રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓનો આત્મવિલોપન કરવાનો પ્રયાસ, કલેક્ટર કચેરી બહાર કર્મચારીઓએ ગટગટાવી ઝેરી દવા


  • Published By :
  • Published Date : 2023-02-16 10:48:37

પગાર ન મળતા કર્મચારીઓ હડતાળનો માર્ગ અપનાવે છે. ત્યારે હડતાળનો માર્ગ રાજકોટના આજી જીઆઈડીસીમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ અપનાવ્યો છે. અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ રાજકોટ કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા. જેમાંથી બે કર્મચારીઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈ પોલીસે તેમને અટકાવ્યા હતા. 

ઝેરી દવા પીધા બાદ રસ્તા પર આળોટ્યા

કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યાં

ભીડને અટકવાવા પોલીસે પ્રયાસ કર્યા

પગાર ન મળતા નોંધાવ્યો વિરોધ

મળતી માહિતી અનુસાર આજી જીઆઈડીસીમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ પગાર ન મળતા ધરણા પ્રદર્શન કર્યું હતું. અનેક વખત અનેક અધિકારીઓને આ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું. જેને લઈ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓનું કહેવું છે કે કંપની દ્વારા છેલ્લા 3 મહિનાથી તેમનો પગાર આપવામાં નથી આવ્યો ઉપરાંત 21 મહિનાથી પગારની રકમમાંથી પીએફ કપાઈ જાય છે પરંતુ ખાતામાં જમા થતું નથી. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. 


સાંજના સમયે એમડીના ઘરની બહાર કર્મચારીઓએ કર્યા ધરણા 

ધરણા કરવા આવેલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમાંથી બે ત્રણ કર્મચારીઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસ કર્મીઓએ બંન્નેને અટકાવ્યા. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા હતા. સાંજના સમયે કર્મચારીઓએ એમડીના ઘરની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. ત્યાં પણ ત્રણ જેટલા કર્મચારીઓએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.         




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.