રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓનો આત્મવિલોપન કરવાનો પ્રયાસ, કલેક્ટર કચેરી બહાર કર્મચારીઓએ ગટગટાવી ઝેરી દવા


  • Published By :
  • Published Date : 2023-02-16 10:48:37

પગાર ન મળતા કર્મચારીઓ હડતાળનો માર્ગ અપનાવે છે. ત્યારે હડતાળનો માર્ગ રાજકોટના આજી જીઆઈડીસીમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ અપનાવ્યો છે. અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ રાજકોટ કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા. જેમાંથી બે કર્મચારીઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈ પોલીસે તેમને અટકાવ્યા હતા. 

ઝેરી દવા પીધા બાદ રસ્તા પર આળોટ્યા

કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યાં

ભીડને અટકવાવા પોલીસે પ્રયાસ કર્યા

પગાર ન મળતા નોંધાવ્યો વિરોધ

મળતી માહિતી અનુસાર આજી જીઆઈડીસીમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ પગાર ન મળતા ધરણા પ્રદર્શન કર્યું હતું. અનેક વખત અનેક અધિકારીઓને આ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું. જેને લઈ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓનું કહેવું છે કે કંપની દ્વારા છેલ્લા 3 મહિનાથી તેમનો પગાર આપવામાં નથી આવ્યો ઉપરાંત 21 મહિનાથી પગારની રકમમાંથી પીએફ કપાઈ જાય છે પરંતુ ખાતામાં જમા થતું નથી. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. 


સાંજના સમયે એમડીના ઘરની બહાર કર્મચારીઓએ કર્યા ધરણા 

ધરણા કરવા આવેલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમાંથી બે ત્રણ કર્મચારીઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસ કર્મીઓએ બંન્નેને અટકાવ્યા. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા હતા. સાંજના સમયે કર્મચારીઓએ એમડીના ઘરની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. ત્યાં પણ ત્રણ જેટલા કર્મચારીઓએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.