વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે


  • Published By :
  • Published Date : 2022-11-02 19:59:35


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્સનમાં આવ્યા છે. ભાજપ વિરોધી માહોલ હોવાથી પીએમ મોદી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે મોદી એક માત્ર તારણહાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 6 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે.આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. 


PM મોદી 6 નવેમ્બરે વલસાડની મુલાકાતે


પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આગામી 6 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડની મુલાકાતે આવશે. તેઓ કપરાડાના નાનામોંઢામાં ચૂંટણી પ્રચાર કરશે. નાના મોંઢામાં યોજાનારી જનસભાને સંબોધશે. આદીવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી કપરાડા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. પીએમ મોદી આદીવાસીઓને આકર્ષવા માટે આ વિસ્તારમાં જંગી રેલીને સંબોધશે.


કપરાડા બેઠક પર ત્રિપાંખિયો જંગ


કપરાડા બેઠક પરથી જયેન્દ્ર ગાવિત AAPની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ભાજપમાં ત્રણ દાવેદારો મેદાનમાં છે. કપરાડાના વર્તમાન ધારાસભ્ય જીતુ ચૌધરી છે, જે હાલ રાજ્યના પાણી પુરવઠા મંત્રી છે. આ બેઠક પર જીતુ ચૌધરીએ ફરી દાવેદારી નોંધાવી છે. તો, તેમની સાથે ભાજપના જુના જોગી કહેવાતા મધુ રાઉત, ગુલાબ રાઉત, અને પૂર્વ ધારાસભ્ય મુકેશ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે જોવાનું એ છે આ કપરાડા બેઠક માટે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે?.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.