હિંદુ સંગઠનના કાર્યકરો દ્વારા કરાયો આપની કાર્યાલય પર હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 10:56:14

 જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોઈને કોઈ મુદ્દા પર વિવાદ ચાલતો રહે છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઉતરી છે. આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં આપના નેતાનો વિડીયો વાયરલ થતો હતો. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં હતા તે દરમિયાન તો વિરોધ થયો હતો પરંતુ તેમના ગયા બાદ પણ વિરોધ થવાનો યથાવત છે. સુરતમાં આવેલા આપના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી હતી તેમજ આપનું પોસ્ટર પર ફાળી નાખવામાં આવ્યું હતું. 


સુરતમાં આપના કાર્યાલયમાં હિંદુ સંગઠનના કાર્યકરોએ કરી તોડફોડ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. કેજરીવાલ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હાલમાં જ તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તેમના પ્રવાસ દરમિયાન આપના નેતાનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ અરવિંદ કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમને હિંદુ વિરોધી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.  

સુરત ખાતે આવેલી આપના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિસ સેન્ટરમાં સ્થિત કાર્યાલય પર ભગવા વસ્ત્ર પહેરેલા બજરંગ સેના નામના હિન્દુ સંંગઠનના કાર્યકરોએ તોડફોટ કરી હતી. 





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે