મહીસાગરમાં માથાભારે લોકોએ પત્રકારો પર કર્યો હુમલો, બે પત્રકારો ઈજાગ્રસ્ત, એક હુમલાખોરની ધરપકડ, બે ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-27 21:44:32

મહીસાગર જિલ્લામાં માથાભારે લોકોએ પત્રકારો સાથે મારપીટ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્રકારો આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે કવરેજ કરવા ગયા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી. માથાભારે ઈસમો દ્વારા લાકડી વડે પત્રકારોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પત્રકારો પર કરવામાં આવેલા આ હુમલામાં બે પત્રકારોને થઈ ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસની હાજરીમાં જ પત્રકારો પર થયેલા હુમલાથી હોબાળો મચી ગયો છે. આ સમગ્ર મામલે દેવ પોલીસે માથા ભારે ઈસમની ધરપકડ કરી છે, ફરાર થયેલા બે લોકોને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.  


આરોગ્ય તંત્રની રેડ દરમિયાન બની ઘટના


મહીસાગર જિલ્લાના બાલાસિનોરના દેવ ચોકડી પર પત્રકારો પર માથાભારે ઈસમોએ હુમલો કર્યો હતો. બાલાસિનોરના દેવ ચોકડી પર  આવેલી સોનલ કૃપા હોસ્પિટલમાં  આરોગ્ય વિભાગની રેડ દરમિયાન આ ઘટના બની હતી. બોગસ ડોકટરને લઈ કરાયેલી આરોગ્ય તંત્રની રેડ દરમિયાન કવરેજ માટે ગયેલા પત્રકારો પર ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક માથાભારે લોકોએ આરોગ્ય કર્મીઓ સાથે પણ બીભત્સ ગાળા ગાળી કરી હતી અને તેમની ધક્કા મૂકી પણ કરવામાં આવી હતી. 


બે કોન્સ્ટેબલ સ્થળ છોડી ગાયબ


પત્રકારો અને આરોગ્ય તંત્રની ટીમ પર થયેલા આ હુમલામાં પોલીસ વિભાગની બેદરકારી પણ સામે આવી હતી. આરોગ્ય વિભાગના ચેકીંગ દરમિયાન બે કોન્સ્ટેબલ તેમની સુરક્ષા માટે હાજર હતા. જો કે હુમલો થતાં જ બે કોન્સ્ટેબલ સ્થળ છોડી ગાયબ થઈ ગયા હતા. ફરજ પર હાજર બે કોન્સ્ટેબલએ દાખવેલી બેદરકારીની અંગે પણ પત્રકારોમાં ખાસ્સો રોષ છે. આ ઘટના અંગે મહીસાગર જિલ્લાના  તમામ પત્રકારો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.