અનંત પટેલ પર હુમલા બાદ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું આદિવાસીઓના હક માટે લડતા રહીશું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 12:15:40

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષ એક્ટિવ મોડમાં આવી ગયા છે. આ બધા વચ્ચે થોડા સમય પહેલા આદિવાસી નેતા તરીકે પ્રખ્યાત અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. હુમલો થયા બાદ અનંત પટેલના સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો અને હુમલો કરનાર વિરૂદ્ધ પગલા લેવાય તે માગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. પોલીસે તમામને ડિટેઈન કર્યા હતા. ત્યારે અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સી.આર.પાટીલ પર આક્ષેપ લગાડ્યા હતા. 

સી.આર.પાટીલ પર અનંત પટેલે લગાડ્યા આરોપ 

ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી કોઈને કોઈ મુદ્દા પર રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે.ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઈ પણ મુદ્દાને લઈ રાજનીતિ ગરમાતા વાર નથી લાગતી. ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જે બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છેડાઈ ગયો હતો. ધરણા પર બેઠેલા તમામ કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા. જે બાદ અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની વાતને રજૂ કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આ હુમલો સી.આર.પાટીલ દ્વારા કરાવવામાં આવ્યો છે તેવા આક્ષેપો કર્યા હતા.

  

આદિવાસીઓના અધિકાર માટે લડતો રહીશ - અનંત પટેલ

અનંત પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે આદિવાસીઓના જળ, જંગલ, અને જમીનનાં અધિકાર માટે હું લડતો રહીશ. કોંગ્રેસે ટ્વિટમાં કેપ્શન આપ્યું કે ના અમારા પૂર્વજો ડર્યા હતા, ના અમે ડરીશું. આદિવાસીઓના હક માટે લડતા રહીશું. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાડી રહી છે. આ આરોપને કારણે રાજનીતિ ફરી ગરમાઈ શકે છે.    



લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.