મહીસાગરમાં માથાભારે લોકોએ પત્રકારો પર કર્યો હુમલો, બે પત્રકારો ઈજાગ્રસ્ત, એક હુમલાખોરની ધરપકડ, બે ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-27 21:44:32

મહીસાગર જિલ્લામાં માથાભારે લોકોએ પત્રકારો સાથે મારપીટ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્રકારો આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે કવરેજ કરવા ગયા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી. માથાભારે ઈસમો દ્વારા લાકડી વડે પત્રકારોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પત્રકારો પર કરવામાં આવેલા આ હુમલામાં બે પત્રકારોને થઈ ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસની હાજરીમાં જ પત્રકારો પર થયેલા હુમલાથી હોબાળો મચી ગયો છે. આ સમગ્ર મામલે દેવ પોલીસે માથા ભારે ઈસમની ધરપકડ કરી છે, ફરાર થયેલા બે લોકોને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.  


આરોગ્ય તંત્રની રેડ દરમિયાન બની ઘટના


મહીસાગર જિલ્લાના બાલાસિનોરના દેવ ચોકડી પર પત્રકારો પર માથાભારે ઈસમોએ હુમલો કર્યો હતો. બાલાસિનોરના દેવ ચોકડી પર  આવેલી સોનલ કૃપા હોસ્પિટલમાં  આરોગ્ય વિભાગની રેડ દરમિયાન આ ઘટના બની હતી. બોગસ ડોકટરને લઈ કરાયેલી આરોગ્ય તંત્રની રેડ દરમિયાન કવરેજ માટે ગયેલા પત્રકારો પર ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક માથાભારે લોકોએ આરોગ્ય કર્મીઓ સાથે પણ બીભત્સ ગાળા ગાળી કરી હતી અને તેમની ધક્કા મૂકી પણ કરવામાં આવી હતી. 


બે કોન્સ્ટેબલ સ્થળ છોડી ગાયબ


પત્રકારો અને આરોગ્ય તંત્રની ટીમ પર થયેલા આ હુમલામાં પોલીસ વિભાગની બેદરકારી પણ સામે આવી હતી. આરોગ્ય વિભાગના ચેકીંગ દરમિયાન બે કોન્સ્ટેબલ તેમની સુરક્ષા માટે હાજર હતા. જો કે હુમલો થતાં જ બે કોન્સ્ટેબલ સ્થળ છોડી ગાયબ થઈ ગયા હતા. ફરજ પર હાજર બે કોન્સ્ટેબલએ દાખવેલી બેદરકારીની અંગે પણ પત્રકારોમાં ખાસ્સો રોષ છે. આ ઘટના અંગે મહીસાગર જિલ્લાના  તમામ પત્રકારો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.