Ahmedabad Ayodhya વચ્ચે શરૂ થઈ આસ્થા સ્પેશિયલ ટ્રેન, ભૂપેન્દ્ર પટેલે બતાવી લીલી ઝંડી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-08 11:14:54

અયોધ્યા આ નામ સાંભળતા જ આપણી આગળ ભગવાન રામની મનોહર પ્રતિમાની ઝાંખી આવી જાય. 22 જાન્યુઆરીએ અનેક ભક્તો માટે અનેરો ક્ષણ હતો જ્યારે રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થયા હતા. સમગ્ર દેશ રામમય બની ગયો હોય તેવું લાગતું હતું. કરોડો ભક્તો આ ક્ષણના સાક્ષી બન્યા હતા. જ્યારથી મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકાયું છે ત્યારથી અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. 

આસ્થા સ્પેશ્યલ ટ્રેનની કરાઈ શરૂઆત  

દેશના વિવિધ રાજ્યોથી ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે. ગુજરાતીઓ પણ અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા જઈ શકે તે માટે સાબરમતીથી અયોધ્યા સુધીની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદથી આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે સીએમએ પ્રસ્થાન કરાવ્યું છે. આ સ્પેશ્યલ ટ્રેનમાં 1400 જેટલા શ્રદ્ધાળુઓ છે જે ભગવાન રામના દર્શન કરશે. ગુજરાતથી ગયેલા યાત્રાળુઓની યાત્રા મંગળમય રહે તેવી શુભેચ્છા ભૂપેન્દ્ર પટેલે પાઠવી છે. 

ahmedabad-news-cm-bhupendra-patel-flagged-off-the-astha-special-train-from-sabarmati-railway-station-to-ayodhya-279716

ભગવાન રામ છે અનેક ભક્તોના ઈષ્ટ!

મહત્વનું છે કે અનેક દાયકાઓ બાદ ભગવાન રામના મૂર્તિની નિજ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. અનેક સંઘર્ષો બાદ એ ક્ષણ આવ્યો હતો જે ક્ષણના સાક્ષી આપણે લોકો બન્યા હતા. ભગવાન રામની મૂર્તિની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે અનેક લોકોની આંખોમાં હરખના આંસુ પણ આવી ગયા હતા. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.     



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.