સોમવારે મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, શાંત થયા પ્રચાર પડઘમ


  • Published By :
  • Published Date : 2023-02-25 19:25:52

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. થોડા દિવસો પહેલા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે પૂર્વના બે રાજ્યોમાં સોમવારે ચૂંટણી યોજાવાની છે. મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી યોજાવાની છે જેને લઈ શનિવારથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. બંને રાજ્યોમાં ભાજપની ગઠબંધનની સરકારો હતી. આ વખતે મેઘાલયમાં ભાજપ અને એનસીપી અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક પાર્ટીએ એક બીજા પર આકરા પ્રહાર કર્યા હતા. 


27 ફેબ્રુઆરીના રોજ યોજાશે મતદાન 

બંને રાજ્યોની ચૂંટણી માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે કોંગ્રેસે પણ વરિષ્ઠ નેતાઓએ પ્રચારમાં ઉતાર્ચા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિત અનેક નેતાઓએ પ્રચાર કર્યો હતો. પ્રચારના છેલ્લા દિવસે દરેક પાર્ટીએ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. બંને રાજ્યોમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ યોજાવાનું છે જ્યારે ચૂંટણીનું પરિણામ 2 માર્ચના રોજ યોજાવાનું છે.       


સુરક્ષાને લઈ સીમાઓ કરાઈ સીલ   

ચૂંટણીને અનુલક્ષી ભારત-બાંગ્લાદેશની સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. તે સિવાય આસામને જોડતી સીમાને પણ સીલ કરી દેવામાં આવી છે. સુરક્ષા માટે જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં 60 વિધાનસભા બેઠકો માટે 375 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. તો બીજી તરફ નાગાલેન્ડમાં પણ 60 બેઠકો માટે મતદાન થવાનું છે. 59 બેઠકો માટે જ મતદાન થવાનું છે કારણ કે એક બેઠક પર ભાજપના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ ગયા છે. 183 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. નાગાલેન્ડની સીમાને પણ સીલ કરવામાં આવી છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.