હિંદુ સંગઠનના કાર્યકરો દ્વારા કરાયો આપની કાર્યાલય પર હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 10:56:14

 જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોઈને કોઈ મુદ્દા પર વિવાદ ચાલતો રહે છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઉતરી છે. આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં આપના નેતાનો વિડીયો વાયરલ થતો હતો. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં હતા તે દરમિયાન તો વિરોધ થયો હતો પરંતુ તેમના ગયા બાદ પણ વિરોધ થવાનો યથાવત છે. સુરતમાં આવેલા આપના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી હતી તેમજ આપનું પોસ્ટર પર ફાળી નાખવામાં આવ્યું હતું. 


સુરતમાં આપના કાર્યાલયમાં હિંદુ સંગઠનના કાર્યકરોએ કરી તોડફોડ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. કેજરીવાલ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હાલમાં જ તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તેમના પ્રવાસ દરમિયાન આપના નેતાનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ અરવિંદ કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમને હિંદુ વિરોધી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.  

સુરત ખાતે આવેલી આપના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિસ સેન્ટરમાં સ્થિત કાર્યાલય પર ભગવા વસ્ત્ર પહેરેલા બજરંગ સેના નામના હિન્દુ સંંગઠનના કાર્યકરોએ તોડફોટ કરી હતી. 





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.