હિંદુ સંગઠનના કાર્યકરો દ્વારા કરાયો આપની કાર્યાલય પર હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 10:56:14

 જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોઈને કોઈ મુદ્દા પર વિવાદ ચાલતો રહે છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઉતરી છે. આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં આપના નેતાનો વિડીયો વાયરલ થતો હતો. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં હતા તે દરમિયાન તો વિરોધ થયો હતો પરંતુ તેમના ગયા બાદ પણ વિરોધ થવાનો યથાવત છે. સુરતમાં આવેલા આપના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી હતી તેમજ આપનું પોસ્ટર પર ફાળી નાખવામાં આવ્યું હતું. 


સુરતમાં આપના કાર્યાલયમાં હિંદુ સંગઠનના કાર્યકરોએ કરી તોડફોડ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. કેજરીવાલ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હાલમાં જ તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તેમના પ્રવાસ દરમિયાન આપના નેતાનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ અરવિંદ કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમને હિંદુ વિરોધી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.  

સુરત ખાતે આવેલી આપના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિસ સેન્ટરમાં સ્થિત કાર્યાલય પર ભગવા વસ્ત્ર પહેરેલા બજરંગ સેના નામના હિન્દુ સંંગઠનના કાર્યકરોએ તોડફોટ કરી હતી. 





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.