અનંત પટેલ પર હુમલા બાદ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું આદિવાસીઓના હક માટે લડતા રહીશું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 12:15:40

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષ એક્ટિવ મોડમાં આવી ગયા છે. આ બધા વચ્ચે થોડા સમય પહેલા આદિવાસી નેતા તરીકે પ્રખ્યાત અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. હુમલો થયા બાદ અનંત પટેલના સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો અને હુમલો કરનાર વિરૂદ્ધ પગલા લેવાય તે માગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. પોલીસે તમામને ડિટેઈન કર્યા હતા. ત્યારે અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સી.આર.પાટીલ પર આક્ષેપ લગાડ્યા હતા. 

સી.આર.પાટીલ પર અનંત પટેલે લગાડ્યા આરોપ 

ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી કોઈને કોઈ મુદ્દા પર રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે.ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઈ પણ મુદ્દાને લઈ રાજનીતિ ગરમાતા વાર નથી લાગતી. ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છેડાઈ ગયો હતો. ધરણા પર બેઠેલા તમામ કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા. જે બાદ અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની વાતને રજૂ કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આ હુમલો સી.આર.પાટીલ દ્વારા કરાવવામાં આવ્યો છે તેવા આક્ષેપો કર્યા હતા.

  

આદિવાસીઓના અધિકાર માટે લડતો રહીશ - અનંત પટેલ

અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે આદિવાસીઓના જળ, જંગલ, અને જમીનનાં અધિકાર માટે હું લડતો રહીશ. કોંગ્રેસે ટ્વિટમાં કેપ્શન આપ્યું કે ના અમારા પૂર્વજો ડર્યા હતા, ના અમે ડરીશું. આદિવાસીઓના હક માટે લડતા રહીશું. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાડી રહી છે. આ આરોપને કારણે રાજનીતિ ફરી ગરમાઈ શકે છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.