ભાવનગરમાં નિરમા કંપનીના ગેટ પાસે પ્રેમિકાએ જ પ્રેમીને પતાવી દીધો, હત્યાનું કારણ અકબંધ


  • Published By :
  • Published Date : 2024-01-09 18:57:25

ભાવનગર નજીક ભાલ પંથકમાં આવેલ નિરમા કંપનીના દરવાજા પાસે આજે બપોરે એક યુવાનની ઘાતકી હત્યા થતા અરેરાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરના સમયે ભાવનગર શહેર નજીક ભાલ પંથકમાં આવેલ નિરમા કંપનીના ગેટ પાસે આજે બપોરે એક યુવાનની  હત્યા થઈ હતી. ખૂનનાં આ બનાવની જાણ થતા જ વેળાવદર- ભાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે અને તપાસ ચલાવી રહ્યો છે. 


હત્યાનું કારણ અકબંધ


યુવાનની હત્યાને લઈ પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ વિપુલ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રેમિકાએ જ પ્રેમી યુવાનની હત્યા કરી હોવાની આશંકા છે, આ મામલે પોલીસે પ્રેમિકાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે વિપુલની પ્રેમિકાએ હત્યાને હત્યાને અંજામ શા માટે આપ્યો તે હજુ જાણી શકાયું નથી. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .