મહીસાગરમાં માથાભારે લોકોએ પત્રકારો પર કર્યો હુમલો, બે પત્રકારો ઈજાગ્રસ્ત, એક હુમલાખોરની ધરપકડ, બે ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-27 21:44:32

મહીસાગર જિલ્લામાં માથાભારે લોકોએ પત્રકારો સાથે મારપીટ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્રકારો આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે કવરેજ કરવા ગયા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી. માથાભારે ઈસમો દ્વારા લાકડી વડે પત્રકારોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પત્રકારો પર કરવામાં આવેલા આ હુમલામાં બે પત્રકારોને થઈ ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસની હાજરીમાં જ પત્રકારો પર થયેલા હુમલાથી હોબાળો મચી ગયો છે. આ સમગ્ર મામલે દેવ પોલીસે માથા ભારે ઈસમની ધરપકડ કરી છે, ફરાર થયેલા બે લોકોને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.  


આરોગ્ય તંત્રની રેડ દરમિયાન બની ઘટના


મહીસાગર જિલ્લાના બાલાસિનોરના દેવ ચોકડી પર પત્રકારો પર માથાભારે ઈસમોએ હુમલો કર્યો હતો. બાલાસિનોરના દેવ ચોકડી પર  આવેલી સોનલ કૃપા હોસ્પિટલમાં  આરોગ્ય વિભાગની રેડ દરમિયાન આ ઘટના બની હતી. બોગસ ડોકટરને લઈ કરાયેલી આરોગ્ય તંત્રની રેડ દરમિયાન કવરેજ માટે ગયેલા પત્રકારો પર ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક માથાભારે લોકોએ આરોગ્ય કર્મીઓ સાથે પણ બીભત્સ ગાળા ગાળી કરી હતી અને તેમની ધક્કા મૂકી પણ કરવામાં આવી હતી. 


બે કોન્સ્ટેબલ સ્થળ છોડી ગાયબ


પત્રકારો અને આરોગ્ય તંત્રની ટીમ પર થયેલા આ હુમલામાં પોલીસ વિભાગની બેદરકારી પણ સામે આવી હતી. આરોગ્ય વિભાગના ચેકીંગ દરમિયાન બે કોન્સ્ટેબલ તેમની સુરક્ષા માટે હાજર હતા. જો કે હુમલો થતાં જ બે કોન્સ્ટેબલ સ્થળ છોડી ગાયબ થઈ ગયા હતા. ફરજ પર હાજર બે કોન્સ્ટેબલએ દાખવેલી બેદરકારીની અંગે પણ પત્રકારોમાં ખાસ્સો રોષ છે. આ ઘટના અંગે મહીસાગર જિલ્લાના  તમામ પત્રકારો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.