અનંત પટેલ પર હુમલા બાદ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું આદિવાસીઓના હક માટે લડતા રહીશું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 12:15:40

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષ એક્ટિવ મોડમાં આવી ગયા છે. આ બધા વચ્ચે થોડા સમય પહેલા આદિવાસી નેતા તરીકે પ્રખ્યાત અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. હુમલો થયા બાદ અનંત પટેલના સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો અને હુમલો કરનાર વિરૂદ્ધ પગલા લેવાય તે માગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. પોલીસે તમામને ડિટેઈન કર્યા હતા. ત્યારે અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સી.આર.પાટીલ પર આક્ષેપ લગાડ્યા હતા. 

સી.આર.પાટીલ પર અનંત પટેલે લગાડ્યા આરોપ 

ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી કોઈને કોઈ મુદ્દા પર રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે.ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઈ પણ મુદ્દાને લઈ રાજનીતિ ગરમાતા વાર નથી લાગતી. ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છેડાઈ ગયો હતો. ધરણા પર બેઠેલા તમામ કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા. જે બાદ અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની વાતને રજૂ કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આ હુમલો સી.આર.પાટીલ દ્વારા કરાવવામાં આવ્યો છે તેવા આક્ષેપો કર્યા હતા.

  

આદિવાસીઓના અધિકાર માટે લડતો રહીશ - અનંત પટેલ

અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે આદિવાસીઓના જળ, જંગલ, અને જમીનનાં અધિકાર માટે હું લડતો રહીશ. કોંગ્રેસે ટ્વિટમાં કેપ્શન આપ્યું કે ના અમારા પૂર્વજો ડર્યા હતા, ના અમે ડરીશું. આદિવાસીઓના હક માટે લડતા રહીશું. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાડી રહી છે. આ આરોપને કારણે રાજનીતિ ફરી ગરમાઈ શકે છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.