અનંત પટેલ પર હુમલા બાદ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું આદિવાસીઓના હક માટે લડતા રહીશું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 12:15:40

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષ એક્ટિવ મોડમાં આવી ગયા છે. આ બધા વચ્ચે થોડા સમય પહેલા આદિવાસી નેતા તરીકે પ્રખ્યાત અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. હુમલો થયા બાદ અનંત પટેલના સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો અને હુમલો કરનાર વિરૂદ્ધ પગલા લેવાય તે માગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. પોલીસે તમામને ડિટેઈન કર્યા હતા. ત્યારે અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સી.આર.પાટીલ પર આક્ષેપ લગાડ્યા હતા. 

સી.આર.પાટીલ પર અનંત પટેલે લગાડ્યા આરોપ 

ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી કોઈને કોઈ મુદ્દા પર રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે.ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઈ પણ મુદ્દાને લઈ રાજનીતિ ગરમાતા વાર નથી લાગતી. ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છેડાઈ ગયો હતો. ધરણા પર બેઠેલા તમામ કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા. જે બાદ અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની વાતને રજૂ કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આ હુમલો સી.આર.પાટીલ દ્વારા કરાવવામાં આવ્યો છે તેવા આક્ષેપો કર્યા હતા.

  

આદિવાસીઓના અધિકાર માટે લડતો રહીશ - અનંત પટેલ

અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે આદિવાસીઓના જળ, જંગલ, અને જમીનનાં અધિકાર માટે હું લડતો રહીશ. કોંગ્રેસે ટ્વિટમાં કેપ્શન આપ્યું કે ના અમારા પૂર્વજો ડર્યા હતા, ના અમે ડરીશું. આદિવાસીઓના હક માટે લડતા રહીશું. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાડી રહી છે. આ આરોપને કારણે રાજનીતિ ફરી ગરમાઈ શકે છે.    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .