Ahmedabad Ayodhya વચ્ચે શરૂ થઈ આસ્થા સ્પેશિયલ ટ્રેન, ભૂપેન્દ્ર પટેલે બતાવી લીલી ઝંડી...


  • Published By :
  • Published Date : 2024-02-08 11:14:54

અયોધ્યા આ નામ સાંભળતા જ આપણી આગળ ભગવાન રામની મનોહર પ્રતિમાની ઝાંખી આવી જાય. 22 જાન્યુઆરીએ અનેક ભક્તો માટે અનેરો ક્ષણ હતો જ્યારે રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થયા હતા. સમગ્ર દેશ રામમય બની ગયો હોય તેવું લાગતું હતું. કરોડો ભક્તો આ ક્ષણના સાક્ષી બન્યા હતા. જ્યારથી મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકાયું છે ત્યારથી અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. 

આસ્થા સ્પેશ્યલ ટ્રેનની કરાઈ શરૂઆત  

દેશના વિવિધ રાજ્યોથી ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે. ગુજરાતીઓ પણ અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા જઈ શકે તે માટે સાબરમતીથી અયોધ્યા સુધીની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદથી આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે સીએમએ પ્રસ્થાન કરાવ્યું છે. આ સ્પેશ્યલ ટ્રેનમાં 1400 જેટલા શ્રદ્ધાળુઓ છે જે ભગવાન રામના દર્શન કરશે. ગુજરાતથી ગયેલા યાત્રાળુઓની યાત્રા મંગળમય રહે તેવી શુભેચ્છા ભૂપેન્દ્ર પટેલે પાઠવી છે. 

ahmedabad-news-cm-bhupendra-patel-flagged-off-the-astha-special-train-from-sabarmati-railway-station-to-ayodhya-279716

ભગવાન રામ છે અનેક ભક્તોના ઈષ્ટ!

મહત્વનું છે કે અનેક દાયકાઓ બાદ ભગવાન રામના મૂર્તિની નિજ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. અનેક સંઘર્ષો બાદ એ ક્ષણ આવ્યો હતો જે ક્ષણના સાક્ષી આપણે લોકો બન્યા હતા. ભગવાન રામની મૂર્તિની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે અનેક લોકોની આંખોમાં હરખના આંસુ પણ આવી ગયા હતા. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.