સોમવારે મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, શાંત થયા પ્રચાર પડઘમ


  • Published By :
  • Published Date : 2023-02-25 19:25:52

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. થોડા દિવસો પહેલા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે પૂર્વના બે રાજ્યોમાં સોમવારે ચૂંટણી યોજાવાની છે. મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી યોજાવાની છે જેને લઈ શનિવારથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. બંને રાજ્યોમાં ભાજપની ગઠબંધનની સરકારો હતી. આ વખતે મેઘાલયમાં ભાજપ અને એનસીપી અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક પાર્ટીએ એક બીજા પર આકરા પ્રહાર કર્યા હતા. 


27 ફેબ્રુઆરીના રોજ યોજાશે મતદાન 

બંને રાજ્યોની ચૂંટણી માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે કોંગ્રેસે પણ વરિષ્ઠ નેતાઓએ પ્રચારમાં ઉતાર્ચા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિત અનેક નેતાઓએ પ્રચાર કર્યો હતો. પ્રચારના છેલ્લા દિવસે દરેક પાર્ટીએ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. બંને રાજ્યોમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ યોજાવાનું છે જ્યારે ચૂંટણીનું પરિણામ 2 માર્ચના રોજ યોજાવાનું છે.       


સુરક્ષાને લઈ સીમાઓ કરાઈ સીલ   

ચૂંટણીને અનુલક્ષી ભારત-બાંગ્લાદેશની સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. તે સિવાય આસામને જોડતી સીમાને પણ સીલ કરી દેવામાં આવી છે. સુરક્ષા માટે જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં 60 વિધાનસભા બેઠકો માટે 375 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. તો બીજી તરફ નાગાલેન્ડમાં પણ 60 બેઠકો માટે મતદાન થવાનું છે. 59 બેઠકો માટે જ મતદાન થવાનું છે કારણ કે એક બેઠક પર ભાજપના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ ગયા છે. 183 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. નાગાલેન્ડની સીમાને પણ સીલ કરવામાં આવી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.