રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓનો આત્મવિલોપન કરવાનો પ્રયાસ, કલેક્ટર કચેરી બહાર કર્મચારીઓએ ગટગટાવી ઝેરી દવા


  • Published By :
  • Published Date : 2023-02-16 10:48:37

પગાર ન મળતા કર્મચારીઓ હડતાળનો માર્ગ અપનાવે છે. ત્યારે હડતાળનો માર્ગ રાજકોટના આજી જીઆઈડીસીમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ અપનાવ્યો છે. અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ રાજકોટ કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા. જેમાંથી બે કર્મચારીઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈ પોલીસે તેમને અટકાવ્યા હતા. 

ઝેરી દવા પીધા બાદ રસ્તા પર આળોટ્યા

કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યાં

ભીડને અટકવાવા પોલીસે પ્રયાસ કર્યા

પગાર ન મળતા નોંધાવ્યો વિરોધ

મળતી માહિતી અનુસાર આજી જીઆઈડીસીમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ પગાર ન મળતા ધરણા પ્રદર્શન કર્યું હતું. અનેક વખત અનેક અધિકારીઓને આ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું. જેને લઈ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓનું કહેવું છે કે કંપની દ્વારા છેલ્લા 3 મહિનાથી તેમનો પગાર આપવામાં નથી આવ્યો ઉપરાંત 21 મહિનાથી પગારની રકમમાંથી પીએફ કપાઈ જાય છે પરંતુ ખાતામાં જમા થતું નથી. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. 


સાંજના સમયે એમડીના ઘરની બહાર કર્મચારીઓએ કર્યા ધરણા 

ધરણા કરવા આવેલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમાંથી બે ત્રણ કર્મચારીઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસ કર્મીઓએ બંન્નેને અટકાવ્યા. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા હતા. સાંજના સમયે કર્મચારીઓએ એમડીના ઘરની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. ત્યાં પણ ત્રણ જેટલા કર્મચારીઓએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.         




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.