ચૂંટણી સમયે નેતાઓ તો મોરબી દુર્ઘટનાને ભૂલી જશે, પણ શું સ્થાનિકો યાદ રાખશે?


  • Published By :
  • Published Date : 2022-11-30 15:09:57

ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે થનારા મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ચૂંટણને લઈ તમામ ઉમેદવારો અને પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી પરંતુ મોરબીમાં બનેલી હોનારતને લઈ કોઈએ પણ ચર્ચા નથી કરી. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈ સ્થાનિકોએ ભાજપ પ્રત્યે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ચૂંટણી પૂર્વે મોરબીમાં ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે જ્યાં સુધી મૃતકો અને ઘાયલોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાજપને મત નહીં. 


મોરબીમાં ભાજપ વિરૂદ્ધ લાગ્યા બેનર 

આવતી કાલથી ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. પહેલા તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે. મોરબીની ત્રણ બેઠકો માટે પણ આવતી કાલે મતદાન થવાનું છે. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે પરંતુ હવે મોરબીના સ્થાનિકોએ ભાજપને મત ન આપવાની અપીલ કરી છે. ભાજપે કાંતીલાલ અમૃતીયાને મોરબીના ઉમેદવાર તરીકે   જાહેર કર્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ બનેર લાગ્યા છે અને મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાજપને મત ન આપવાની વાત કહી છે. આ પ્રકારના બેનર લાગતા ભાજપ અને કાંતિલાલ અમૃતિયાની ચિંતામાં વધારો થયો છે.

માળીયા તાલુકાના ગામોને સિંચાઈની સુવિધા અપાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ  બાંયો ચઢાવી | Former MLA Kanti Amritiya raised left to provide irrigation  facilities to the villages ...

અમુક લોકો મતદારોને ભમ્રિત કરી રહ્યા છે  - કાંતિલાલ  અમૃતીયા

ભાજપના ઉમેદવારે આ અંગે પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે કહ્યું કે મોરબીમાં રાવણરાજ બંધ કરાવી આવનારા દિવસોમાં રામરાજ લાવું છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે મોરબીમાં અમુક લોકો ખોટા સ્ટંટ અને દેખાવ કરી રહ્યા છે. અને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Morbi bridge collapse updates: Army, Air Force and Navy join NDRF for  rescue ops | Hindustan Times

મોરબી હોનારતમાં અનેક લોકોના થયા હતા મોત 

દિવાળીના તહેવાર દરમિયાન મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં અંદાજીત 130થી વધુ લોકોના મોત થયા હતા. કાર્યવાહીના ભાગ રૂપે તંત્રે નાના માણસોને સકંજામાં લીધા પરંતુ આ ઘટનામાં મોટા માથાઓ પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. મૃતકોને ન્યાય ન મળતા લોકોમાં મોરબી દુર્ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી