વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે


  • Published By :
  • Published Date : 2022-11-02 19:59:35


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્સનમાં આવ્યા છે. ભાજપ વિરોધી માહોલ હોવાથી પીએમ મોદી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે મોદી એક માત્ર તારણહાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 6 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે.આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. 


PM મોદી 6 નવેમ્બરે વલસાડની મુલાકાતે


પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આગામી 6 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડની મુલાકાતે આવશે. તેઓ કપરાડાના નાનામોંઢામાં ચૂંટણી પ્રચાર કરશે. નાના મોંઢામાં યોજાનારી જનસભાને સંબોધશે. આદીવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી કપરાડા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. પીએમ મોદી આદીવાસીઓને આકર્ષવા માટે આ વિસ્તારમાં જંગી રેલીને સંબોધશે.


કપરાડા બેઠક પર ત્રિપાંખિયો જંગ


કપરાડા બેઠક પરથી જયેન્દ્ર ગાવિત AAPની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ભાજપમાં ત્રણ દાવેદારો મેદાનમાં છે. કપરાડાના વર્તમાન ધારાસભ્ય જીતુ ચૌધરી છે, જે હાલ રાજ્યના પાણી પુરવઠા મંત્રી છે. આ બેઠક પર જીતુ ચૌધરીએ ફરી દાવેદારી નોંધાવી છે. તો, તેમની સાથે ભાજપના જુના જોગી કહેવાતા મધુ રાઉત, ગુલાબ રાઉત, અને પૂર્વ ધારાસભ્ય મુકેશ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે જોવાનું એ છે આ કપરાડા બેઠક માટે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે?.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.