રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓનો આત્મવિલોપન કરવાનો પ્રયાસ, કલેક્ટર કચેરી બહાર કર્મચારીઓએ ગટગટાવી ઝેરી દવા


  • Published By :
  • Published Date : 2023-02-16 10:48:37

પગાર ન મળતા કર્મચારીઓ હડતાળનો માર્ગ અપનાવે છે. ત્યારે હડતાળનો માર્ગ રાજકોટના આજી જીઆઈડીસીમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ અપનાવ્યો છે. અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ રાજકોટ કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા. જેમાંથી બે કર્મચારીઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈ પોલીસે તેમને અટકાવ્યા હતા. 

ઝેરી દવા પીધા બાદ રસ્તા પર આળોટ્યા

કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યાં

ભીડને અટકવાવા પોલીસે પ્રયાસ કર્યા

પગાર ન મળતા નોંધાવ્યો વિરોધ

મળતી માહિતી અનુસાર આજી જીઆઈડીસીમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ પગાર ન મળતા ધરણા પ્રદર્શન કર્યું હતું. અનેક વખત અનેક અધિકારીઓને આ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું. જેને લઈ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓનું કહેવું છે કે કંપની દ્વારા છેલ્લા 3 મહિનાથી તેમનો પગાર આપવામાં નથી આવ્યો ઉપરાંત 21 મહિનાથી પગારની રકમમાંથી પીએફ કપાઈ જાય છે પરંતુ ખાતામાં જમા થતું નથી. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. 


સાંજના સમયે એમડીના ઘરની બહાર કર્મચારીઓએ કર્યા ધરણા 

ધરણા કરવા આવેલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમાંથી બે ત્રણ કર્મચારીઓએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસ કર્મીઓએ બંન્નેને અટકાવ્યા. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા હતા. સાંજના સમયે કર્મચારીઓએ એમડીના ઘરની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. ત્યાં પણ ત્રણ જેટલા કર્મચારીઓએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.         




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.