્ત સમિતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બાલુભાઈ પટેલે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ડિસેમ્બર 2022 માં  કોંગ્રેસની શિસ્ત સમિતીની પુનઃરચના કરવામાં આવી હતી.આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાં બે મિટીંગોમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.